બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / એકસાથે 70 ફ્લાઇટ્સ રદ, Air Indiaમાં ઉડાન ભરનારા સાવધાન! ક્રૂ મેમ્બર્સે વધાર્યું એરલાઇનનું ટેન્શન

મોટા સમાચાર / એકસાથે 70 ફ્લાઇટ્સ રદ, Air Indiaમાં ઉડાન ભરનારા સાવધાન! ક્રૂ મેમ્બર્સે વધાર્યું એરલાઇનનું ટેન્શન

Last Updated: 11:00 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ક્યાંક ફરવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો આ સમાચાર તમારા માટે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

હવાઈ યાત્રીઓ એટલે કે પ્લેનમાં સફર કરનારાઓ માટે જરૂરી સમાચાર સામે આવ્યા છે. જો તમે ફ્લાઇટ બુક કરાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન, એર ઈન્ડિયા એસપ્રેસે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર 70થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ

એટલે કે જો તમે પણ ક્યાંક ફરવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો આ સમાચાર તમારા માટે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.

બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂની નોકરી જોખમમાં

એમ કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનું મર્જર થવા જઈ રહ્યું છે, તેથી બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે. એટલા માટે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે રાતથી આ વિરોધ વધુ મોટો થઈ ગયો છે, જેના કારણે 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તેમાં મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશોની મહત્તમ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે માંગી માફી

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે કેબિન ક્રૂના કેટલાક સભ્યો ગઈકાલે રાતથી અચાનક બીમાર પડ્યા હતા. જેના કારણે કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવી પડી હતી. અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવું કેમ થયું? પરંતુ સાથે સાથે, અમારો પ્રયાસ છે કે આનાથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને અચાનક થયેલી અસુવિધા બદલ માફી માંગી છે.

વધુ વાંચો: સાઇડ ઇફેક્ટ્સ પર સવાલો ઉઠતા AstraZenecaનો મોટો નિર્ણય: વિશ્વભરમાંથી પરત મંગાવી કોરોના વેક્સિન, જણાવ્યું આ કારણ

એર ઇન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ ઘણા યાત્રીઓએ સોશિયલ મીડિયા પર અચાનક ફ્લાઈટ્સ કેન્સલ થવાની ફરિયાદ કરી હતી. ફ્લાઇટ રદ કરવા અંગે X પર પેસેન્જરની પોસ્ટના જવાબમાં, એર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ