કોંગ્રેસ-NCP રાજ્યની સત્તામાં શિવસેના સાથે ભાગીદારી કરે છે. સત્તા પર શાસન માટે ત્રણેય પક્ષોએ મહાવિકાસ અઘાડીની રચના કરી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ સમર્થન આપ્યું છે. પરંતુ હવે આ તમામ પાર્ટીઓમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ રહી છે.જેના કારણે હવે કોંગ્રેસ અને NCP પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો વિરોધ કરી રહી છે.
Team VTV07:35 AM, 26 Jan 20 | Updated: 02:21 PM, 26 Jan 20
26મી જાન્યુઆરી 2020ના રોજ સમગ્ર ભારતવર્ષમાં 71મો પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક લટાર ભારતના પહેલા ગણતંત્ર દિવસ ઉપર પણ મારી લેવી જોઈએ. એ વખતની કેટલીક અલભ્ય તસવીરો તમને 71 વર્ષની ટાઈમ ટ્રાવેલ કરાવે તો નવાઈ નહીં. સામાન્ય પ્રશ્ન થાય કે કેવો હતો ભારતનો પહેલો પ્રજાસત્તાક દિવસ? તો ચાલો 26મી જાન્યુઆરી 1950થી 26મી જાન્યુઆરી 2020 સુધીની સફર કરીએ.
ભારત આ વખતે 26 જાન્યુઆરીએ પોતાનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. લગભગ બધા જ જાણે છે કે 1950 જાન્યુઆરી 26 ના રોજ ભારતીય બંધારણ અમલમાં હોવાથી, આ દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં જ બંધારણ સ્વીકાર્યું હતું. તો પછી તેને 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ લાગુ કરવામાં આવ્યું? શું તમે જાણો છો કે ભારતના બંધારણની મૂળ નકલ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે? પણ કેમ?
રવિવાર અને ગણતંત્ર દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી રહેશે. આજે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે. ગોળનો વપરાશ ઓછો કરવાની સાથે સૂર્યદેવને અર્દ્ય આપવાથી લાભ થઈ શકે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી લાભ મળે છે. તો જાણી લો તમામ 12 રાશિનું રાશિ ભવિષ્ય.
Team VTV12:15 AM, 26 Jan 20 | Updated: 12:25 AM, 26 Jan 20
ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 19 પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવશે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(રેલવે અને CID ક્રાઈમ) શમશેરસિંઘ અને સાણંદ ડીવિઝનના DYSP કે.ટી. કામરિયાને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે. જ્યારે અન્ય 17 પોલીસ કર્મચારીઓને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી PSI મોડ-2ની પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા હતા. જેને લઇને આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે આ મુદ્દે સરકારને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે પરીક્ષાના પેપર ફરી તપાસવાનો આદેશ કર્યો છે.
શું તમે સાંભળ્યું છે કે, માત્ર છ દિવસમાં કોઈ એક હજાર બેડની હોસ્પિટલ ઉભી કરી દે અને તેમાં સારવાર પણ શરૂ થઈ જાય ? સાંભળવાની વાત તો દૂર પરંતુ અમારી વાત સાંભળતા પણ તમને અજીબ લાગતું હશે. પરંતુ આવું જ કાંઈક ચીને કરી બતાવ્યું છે. જ્યાં માત્ર 6 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિલ ઉભી કરી દેવાઈ છે. પરંતુ કેવી રીતે શક્ય છે તે જાણો!
એક સમયે ગરીબ ગુરબાઓની રમત તરીકે ઓળખાતી ફૂટબોલની રમત આજે દુનિયાની સૌથી મોટી લોકપ્રિય રમત બની ચૂકી છે. આજે બ્રાઝિલ દેશ તેની ફૂટબોલ ટીમથી સમગ્ર દુનિયામાં આગવી ઓળખ બની ગયો છે. ભલે લેટિન અમેરિકી એવો સ્પેનિશભાષી આ દેશ ભારતથી હજારો કિલોમીટર દૂર હોય પરંતુ ભારતીય ફૂટબોલ પ્રેમીઓની બ્રાઝિલ તરફની નિષ્ઠા પહેલાથી જ રહી ચૂકી છે.
Team VTV10:25 PM, 25 Jan 20 | Updated: 11:07 PM, 25 Jan 20
ગણતંત્ર દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પૂરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ પણ છે. 1984 ભોપાલ ગેસ ત્રાસદીના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને પણ મરણોપરાંત આ સન્માનથી નવાજવામાં આવશે.
Team VTV10:17 PM, 25 Jan 20 | Updated: 10:22 PM, 25 Jan 20
રાજધાની દિલ્હીમાં પાંચ બાળકોને સલામતીના ધોરણોની ઐસી તૈસી કરીને ફક્ત પૈસા કમાવવા માટે કોચિંગ સંસ્થાઓ ચલાવનારા લોકોના સ્વાર્થ માટે પોતાનું જીવન આપવું પડ્યું. દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં કોચિંગ સેન્ટરની છત પડી જતાં પાંચ બાળકોના કરુણ મોત નિપજ્યા છે.
Team VTV10:14 PM, 25 Jan 20 | Updated: 10:29 PM, 25 Jan 20
આજે દેશમાં રામરાજ્યની વિભાવના ભૂલી જવાઈ છે કેમ કે, દેશના નેતાઓ રામરાગ આલાપવામાં વ્યસ્ત બન્યા છે. વિકાસથી વંચિત કોઈ દેશના કોઈ પ્રદેશમાં ભલે જવાનું ભૂલી જવાય, પણ અયોધ્યાના રામલલાના દર્શન કરવા જવાનું કે મોઈનુદિનચિશ્તીની દરગાહ પર ચાદર ચડાવવા જવાનુ નેતાઓથી ક્યારેય ભૂલી જવાતું નથી.
ગણતંત્ર દિવસની પરેડ (Republic Day Parade) માં ચિનૂક (Chinook) અને અપાચે (Apache) હેલીકોપ્ટર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હશે. આ બંને જ હેલીકોપ્ટર પહેલીવાર ફ્લાઇપાસ્ટમાં ભાગ લેશે. અમેરિકામાં નિર્માણ પામેલા 'ચિનૂક' હેલિકોપ્ટર (Chinook Helicopter)ને ગત વર્ષે માર્ચમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાની છે દેશની વર્તમાન સ્થિત અને દેશના ભવિષ્યની. છેલ્લા ઘણાં સમયથી મોદી સરકારની એક પછી એક સિદ્ધીઓ સામે વિપક્ષ રોડા નાંખવાનું કામ કરી રહ્યો છે તો બીજી તરફ વિકસતા ભારતના કેટલાક મુદ્દાઓ સામે અમૂક લોકો વિલન બનીને સામે આવી રહ્યા છે. કલમ 370 હોય કે પછી NRC, CAA અને NPR. દેશમાં એક તરફ જાણે કે કોઈ ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ વિપક્ષ સર્જી રહ્યુ છે. ગણતંત્રના 71 વર્ષ થવા આવ્યા છે તેમ છતા જાણે આપણે હજુ પણ 20મી સદીના વિચારોથી બહાર નથી આવી રહ્યા
ભારત છોડીને પાકિસ્તાન કે ચીન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિનું વેચાણ કરીને 1 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિષય ગુજરાતને પણ લાગુ પડ્યો છે.
TVSએ ઈ સ્કૂટર વડે ટુ વ્હીલર માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. TVSએ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં શનિવારે ઈ સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર 'ચેતક'ને સીધી ટક્કર આપશે. નોંધનીય છે કે 14 જાન્યુઆરીએ બજાજ ઓટોએ લોકપ્રિય ચેતક સ્કૂટરની ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું છે.
Team VTV09:10 PM, 25 Jan 20 | Updated: 06:24 PM, 26 Jan 20
ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઇપણ ખૂણે જાય પરંતુ ખાણી-પાણી મામલે ખૂબ જ ઉત્સુક હોય છે. વેપાર ગુજરાતીઓની નસમાં વહે છે તેમ ખાણી-પાણીનો ચસ્કો ગુજરાતીઓની જીભે વસેલો છે.
Team VTV09:10 PM, 25 Jan 20 | Updated: 10:28 PM, 25 Jan 20
આજના સમયમાં વાહનોના ઈન્શ્યોરન્સ પણ જરૂરી બની ગયા છે. પરંતુ વાહન ચોરી ઈન્શ્યોરન્સ ક્લેમમાં લોકોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે હવે પરેશાની નહીં થાય. કેવી રીતે તે જાણવા માટે જુઓ Ek Vaat Kau
Jio અને Airtelના ગ્રાહકો માટે એક જબરદસ્ત કોલિંગ સુવિધા શરૂ થઇ છે. જેમાં તમને ફોનમાં નેટવર્ક વગર કોલ કરી શકશો. તમને શું થશે ફાયદો? તે જાણવા માટે જુઓ Tech Masala...
Team VTV08:29 PM, 25 Jan 20 | Updated: 08:30 PM, 25 Jan 20
સુરતના કુંભારિયાની ચૌદ માળની રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા સોમવારની મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને બુઝાવવા સુરત સહિત દક્ષિણ ગુજરાતથી 90 ફાયર ફાઇટર અને 500થી વધુ ફાયરમેનને કામે લગાડાયા હતા. આ આગને 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો હતો.
Team VTV08:21 PM, 25 Jan 20 | Updated: 08:25 PM, 25 Jan 20
દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રવિવારે દેશભરમાં મોટા હર્ષોલ્લાસની સાથે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધિત કર્યા.
સોશિયલ મીડિયા તમારા પર કેવી અસર કરે છે તેનો આધાર તમે કેટલો સમય ગાળો છો અને કોને ફોલો કરો છો તેના પર પણ રહેલો છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ જ નહીં, કરોડો લોકો માટે એક એડિકશન બની ગયું છે. લોકો સમય હોય કે ન હોય વોટસએપ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ,ટ્વિટર પર રચ્યાપચ્યા રહે છે. જોકે કયારેય આપણે વિચાર્યું છે કે સોશિયલ મીડિયાના ફોટોગ્રાફસ અને વિવિધ પોસ્ટ તમારા માનસ પર કેવી અસર કરે છે? પછી ભલે તે તમારા મિત્રના હોલિડેના ફોટા હોય અથવા કોઈ સેલિબ્રિટીનો જિમમાં વર્કઆઉટ કરતો ફોટો હોય.
Team VTV07:33 PM, 25 Jan 20 | Updated: 07:35 PM, 25 Jan 20
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન પર રાજનીતિ ગરમાઇ છે. વિવાદીત નિવેદન આપવા માટે જાણિતા બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ શરજિલ પર હુમલો બોલ્યો છે.
પાકિસ્તાનમાં થનાર એશિયા કપ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વસીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ખબર આવી હતી કે પાકિસ્તાન પોતાના અધિકાર બાંગલાદેશને આપી દેવા તૈયાર છે. જે બાદ આજે PCBએ સ્પષ્ટતા કરી અને એટલું જ નહીં તેમણે ભારતને જ ધમકી આપી દીધી.
Team VTV07:25 PM, 25 Jan 20 | Updated: 07:38 PM, 25 Jan 20
સુરતના કીમ વિસ્તારમાં સદ્વિદ્યા સંકુલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સ્વચ્છ ભારત અને પ્લાસ્ટીક મુક્ત ભારતના સંદેશા સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં 1300 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા. તો 70 જેટલા શિક્ષકો પણ જોડાયા. પ્રજાસત્તાક પર્વને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું.