14મી વિધાનસભા રચવા માટે જનતાએ ભાજપને બહુમતીથી જનાદેશ આપી દીધો છે.હવે નવામંત્રીમંડળની શપથવિધિ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. નિયમ મુજબ નવા મુખ્યમંત્રીની નિમણુંક થાય ત્યાં સુધી ગત વિધાનસભાના મુખ્યમંત્રી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે.
શપથવિધિ બાદ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી. કોહલીને પોતાનું રાજીનામું સુપરત કરશે. એ સાથે ગત વિધાનસભાનું મંત્રીમંડળ પણ રાજીનામું આપશે. ભાજપ જીતેલા ઉમેદવારોની બેઠક બોલાવશે જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે આવેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો 99 બેઠક સાથે વિજય થતાં ગુજરાતમાં 6 ઠ્ઠી વાર પોતાની સરકાર રચવામાંટે સજ્જ થઇ છે. અને આ કારણોસર 25 મી ડિસેમ્બરે ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને નવી સરકાર ગુજરાતમાં શપથ લે તેવા ખાસ આયોજનો હાલ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જોકે બજારમાં ફરતા થયેલ કેટલાક સંદેશાઓ પરથી લાગી રહ્યુ છે કે ગુજરાતની સત્તાનો શિરતાજ નક્કિ કોઇ નવો ચહેરો જ પહેરશે. પરંતુ આ બાબતોથી પર રહી તમામ ગુજરાતીઓ મીટ માંડીને બેઠા છે કોણ હવે ગુજરાતના મુખ્યપ્રધાનપદે બિરાજમાન થાય છે.