Team VTV01:56 PM, 19 Jan 20 | Updated: 02:01 PM, 19 Jan 20
માનુષીએ ફિલ્મને વિષે કહ્યું છે કે તે તેના માટે સન્માનની વાત છે કે, અક્ષય કુમારની ફિલ્મનો હું હિસ્સો બની છું. માનુષીએ તેમ પણ કહ્યું કે મારી પ્રથમ ફિલ્મમાં જ મારી જાતને સાબિત કરવાની છે. જેના માટે મારે તૈયારી અને મહેનત કરવી પડશે.
એક તરફ સ્ત્રી સશક્તિકરણ ની વાતો છે તો બીજી તરફ સાબરડેરીમાં નોકરી મેળવવા માટે વિધવા પરિવાર ને મસમોટા ભ્રષ્ટાચાર નો શિકાર બનવું પડ્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા એક બ્રાહ્મણ પરિવારે 15 લાખ આપ્યા પછી સાત વર્ષ બાદ નોકરી પણ ન મળી કે પૈસા પણ ન મળ્યા અને સાત વર્ષથી મળ્યા છે માત્ર નિસાસા.
વસતી એ વિશ્વભરની સમસ્યા છે. ભારત અને ચીન જેવા વસતી વિસ્ફોટ ધરાવતા દેશો વસતી વધારાને કારણે હેરાન છે. દુનિયાના કેટલાક એવા દેશો છે જ્યાં વસતી વધારાનો દર ઘણો ઓછો છે, જો કે તેને વધારવા માટે ત્યાંની સરકારો એ અવનવા કાયદા બનાવ્યા છે. ભારતમાં વસતીના સંબંધમાં RSSના વિચારક અને રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ રાજ્યસભામાં ખાનગી બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. RSSનું કહેવું છે કે, વસતી વધારો રોકવા માટે બે કે તેથી વધુ બાળકો હોય તેની પાસેથી લોન પર વધુ વ્યાજ વસૂલવુ જોઈએ.
દક્ષિણ કોરિયાની વાહન ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ગયા વર્ષે ભારતમાં તેની પહેલી ઈલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી હતી. આ કારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. કોના ઈલેક્ટ્રિક એસયૂવીએ 'હાઈએસ્ટ એલ્ટિટ્યૂડ અચીવ્ડ ઈન એન ઈલેક્ટ્રિક કાર' કેટેગરીમાં સ્થાન મેળવ્યુ છે. આ ઈલેક્ટ્રિક એસયૂવીને તિબ્બતટમાં સાવૂલા પાસ પર 5,731 મીટરની ઊંચાઈ પર ચલાવવામાં આવી હતી. જેથી આ પહેલી એવી મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક એસયૂવી બની ગઈ છે જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ થઈ છે.
Team VTV12:56 PM, 19 Jan 20 | Updated: 02:10 PM, 19 Jan 20
મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં જ સાંઈ બાબાના જન્મસ્થળને લઈને એક ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ એટલો વધી ગયો છે કે શિરડીના સ્થાનીય લોકોએ શિરડી બંધનું આહ્વાન કર્યું છે.
Team VTV12:38 PM, 19 Jan 20 | Updated: 12:39 PM, 19 Jan 20
નિર્ભયા કેસનાં ગુનેગાર પવનને બચાવવા માટે તેનાં વકીલે નકલી દસ્તાવેજો ઉભા કર્યાં હતાં. સાથે સાથે તેમણે કોર્ટમાં કાર્યવાહીમાં વિલંબ કરવનાં પણ પ્રયાસ કર્યા હતાં. જેને પગલે તેમની સામે આ પગલા ભરવામાં આવ્યાં છે.
Team VTV12:33 PM, 19 Jan 20 | Updated: 12:36 PM, 19 Jan 20
ખેતી એ આર્થિક મંદીને પહોંચી મળવાનું પ્રબળ સાધન છે. ત્યારે આજે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ ધીરે ધીરે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગીર સોમનાથનો જ એક ખેડૂત છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યો છે. અને તેને ઝીરો ઈન્વેસ્ટમેન્ટમાં ઉત્પાદન મળી રહ્યુ છે. તો તમે પણ જાણી લો કેવી રીતે કરી શકાય છે ગાય આધારીત ખેતી.
મહારાષ્ટ્રમાં શિરડી સાંઈબાબાના જન્મસ્થાનને લઈને હાલમાં વિવાદ શરૂ થયો છે. જેના કારણે શનિવારે મોડી રાતે 12 વાગ્યાથી ગ્રામસભાએ શિરડી શહેર બંધ કર્યું છે પરંતુ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું છે. અહીં તેઓ આંખો બંધ કરીને રૂપિયા ચઢાવે છે.
Team VTV11:59 AM, 19 Jan 20 | Updated: 12:01 PM, 19 Jan 20
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સાઈ બાબા પર આપેલા નિવેદન બાદ સાઈ સમર્થકો રોષે ભરાયા છે અને શિરડી બંધનું એલાન કર્યું છે. સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ બોલીવુડના સિતારાઓ પણ સાંઈ ભકત છે.
દેવિંદરસિંહની અત્યારે આતંકવાદીઓને મદદ કરવાનાં આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં સામે આવું છે કે DSP દેવિંદરસિંહ આતંકવાદીઓનાં સંપર્કમાં હતો. જાણે આતંકવાદીઓને જમ્મુ લઈ જવા માટે કેટલા રુપિયા લીધા હતાં.
Team VTV11:19 AM, 19 Jan 20 | Updated: 06:33 PM, 20 Jan 20
પોતાને કુખે જન્મેલા પોતાના અંશને આમ ત્યજી દેતા માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? સુરતમાં ત્યજી દેવાયેલા બાળકોના ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. એ કેવી નિષ્ઠુર માતાઓ હશે જે પોતાના બાળકને આમ ત્યજીને ચાલી જતી હશે? આ આંકડાઓમાં બાળકીઓની સંખ્યા જોઈને સમાજની બેમોઢાળી માનસિકતા છતી થાય છે. કારણ કે, ત્યજી દેવાયેલા બાળકોમાં મેલ ચાઈલ્ડ કરતા ફિમેલ ચાઈલ્ડની સંખ્યા વધુ છે.
Team VTV11:16 AM, 19 Jan 20 | Updated: 11:17 AM, 19 Jan 20
પુણેથી મુંબઈ જતી વખતે શનિવારે શબાના આઝમીની કારનો એક ટ્રક સાથે એક્સિડન્ટ થઈ ગયો હતો. જેમાં એક્ટ્રેસ શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તેમને તરત જ પનવેલની AGM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બાદમાં મોડી રાતે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએચ)માં શિફ્ટ કરવામાં આવ્યા.
એક તરફ સ્ત્રી સશક્તિકરણ ની વાતો છે તો બીજી તરફ સાબરડેરીમાં નોકરી મેળવવા માટે વિધવા પરિવાર ને મસમોટા ભ્રષ્ટાચાર નો શિકાર બનવું પડ્યું છે.અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા એક બ્રાહ્મણ પરિવારે 15 લાખ આપ્યા પછી સાત વર્ષ બાદ નોકરી પણ ન મળી કે પૈસા પણ ન મળ્યા અને સાત વર્ષથી મળ્યા છે માત્ર નિસાસા.અરવલ્લીના બાયડ રહેતા મંજુલાબેન ઉપાધ્યાય માટે પોતાના પરિવારની જવાબદારી હોવાના પગલે ઘરની તમામ સંપત્તિ એકઠી કરી તત્કાલીન ચેરમેન શામળભાઇ પટેલ અને તેમના દીકરાને રૂપિયા 15લાખ આપ્યા હતા જે 15 લાખ ના પગલે સાબર ડેરીમાં નોકરી આપવાની શરત સાથે તમામ સંપત્તિ દાવ પર લગાવી હતી જોકે તત્કાલીન ચેરમેન તેમજ હાલના ચેરમેન શામળભાઇ પટેલે આ મુદ્દે છેલ્લા સાત વર્ષથી નોકરી પણ નથી આપી કે પૈસા પણ પરત નથી આપી શકે.
રાજસ્થાનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 97 વર્ષની વૃદ્ધાએ સરપંચ બની નવો રેકોર્ડ બનાવ્યો છે. 97 વર્ષની વિદ્યાદેવીએ સરપંચ પદની ચૂંટણી જીતીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 97 વર્ષની ઉમરે સરપંચ બનેલા વિદ્યાદેવી રાજસ્થાનના સૌથી મોટી ઉમરની સરપંચ છે. તેઓએ તેમના પ્રતિસ્પર્ધીને 207 વોટથી હરાવ્યા છે.
સુરેન્દ્રનગર હાઈવે પર આજ સવારથી જ એક્સિડેન્ટનોની વણઝાર લાગી છે. ગઈકાલ રાતે એક અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યાં બગોદરા લિંબડી હાઈવે ઉપર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલા સહિત 3 જણાના મોત થયા છે.
Team VTV10:09 AM, 19 Jan 20 | Updated: 10:12 AM, 19 Jan 20
વર્ષો બાદ ચાર એકરમાં ટપક પધ્ધતિથી શેરડી નું સફળ વાવેતર કરી બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકાના જલોત્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂતે આ શેરડી માંથી કેમિકલ યુક્ત ગોળ બનાવવાનું યુનિટ શરૂ કર્યું છે. દેશી ગોળ અને રાબડીયા નો ગોળ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કેમિકલ વિનાનો ગોળ લોકોને મળી રહે તે માટે એક નવી પહેલ કરી છે.
Team VTV09:41 AM, 19 Jan 20 | Updated: 09:42 AM, 19 Jan 20
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની CAA પર ટીપ્પણી પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે CAAની સંવૈધાનિક સ્થિતિ અસ્પષ્ટ છે. જો સર્વોચ્ચ ન્યાયાલયે દખલગીરી ન કરી તો તે કાયદાના પુસ્તકમાં કાયમ રહેશે. CAA પર રાજ્ય સરકારોની અલગ અલગ રાય છે. તેમને હજુ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી જાહેરાતની રાહ જોવી પડશે. જો સુપ્રીમ કોર્ટ દખલ નહીં કરે, તો તે કાયદાના પુસ્તકમાં રહેશે અને જો તે કાયદાના પુસ્તકમાં છે, તો તે બધા દ્વારા સ્વીકારવું પડશે.
અમદાવાદમાં રવિવારની સવાર માઠા સમાચાર લઈને આવી છે. લીંબડી -અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થઈ ગયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આખરે બહુ લાંબી પ્રતિક્ષા અને સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો સમય આવી ચૂકયો છે. રામ નવમીના દિવસે ભવ્ય રામમંદિરના નિર્માણનો પ્રારંભ થઇ શકે છે. 21 જાન્યુઆરીએ યોજનાર સંત સંમેલનમાં મંદિર નિર્માણની તારીખ પર આખરી મહોર લાગશે. આ બેઠકમાં મંદિર નિર્માણની સાથે નાગરિક સંહિતા, રાષ્ટ્રિય જનસંખ્યા નીતી પર કાયદો બનાવવા અંગેનો પ્રસ્તાવ પણ સંત સમંલેન દ્રારા જ કેન્દ્રનો મોકલાશે.
હિમાચલ પ્રદેશના મંડીમાં સતત હિમવર્ષાના કારણે પર્યટકોને પરેશાનીનો સમાનો કરવાનો વારો આવ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શિમલા, મનાલી, મંડીમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે રસ્તા, પહાડો પર બરફની ચાદર જોવા મળી રહી છે.
Team VTV07:56 AM, 19 Jan 20 | Updated: 07:57 AM, 19 Jan 20
અસદુદ્દીન ઓવૈસીએ વસ્તી નિયંત્રણ અધિનિયમ અંગે મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું હતું. બેરોજગાર અને બેરોજગાર યુવકની આત્મહત્યાના મુદ્દાને ઉઠાવતા તેમણે કહ્યું કે RSSના વડા દ્વારા આ નિવેદન આ બધી બાબતોથી ધ્યાન હટાવવા માટે આપવામાં આવ્યું છે.
Team VTV07:33 AM, 19 Jan 20 | Updated: 08:45 AM, 19 Jan 20
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સાંઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ભંડોળની જાહેરાત બાદ જે વિવાદ ઉભો થયો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. જેને લઈને આજે શિરડી ગ્રામસભા દ્વારા શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે CM ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને 100 કરોડ આપવાનુ એલાન કર્યું હતું.