ટેકનોલોજીએ આપણી લાઇફને વધારે સરળ બનાવી દીધી છે પરંતુ ઘણી વખત આપણી આશાઓ પ્રમાણે થતું નથી જેના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. મોટાભાગે જ્યારે તમે ATMથી પૈસા નિકાળે છે અને ટ્રાન્ઝેક્શન ફેલ થઇ જાય છે અને એ પૈસા તમારા અકાઉન્ટ્સમાં પાછા આવતાં નથી તો તમે બેંક પાસેથે દરરોજ 100 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલ કરી શકો છો. હકીકત ટ્રાન્ઝેક્શન ફેલ થનાર ગ્રાહકો માટે RBI એ કેટલીક ગાઇડલાઇન્સ જારી કરી છે જેને જાણવી તમારા માટે ખૂબ જરૂરી થઇ જાય છે. તો ચલો જાણીએ આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક દિશાનિર્દેશ
RBIની ગાઇડલાઇન પ્રમાણે ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરીયાદ મળવાના 7 વર્કિંગ દિવસની અંદર ગ્રાહકના અકાઉન્ટમાં આવી જશે.
જો ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરીયાદ દાખલ કરાયા બાદ 7 વર્કિંગ દિવસની અંદર ગ્રાહકને પૈસા પાછા મળતા નછી તો પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ બેંકો 100 રૂપિયા પ્રતિ દિનના હિસાબથી ગ્રાહકોને પેનલ્ટી આપવી પડશે. એના માટે ગ્રાહકને ટ્રાન્ઝેક્શનના 30 દિવસની અંદર ફરીયાદ દાખલ કરવી જરૂરી છે.
રિફન્ડ માટે જરૂરી દસ્તાવેજ:
- તમે તમારા ટ્રાન્ઝેક્શનની ચિઠ્ઠી અથવા અકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે બેંકમાં ફરીયાદ કરો.
- બેંકોને જરૂરી કાર્ડ ડિટેલ પોતાની બેંક અકાઉન્ટ નંબર એટીએમ આઇડી ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય પણ જણાવો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ જાણકારીઓ અધિકૃત કર્મચારી સાથે જ શેર કરો.
- બેંક પાસેથી ફરીયાદની કાયદેસર પ્રતિ લેવાનું ના ભૂલશો જેની પર બ્રાંચ મેનેજરની સહી હોવી પણ જરૂરી હોય છે.
- ફરીયાદ કર્યા બાદ જો 7 વર્કિંગ દિવસમાં તમારા અકાઉન્ટમાં પૈસા ના આવે ચો એનેક્ઝર 5 ફોર્મ ભરીને મેનેજરને આપો.
- જો આ પછી પણ તમને પેનલ્ટીની રકમ મળતી નથી તો તમે RBIની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફરીયાદ કરી શકો છો.