Delhi Civil Lines Bungalow : આપણે અમુક વાર સાંભળતા હોઈએ છીએ કે કોઈ ઘર કે બંગલો કે ઓફિસ શ્રાપિત છે. આવી જ એક ચર્ચા હાલ દિલ્હીમાં થઈ રહી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદ આ દિવસોમાં જેટલો ચર્ચામાં છે તેટલો જ સિવિલ લાઈન્સનો બંગલો નંબર 4 જ્યાં રાજકુમાર આનંદ રહેતા હતા તે પણ સમાચારમાં છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકોઆ બંગલાને શ્રાપિત માની રહ્યા છે. લ્યુટિયન પછી સિવિલ લાઇન્સ એ દેશની રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાંનું એક છે. જોકે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું સિવિલ લાઈન્સનો બંગલો નંબર 4 શાપિત છે? શું આ બંગલામાં રહેતા મંત્રીઓએ બધું ગુમાવ્યું? જે બંગલો થોડા દિવસો પહેલા સુધી મંત્રીને મળવાના લોકોથી ગુંજી ઉઠતો હતો તે બંગલો હવે ઉજ્જડ ભાસી રહ્યો છે.
દિલ્હીના સિવિલ લાઈન્સનો બંગલો નંબર 4 જ્યાં રાજકુમાર આનંદ રહેતા હતા તે બંગલો હવે અંધકારમાં છવાયેલો છે. મંત્રીના બંગલે કોઈ નથી. દરવાજા પર તાળાઓ છે. બિલાડીએ ગેટની નીચે ઘર બનાવ્યું છે અને ત્યાં ઝાડમાં ચામાચીડિયાનું ઘર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ત્રણ કેબિનેટ મંત્રીઓ આ બંગલામાં રહેતા હતા અને ત્રણમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.
1. સંદીપ કુમાર: 2015માં સંદીપ દિલ્હીની સુલતાનપુર માજરા વિધાનસભા સીટથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. સંદીપ કુમારને દિલ્હીના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ 2016 સેક્સ સ્કેન્ડલ પ્રકાશમાં આવ્યા બાદ તેમને મંત્રી પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. બાદમાં તેની બળાત્કારના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.
2. રાજેન્દ્ર પાલ ગૌતમઃ રાજેન્દ્ર પાલ ગૌતમ 2020માં આમ આદમી પાર્ટીની સરકારમાં બીજી વખત મંત્રી બન્યા હતા, પરંતુ બાબા સાહેબના 22 વ્રતો અને હિંદુ દેવી-દેવતાઓમાં ન માનતા જાહેર કર્યા બાદ ઉભા થયેલા વિવાદને કારણે રાજેન્દ્ર પાલ ગૌતમને હટાવવામાં આવ્યા હતા. ઑક્ટોબર 2022 માં તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
3. રાજકુમાર આનંદઃ રાજેન્દ્ર પાલ ગૌતમના રાજીનામા બાદ અરવિંદ કેજરીવાલે રાજકુમાર આનંદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને 2020માં પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજકુમાર આનંદને 2022માં મંત્રી બનાવ્યા. 7 વિભાગોની જવાબદારી આપી પરંતુ 2 નવેમ્બર 2023ના રોજ EDએ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા. EDની ટીમ 23 કલાક સુધી ઘરમાં હાજર રહી હતી. આનંદની ધરપકડ અંગે અટકળો શરૂ થઈ હતી. 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને 10 એપ્રિલના રોજ રાજકુમાર આનંદે પાર્ટી પર કામ કરવા ન દેવા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ દોષમાં સૌથી વધુ કષ્ટદાયક છે શનિની સાડાસાતી. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શનિની સાડાસાતી એ ગ્રહોની દશા છે જે સાડા સાત વર્ષ સુધી ચાલે છે અને તેના ત્રણ તબક્કા હોય છે. બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમો ફરતો ગ્રહ છે. શનિનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ રહે છે. શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય છે, તેમના માટે શનિની સાડાસાતી ખૂબ જ ફળદાયી હોય છે. જયારે જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તેમને સાડાસાતીના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
શનિની સાડાસાતી વખતે નોકરીમાં અડચણ, પ્રગતિમાં અવરોધ, ધંધામાં ખોટ, પૈસાની અછત, દેવાનો બોજ, આર્થિક તંગી, શારીરિક નબળાઈ, થાક, આળસ અને રોગોનો પ્રકોપ સહન કરવો પડે છે.
શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ કોઈપણ જોખમી કામ કરવાથી બચવું જોઈએ. ઘર અથવા કાર્યસ્થળ પર કોઈની સાથે કોઈ કારણ વગર દલીલ કરવાનું ટાળવું જોઈએ. વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ.
જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, ચોરી કરવી, બીજાને હેરાન કરવા અને ખોટા માધ્યમથી પૈસા કમાવવા જેવી આદતોથી દૂર રહેવું જોઈએ. ક્રોધ અને લોભ પર નિયંત્રણ રાખો. વાસી અને બગડેલો ખોરાક ન ખાવો. નિયમિત સમયે સાત્વિક ખોરાક ખાઓ.
જે લોકો પર શનિ સાડાસાતી હોય તે લોકોએ રાત્રે એકલા મુસાફરી ન કરવી જોઈએ. શનિવાર અને મંગળવારે માંસ અને આલ્કોહોલથી દૂર રહો. આ બંને દિવસોમાં કાળા કપડાં કે ચામડાની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
સાડાસાતી દરમિયાન શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. દર શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. જ્યોતિષની સલાહ લીધા પછી તમે નીલમ રત્ન ધારણ કરી શકો છો. તેનાથી સાડાસાતીની અસર ઓછી થાય છે.
શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. શનિવાર અને મંગળવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને કપડાંનું દાન કરો. જે લોકોની સાડાસાતી હોય તેમણે દરરોજ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
વધુ વાંચો: જો અપનાવશો વાસ્તુશાસ્ત્રના આ 4 ઉપાય, તો જીવનમાં ક્યારેય તમારું ખીસ્સું ખાલી નહીં રહે
ગરીબ, અસહાય અને પ્રાણીઓની સેવા કરવાથી પુણ્ય મળે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ધ્યાન કરવું પણ શનિદેવને પ્રસન્ન કરવાનો સારો ઉપાય છે. શનિવારે કાળા કપડા અને તેલનું દાન કરવાથી સાડાસાતીથી રાહત મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
આખરે આતુરતાનો અંત આવ્યો છે. 'ધ લેગસી ઑફ જિનેશ્વર'નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય એવા પાસાઓને સૌની સામે મજબૂત રીતે રજૂ કરશે. આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મહાવીર જયંતિના શુભ અવસર પર રિલીઝ થશે.
અનેક પડકારો ઝીલ્યા બાદ આખરે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વર્તમાન ખરતર ગચ્છાચાર્ય શ્રી જિન પીયૂષ સાગર સૂરીશ્વરજીના આશીર્વાદ અને ખરતર ગચ્છ સહસ્રબાદી મહોત્સવ સમિતિના સહયોગથી, નિર્માતા અભિષેક માલુએ દર્શકોને અદ્ભુત સિનેમેટિક અનુભવનું વચન આપ્યું છે.
'ધ લેગસી ઑફ જિનેશ્વર' જૈન પરંપરાની અકથિત વાર્તાને ઉજાગર કરવાનું વચન આપે છે, જે ભગવાન મહાવીરના મહત્ત્વપૂર્ણ ઉપદેશો અને તીર્થંકરના આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કરે છે. પ્રેક્ષકો રાજા ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધીની સફર તેમ જ ખરતર ગચ્છ (જૈન ધર્મનો એક સંપ્રદાય)ની સ્થાપનાને રસપ્રદ અને વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત થતી જોશે.
આ પ્રોજેક્ટના ડિરેક્ટર વિવેક સુધિન્દ્ર કુલશ્રેષ્ઠના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ અને નિર્દેશક પ્રદીપ પી. જાધવ અને વિવેક ઐયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જૈન ધર્મના સારને પ્રામાણિકતા અને આદર સાથે જીવંત કરે છે. પ્રખ્યાત લેખક અને ગીતકાર પ્રશાંત બેબર, સંગીતકારો વિવિયન રિચર્ડ અને વિપિન પટવા સાથે ફિલ્મણે ભાવપૂર્વક સંગીતથી ભરી દે છે જે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપે છે.
પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર, જાવેદ અલી અને દિવ્યા કુમારે મધુર કૉમ્પૉઝિશનમાં પોતાનો અવાજ આપ્યો છે, પ્રેક્ષકો ફિલ્મના પાવરફૂલ સાઉન્ડટ્રેકથી મંત્રમુગ્ધ થવાની અપેક્ષા રાખી શકે છે. 'ધ લેગસી ઑફ જિનેશ્વર' પાછળની ટીમ પ્રેક્ષકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને જૈન પરંપરાની સમૃદ્ધ ટૅપિસ્ટ્રીમાં ડૂબી જવા માટે ૧૯મી એપ્રિલ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Sydney : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં ફાયરિંગ અને ચાકુ વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી અને ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. એક ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ સાક્ષીઓએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગોળી માર્યા પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ રીતે ચાકુ મારવાનું શરૂ કર્યું.
એક સાક્ષીએ ખાનગી ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું કે, પોલીસ ઘણી દુકાનોમાં પીડિતોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી, જ્યારે ભીડવાળા મોલમાં આખા ફ્લોર પર લોહી પથરાયેલું હતું. શનિવારે ચાકુબાજીની ઘટના બાદ સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શનિવારની સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે. ઘટના અંગે પૂછપરછ ચાલુ છે.
A man was shot at a mall in Sydney following reports of multiple people stabbed. Emergency services were called to Westfield Bondi Junction, reports Reuters citing New South Wales Police
— ANI (@ANI) April 13, 2024
સ્થાનિક મીડિયા અહેવાલોમાં એક છોકરી દ્વારા તેના માતાપિતાને મોકલવામાં આવેલા ટેક્સ્ટ સંદેશનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે ગોળીબાર સાંભળ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા શોરૂમની અંદર છુપાઈ ગઈ હતી. આ ઘટના બાદ મોલની અંદરના અન્ય દુકાનદારોએ પણ લોકોનો જીવ બચાવવા તેમના શટર બંધ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે અન્ય ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં લોકો ગભરાટમાં મોલની બહાર દોડી રહ્યા હતા અને પોલીસ વાહનો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી.
On Bondi Junction stabbing incident, Australian PM Anthony Albanese says, "Tragically, multiple casualties have been reported and the first thoughts of all Australians are with those affected and their loved ones." pic.twitter.com/46cSNZy6wS
— ANI (@ANI) April 13, 2024
વધુ વાંચો: ભારત સરકારની ઈરાન-ઈઝરાયલ ન જવાની સલાહ, તેમ છતા કોઈ ગયું અને સ્થિતિ બગડે તો...
ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ જ્હોની સેન્ટોસ અને કેવિન ત્જો વૂલવર્થ્સમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે કોઈ એસ્કેલેટર પરથી નીચે આવ્યું અને બૂમો પાડવાનું શરૂ કર્યું કે, એક વ્યક્તિ લોકોને ચાકુ મારી રહ્યો છે. ત્યારે તેણે લીલો શર્ટ પહેરેલ એક વ્યક્તિને એસ્કેલેટર નીચે દોડતો જોયો. આ માણસ ડ્રગ્સના પ્રભાવ હેઠળ પાગલ લાગતો હતો તે સ્તબ્ધ હતો. ઉપરના માળેથી લોકોએ હુમલાખોરને નિશાન બનાવીને બોલાર્ડ ફેંકવાનું શરૂ કર્યું. બે લોકોએ ફેંકેલા બોલાર્ડ હુમલાખોરને અથડાયા અને તે એસ્કેલેટર પરથી પાછો ભાગ્યો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ પાસે આવેલ આરટીઓની કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી RTO ની જૂની કચેરી જર્જરીત હાલતમાં હતી જે કચેરીને તોડીને છેલ્લા ત્રણ વર્ષથી નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવાઈ રહી છે. આરટીઓ કચેરીના અધિકારીની વાત માનીએ તો નવી આરટીઓ કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી રહી છે જે ઓફિસ યુનિક ઓફિસ હશે તેવો અધિકારીનો દાવો છે.
શું હશે નવી આરટીઓ કચેરીમાં સુવિધાઓ ......
મળતી માહિતી પ્રમાણે નવી આરટીઓ કચેરી 40 કરોડના ખર્ચે બનાવાઈ રહી છે જે નવી કચેરી ત્રણ માળની હશે જેમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરાશે અલગ અલગ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવા છે. વિશાળ પાર્કિંગ સુવિધાઓ હશે જે પાર્કિંગમાં જમીન પર 161 ટુ-વ્હીલર અને 52 ફોરવીલર જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ-વ્હીલર અને 130 ફોરવીલર આવે તે પ્રકારનું પાર્કિંગ બનાવવા છે. તેમજ આરટીઓ કચેરીમાં ટેસ્ટીંગમાં પડતી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટીક ટેસ્ટિંગ ટ્રેક બનાવવા છે. જેનાથી ટેસ્ટિંગની પ્રક્રિયા સરળ બનશે. તે સિવાય એક વિશાળ કોન્ફરન્સ હોલ બનાવાયો છે. આરટીઓ કચેરીમાં પાણી, બેસવાની વિવિધ કાઉન્ટરોની ઓફિસો, સેફટીને લગતી સુવિધાઓ પણ રાખવામાં આવશે. તેમજ આરટીઓ ની અંદર એન્ટ્રી થાઓ ત્યારે ટોકન નંબર દેખાય તેમ જ વેટિંગ કેટલું છે. તે જાણી શકાય તે માટે એલઇડી સ્ક્રીનો મુકાશે. આરટીઓ અધિકારીની વાત માનીએ તો 2022માં નવી કચેરીનું કામ શરૂ કરાયું હતું. જે કચેરી આગામી 8 મહિનામાં બનીને તૈયાર થશે. જે બાદ લોકોને સુભાષ બ્રિજ પાસે આરટીઓ કચેરીમાં અદ્યતન સુવિધા માણવાનો લાભ મળશે.
વધુ વાંચોઃ વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં, 160થી વધુ વાહનો કર્યા ડિટેઇન
ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું
ત્રણ વર્ષથી ચાલી રહેલું આ કામ કોરોનાની અસરના કારણે મંદ પડ્યું હતું. પરંતુ ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું છે. જે કામ પૂર્ણ થતા આરટીઓના કર્મચારીઓને નવી કચેરી મળી રહેશે. તેમ જ લોકોને નવી સુવિધાઓ પણ મળી રહેશે. ત્યારે જોવાનું એ રહે છે કે નક્કી કરેલી સમય મર્યાદામાં નવી આરટીઓ કચેરી બનીને તૈયાર થાય છે કે કેમ કે પછી લોકોને પડતી હાલાકી યથાવત રહે છે અને ફરી નવી કોઈ ટાઈમ લાઇન પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Iran-Israel News : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત સહિત પાંચ દેશોએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ પણ સામેલ છે. વિગતો મુજબ આ એડવાઈઝરીમાં તમામ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલ ન જવાની સલાહ આપી છે. શુક્રવારે સાંજે ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોએ આગળની સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવી જોઈએ.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસોનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ. જોકે હવે એક વાત એવી પણ સામે આવી છે કે, આ એડવાઈઝરી છતાં જો કોઈ નાગરિક ઈરાન કે ઈઝરાયલ જાય અને ત્યાંની સ્થિતિ બગડે તો શું થશે ?
📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL*
— India in Israel (@indemtel) April 12, 2024
Link: https://t.co/OEsz3oUtBJ pic.twitter.com/vKruzy3uuJ
બંને દેશોની યાત્રા ન કરવાની સલાહ
સૌથી પહેલા તો જણાવી દઈએ કે તમામ દેશોએ પોતાના નાગરિકોને આ બંને દેશોની યાત્રા ન કરવાની સલાહ આપી છે. ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દેશોમાં ન જવા માટે પણ કહ્યું છે. કોઈપણ પ્રકારની મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. આ દેશોની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે જેથી જો ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તો કોઈ દેશવાસીને કોઈ નુકસાન ન થાય કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
ભારતીયોએ દૂતાવાસનો કરવો પડશે સંપર્ક
એડવાઈઝરી હોવા છતાં જો કોઈ ભારતીય આ દેશોમાં પ્રવાસ કરે છે અને ત્યાં ફસાઈ જાય છે તો ભારત મદદ કરશે. જો કોઈ ભારતીય નાગરિક ઈરાન અથવા ઈઝરાયેલમાં ફસાઈ જાય તો તેણે પહેલા તેની એમ્બેસીનો સંપર્ક કરવો પડશે. એટલા માટે ભારતે ઈરાન અને ઈઝરાયેલમાં પહેલાથી જ રહેતા પોતાના લોકોને ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવા માટે કહ્યું છે. આનાથી ખ્યાલ આવશે કે, ત્યાં કેટલા ભારતીય નાગરિકો છે અને સરકાર પરિસ્થિતિ બગડવાની સ્થિતિમાં તેમને સ્વદેશ પરત લાવવાની રણનીતિ નક્કી કરી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભલે લોકોને ઠંડુ પાણી પીવાની મજા આવે છે. પરંતુ તેને પીધા પછી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. ઉનાળામાં લોકોને ખૂબ જ તરસ લાગે છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિ તડકામાંથી જયારે ઘરે આવે છે ત્યારે લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે. જો તમે નથી જાણતા તો જાણી લો અહીં, કારણ કે આ જાણકારી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
જો તમે દરરોજ ઠંડુ પાણી પીવો છો, તો તેનાથી તમારી પાચનક્રિયા પર ખરાબ અસર થાય છે અને પેટ ફૂલવું અને ગેસ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ અને ઉધરસ થવા લાગે છે. આ સિવાય સાંધામાં દુખાવો થવા લાગે છે અને સાંધા જકડાઈ જાય છે.
વધારે ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ઠંડા પાણીથી શરીરને થાક અને નબળાઈ અનુભવાય છે. ખાસ કરીને જ્યારે તમે કસરત કરી હોય અથવા પરસેવો પાડીને આવો ત્યારે તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ.
ઠંડા પાણીને બદલે તમે હૂંફાળું પાણી પી શકો છો. દિવસભર નોર્મલ પાણી થોડું-થોડું કરીને પીઓ. આ બધા સિવાય તમે નારિયેળ પાણી, છાશ, લીંબુ પાણી જેવા પીણાં પી શકો છો. દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે, કેટલાક લોકોને ઠંડા પાણીથી નુકસાન થતું નથી, જ્યારે અન્ય લોકોને થઈ શકે છે.
વધુ વાંચો: નાની ઉંમરે ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાથી બચવા ઇચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ, રહેશો હેલ્ધી
જો તમારા શરીરમાં આવી સમસ્યાઓ જોવા મળે છે, તો તમારે ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ. ઉનાળા દરમિયાન, તમે ઠંડા પાણીને બદલે કેટલાક ફળોનું સેવન કરી શકો છો, જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટકકરે એક યુવાનનો જીવ ગયો હતો, ત્યારે શહેર ટ્રાફીક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલઆંખ કરી છે. વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોવા છતાં શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહન હંકારી રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે ભારે વાહન ચાલકો દ્વારા બેફીકરાઈથી વાહન હંકારતા હોઈ પોલીસ દ્વારા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા ભારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરમાં બેફીકરાઈથી વાહન ચલાવતા અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારે વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. અને સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારે વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી તમામને દંડ ફટકાર્યો છે.
યુવાનોએ ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી
ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો પર સર્જિકલ સ્ટ્રાઈકથી પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે. ટ્રાફિક વિભાગની આ ઝુંબેશથી ટ્રાફિક કચેરી બહાર મોટી સંખ્યામાં ભારે વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ભારે વાહન ચાલકો તેમજ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વડોદરાના નાગરિકો ખુશ છે. વડોદરાના યુવાનો ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. સાથે જ કાયમી આજ પ્રકારે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું અને જાહેરનામાનું પાલન થાય તેવી માંગ પણ કરે છે.
વધુ વાંચોઃ કોણ છે વિરમગામનો યુવક ભદ્રેશ પટેલ, જેની પર FBIએ રાખ્યું છે 2.50 લાખ ડૉલરનું ઈનામ
ટ્રાફિક પોલીસ વાહનચાલકોને આરટીઓ મેમો આપીને દંડાત્મક કાર્યવાહી કરાઈ
ડમ્પર સહિત ભારે વાહન ચાલકો પર વડોદરા ટ્રાફિક પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં વાહન માલિકો દોડતા થયા છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકોને આરટીઓ મેમો આપીને દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. પરંતુ લોકોના જીવ બચાવવા હજી કડક કાર્યવાહી કરાય તે ખુબ જરૂરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Iran-Israel News : મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે જેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે એક અહેવાલ મુજબ, શનિવારે (13 એપ્રિલ) એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી બંધ થઈ ગઈ છે. નોંધનિય છે કે, ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસને ટાળીને લાંબા રૂટ દ્વારા તેમના ગંતવ્ય પર જઈ રહી છે.
હકીકતમાં 1 એપ્રિલના રોજ સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. ઈરાની મીડિયા અનુસાર ઈઝરાયેલના હુમલામાં બે જનરલ સહિત રેવોલ્યુશનરી ગાર્ડના સાત સૈનિકો માર્યા ગયા હતા. ઈરાને તે જ સમયે જવાબી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો અને શુક્રવાર (12 એપ્રિલ)થી એવી અપેક્ષા છે કે તેહરાન કોઈપણ સમયે હુમલો કરી શકે છે.
શું કહેવું છે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનું ?
અમેરિકા સહિત અનેક દેશોની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે ઈરાન રવિવાર સુધીમાં ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી શકે છે. જો આ હુમલો થાય છે તો તે મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધ તરફ દોરી શકે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી પ્રોક્સી વોર ચાલી રહી છે પરંતુ હવે સીધા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. 2020માં પણ આવું જ તંગ વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાની ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.
ઇઝરાયેલને ચોક્કસપણે સજા થશે
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ આ સપ્તાહની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે, ઈઝરાયેલને સજા થવી જ જોઈએ અને તે થશે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશમાં કોન્સ્યુલેટ અને એમ્બેસી ઓફિસો તે દેશનો ભાગ છે. જ્યારે તેઓએ અમારા દૂતાવાસ પર હુમલો કર્યો, તો તેનો અર્થ એ કે તેઓએ અમારા પ્રદેશ પર હુમલો કર્યો. તેમના એક સલાહકારે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ઈઝરાયલની દૂતાવાસ ખૂબ સુરક્ષિત નથી.
વધુ વાંચો : ચૂંટણી ટાણે હેલિકોપ્ટરના ભાવ આસમાને! કંપનીઓ કલાકના વસૂલી રહી છે રૂ. 4થી 5 લાખ
ઈરાન હુમલો કરશે તો અમે જવાબ આપીશુંઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે હજુ સુધી નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી નથી, પરંતુ તે સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. તેણે અનેક પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયારી કરી છે. ગુરુવારે વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફારસી ભાષામાં ટ્વિટ કર્યું. જેમાં તેણે કહ્યું હતું કે, જો ઈરાન તેની સીમાથી હુમલો કરશે તો ઈઝરાયેલ પણ જવાબ આપશે અને ઈરાન પર હુમલો કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
તેલુગુ સિનેમાના અભિનેતા અલ્લૂ અર્જૂનની 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પુષ્પા-2એ રિલીઝ પહેલા જ જવાન, આરઆરઆર, સાહો અને બાહુબલી-2 જેવી ફિલ્મને પોતાના મ્યુઝિક રાઈટ્સને લઈને પાછળ છોડી દીધા છે. નિર્દેશક સુકુમારની આ ફિલ્મમાંદેવી શ્રી પ્રસાદ ઉર્ફ ડીએસપીએ સંગીત આપ્યું છે અને આ ફિલ્મના મ્યુઝીકલ રાઈટ્સ જાણકારી અનુસાર 65 કરોડ રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે.
ફિલ્મ પુષ્પા ધ રાઈઝના ગીત તેલુગુના ઉપરાંત હિંદી અને તમિલમાં પણ ખૂબ જ હિટ સાબિત થયા હતા અને હવે પુષ્પા-2 એટલે કે પુષ્પા ધ રૂલના સંગીતને લઈને પણ લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
8 એપ્રિલે રિલીઝ થયું હતું ટીઝર
સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનના જન્મદિવસ 8 એપ્રિલે તેમની આવનાર ફિલ્મ પુષ્પા-2નું ટીઝર રિલીઝ થયું છે. સંગીતકાર દેવી શ્રી પ્રસાદ ઉર્ફ ડીએસપીની તાલ પર તાંડવ કરતા જોવા મળેલા અલ્લૂ અર્જૂનનું અલગ જ રૂપ દર્શકોએ જોયું.
લોકોને ખૂબ પસંદ આવ્યું સંગીત
ફિલ્મ પુષ્પા-2ના ટીઝરમાં સંગીતકાર ડીએસપીની ધુન લોકોને ખૂબ જ પસંદ આવી. ફિલ્મ પુષ્પા-2નું આ ટીઝર તેના હીરો અલ્લૂ અર્જૂનના જન્મદિવસની ભેટના રૂપમાં યુટ્યુબ પર જેવું રિલીઝ કરવામાં આવ્યું. તેણે કલાકની અંદર જ સૌથી ફાસ્ટ પસંદ કરવામાં આવતા ફિલ્મ ટીઝરનો રેકોર્ડ બનાવી દીધો.
વધુ વાંચો: પુષ્પા 2નું ટીઝર જોયું? આ એક સીન 60 કરોડમાં થયો છે શૂટ, કહાની અદભૂત
છેલ્લી ફિલ્મની જેમ જ આ વખતે પણ અલ્લૂ અર્જૂનની સાથે ફિલ્મ એનિમલથી હિંદી ભાષી રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય થઈ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ જોવા મળી. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાન અભિનીત આ ફિલ્મમાં મલયાલમ સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા ફહાદ ફાસિલ પણ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો