આજનું પંચાંગ
14 04 2024 રવિવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ છઠ્ઠ સવારે 11:43 પછી સાતમ
નક્ષત્ર આર્દ્રા
યોગ અતિંગડ
કરણ તૈતિલ સવારે 11:43 પછી ગર
રાશિ મિથુન (ક.છ.ઘ.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે અને સ્નેહીમિત્રોથી સહયોગ મળશે તેમજ પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે
વૃષભ (બ.વ.ઉ.)
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ બનાવી શકશો તેમજ નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે, કરેલો પરિશ્રમ ફળદાયી બનશે અને પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે
કર્ક (ડ.હ.)
સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે તેમજ કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું, નાના પ્રવાસના યોગો બને
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે અને ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે તેમજ લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું અને ખાવાપીવામાં કાળજી રાખવી
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે અને જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે
તુલા (ર.ત.)
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે તેમજ પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું, કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા
વૃશ્ચિક (ન.ય.)
પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે અને વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને જૂની ઉઘરાણીમાં લાભ થશે તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી, સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી, મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે
વાંચવા જેવું: જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માચી જવુ પડે, ત્યારબાદ માચીથી રોપવે મારફતે તેમજ રેવાપથથી દાદર ચઢીને મંદિર સુધી જવાય છે. માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ મહાદેવજીને આમત્રણ આપવામાં ન આવતા, અપમાન સહન ન થતા માં પાર્વતીજી યજ્ઞકુંડમાં કૂદીને પોતાની આહુતિ આપી દીધી જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવઃ કરવા લાગ્યા અને નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા, માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે. યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.
વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ
બીજી એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રસન્ન કર્યા હતા. વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ જ છે. પાવાગઢથી માચી જતા રસ્તામાં આવતા પુરાતન દરવાજાને પાર કરતા જ ભક્તિમય વાતાવરણનો અહેસાસ થવા લાગે છે. ઐતિહાસિક દરવાજાથી આગળ જતા હાલમાં જ નવા બનાવેલા સુંદર મોટા દરવાજા ભવ્ય વર્તમાનનો સાક્ષાતકાર કરાવે છે. રાજ્યના દૂર દૂરના જીલ્લાઓમાંથી વૃદ્ધ યુવાન ભાવિકોના પગપાળા યાત્રાસંઘ અખૂટ શ્રદ્ધા સાથે માતાજીના રથને લઈ ભજન કિર્તન સાથે પાવાગઢ આવતા જ્યાંથી પસાર થાય તે માર્ગનુ વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. ભાવિકો પોતાની આસ્થા સાથે માતાજીના શરણે આવી ધન્ય થાય છે તો એવા પણ માઈ ભક્તો છે જે પગપાળા ભાવિકોની સેવા કરીને ધન્યતા મેળવે છે.
પદયાત્રીઓ માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે
પાવાગઢ પહોંચ્યા બાદ દર્શનાર્થીઓ બસ,લોકલ વાહન અને પોતાના વાહન દ્વારા માચી સુધી પહાડોના સુંદર સર્પાકાર દેખાતા ચારમાર્ગીય રસ્તા દ્વારા ખૂબ સલામત અને સરળતાથી સમયસર પહોંચી શકે છે. માચી સુધી પહોંચવા પહાડીઓમાં પહેલા એકમાર્ગીય રસ્તો હોવાના કારણે દર્શનાર્થીઓને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડતો હતો અને સમયનો પણ વેડફાટ થતો હતો હાલ પહાડીમાં ચારમાર્ગીય રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી દર્શનાર્થીઓ સરળતાથી મા ના દર્શને જઈ પોતાની માનતા બાધા પૂર્ણ કરી શકે છે. જે ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે તેમના માટે પણ નવા રસ્તા ખૂબ આશીર્વાદ સમાન છે કારણકે રસ્તાની બંને બાજુ ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે અને પદયાત્રીઓ માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ભાવિકોને મફતમાં ચા નાસ્તો આપવામાં આવે છે.
રેવાપથ પર થઈને એક હજાર આઠસો સીડીઓ ચડી માતાના ચરણોમાં જવાય છે
ઘણા એવા પણ ભાવિકો હોય છે જે માતાજીના ચરણો સુધી પહાડોના જુના કુદરતી રસ્તા પરથી જવાનુ પસંદ કરી પોતાની આસ્થાનો આત્મસંતોષ માને છે. માચી એક એવો વિસામો છે જ્યાં દર્શનાર્થીઓ માતાના દર્શને જતા પહેલા માતાજીના ચરણો નજીક પહોંચી ગયા અને દર્શન કરીને આવ્યા બાદ દર્શન થઈ ગયાનો હાશકારો અનુભવી વિરામ કરી લે છે. માચીથી મંદિર સુધી જે દર્શનાર્થીઓ ઉડનખટોલા થકી જવા ના માંગતા હોય તે રેવાપથ પર થઈને એક હજાર આઠસો સીડીઓ ચડી માતાના ચરણોમાં પોતાના શીશ ઝુકાવી ધન્ય થાય છે. મંદિરના વિકાસ સાથે માચીથી મંદિર જવા રેવાપથ પર નવા પગથિયા બનાવીને દર્શને જતા ભાવિકો માટે મોટી રાહત કરવામાં આવી છે.
પાવાગઢ પર્વત સુંદર પૌરાણિક શિવાલયો અને જૈનમંદિરો આવેલા છે
ઉડનખટોલાની વ્યવસ્થા સવારે 6.00 થી સાંજે 6.45 સુધી ખુલ્લી રાખવામાં આવે છે. મંદિરે જતાં ઉડનખટોલામાંથી દ્રશ્યમાન થતી મનોરમ્ય પ્રકૃતિ જાણે માતાજીના દર્શન પહેલા ભક્તોને કુદરતની સમીપ લઈ જઈ ભક્તિમાં લીન થવાનુ આહવાન કરતી હોય છે. પાવાગઢ પર્વત પર આવેલા સુંદર પૌરાણિક શિવાલયો અને જૈનમંદિરો ઈતિહાસને જીવંત રાખે છે તો તેની આસપાસના દુધિયા,છાસિયા અને તેલીયા તળાવોનો પણ અનોખો ઈતિહાસ છે. પર્વત પર મંદિરમાં પ્રવેશતા પહેલા સુંદર દ્વાર બનાવવામાં આવ્યા છે જેમાં શંકર ભગવાનના અલગ અલગ રુપના દર્શન થાય છે જ્યાં પૌરાણિક શિવલીંગ મંદિરના ઈતિહાસની સાક્ષી પુરાવે છે. મંદિરે પહોંચતા સીડીઓની જમણી બાજુ ભૈરવદાદા બિરાજે છે. ભાવિકો સૌપ્રથમ ભૈરવદાદાના દર્શન કરે છે અને જો પહેલા ભૈરવદાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે.
ભૈરવદાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે
પર્વતની ટોચ પર માતાજીના મંદિરમાં વચ્ચે સ્વયં પ્રગટ કાલીકા માતાજી અને પ્રતિષ્ઠામૂર્તિ મહાકાલીમાં બિરાજમાન છે. જ્યારે જમણી બાજુ લક્ષ્મીજી આસન શોભાવે છે. તો ડાબીબાજુ વિદ્યાની દેવી માં સરસ્વતી માતાજી બિરાજમાન છે. શારદાપીઠ હોવાથી બહુચરમાંનો ગોખ કહેવાય છે. મંદિરના દ્વાર પાસે જમણી બાજુ ગણેશજી બિરાજમાન છે. ડાબીબાજુ હનુમાનજી બિરાજે છે. બપોરે બાર વાગે માતાજીને ભોગ ધરાવવા મંદિરના મુખ્યદ્વાર બંધ કરવામાં આવે છે ત્યારે મંત્રોચાર અને મંદિરના ઘંટારવથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે. ભોગ ધરાવ્યા બાદ માતાજીના જયજયકાર સાથે મંદિરના દ્વાર માઈભક્તોના દર્શન માટે ફરી ખુલ્લા મુકવામાં આવે છે.
ભક્તો ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે
મુખ્યદ્વારમાં માતાજીના ચરણ પાદૂકા રાખવામાં આવ્યા છે.. માતાજીના જમણા પગનો અંગુઠો અને આંગળીઓ અહિં પડ્યા હતા એટલે પાવાગઢમાં પાદૂકાપૂજનનુ વિશેષ મહત્વ છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે છે અને પોતાના રોકાઈ ગયેલા કામ માતાજીની માનતા રાખવાથી પુરા થવાની માન્યતા સાથે પ્રત્યક્ષ માં ના દર્શન કરી ભક્તો તેમની આસ્થા પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરે છે.
આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્રમાંથી ખુબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, પગપાળા સંઘો માતાના દરબારમાં ગરબા અને માતાજીની સ્તુતિ ગાઈ સંગીત અને ડીજેના તાલે ભક્તિમાં મગ્ન બની જાય છે. લોકવાયકા પ્રમાણે પાંચસો વર્ષથી મંદિરના શિખર પર ધ્વજારોહણ નહોતુ થતુ કારણ કે શિખર ખંડીત હતુ ભારતિય સંસ્કૃતિ પ્રમાણે ખંડિત શિખર પર ધજા ના લગાવી શકાય. ચૌદ મહિનામાં મંદિરનુ નવીનીકરણ થતા નવા શિખર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યા બાદ ભક્તોની આસ્થાનો નવો દ્વાર ખુલી ગયો છે.
દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે
મા કાલિકાના દર્શને આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે. મંદિર પર ધજા ચડાવતા પહેલા ધજાને માતાજીના ચરણોમાં મુકવામાં આવે છે અને બાદમાં ધજાની પૂજનવિધી કરીને તેને શિખર પર ચડાવવામાં આવે ત્યારે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગરબે ઘુમી વાતાવરણમાં ભક્તિમય તરંગો ઉત્પન્ન કરી દે છે. ઠંડી હવાની લહેરખી ભક્તોને સ્પર્શી જાણે તેમના થાકને વાતાવરણમાં વિખેરી નાખે છે, તો લહેરાતી ધજાઓ જાણે પવનની કણકણ સાથે દૂરદૂર સુધી ધર્મ સંસ્કૃતિને ફેલાવો કરે છે. ભક્તોમાં આસ્થા તો હતી જ પણ મંદિરના વિકાસ બાદ એકલા દર્શને આવતા ભક્તો હવે પરિવાર સાથે આવતા થયા છે, પહેલા વર્ષે લાખો ભક્તો આવતા હતા તે વધીને કરોડોની સંખ્યામાં આવતા થયા છે.
આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે
ભાવિકો પોતાની અલગ અલગ માનતા પ્રમાણે માતાજીના શરણે આવે છે ઘણા ભાવિકો નગારા શરણાઈ સાથે આવે છે. આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે.. મંદિરના નવીનીકરણ અને માતાજીના શરણે શાંતિના અનુભવ બાદ ભાવિકો ખૂબ જ ખુશી વ્યક્ત કરતા સંસારથી દૂર રહી અહિં માતાજીના ચરણોમાં બેસી રહેવાની પ્રબળ ઈચ્છા રાખે છે ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક ભક્તો માતાજીના વેશ ધારણ કરીને મંદિરે આવતા હોય છે. પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખુબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે.
સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે
પર્વતની ઉંચાઈ જોઈ આત્મવિશ્ર્વાસ ડગી જાય અને પગથીયા ચડતા જ શરીરમાં અલૌકીક શક્તિનો પ્રસાર પૂરા વિશ્ર્વાસથી માતાજીના મંદિર સુધી લઈ જાય એજ આસ્થાની અનેરી શક્તિ છે. વિવિધ સમાજની કુળદેવી માં કાળી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને અખૂટ શ્રદ્ધા ધરાવતા માં કાલીના કરોડો ભક્તો પાવાગઢ દર્શને આવી પોતાનામાં નવી શક્તિનો સંચાર મહેસુસ કરે છે. શુદ્ધ ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બનતો સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે, સતત દર્શનાર્થીઓના ધસારાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં નીચે દિવસ દરમ્યાન પ્રસાદ બનાવવાનુ ચાલુ જ રહે છે.
પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખુબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે
ઉડનખટોલામાંથી ઉતર્યા બાદ મંદિરે પહોંચવા બીજી સીડીઓ ચડવી તે વૃદ્ધો માટે તકલીફ ભર્યુ છે, વૃદ્ધો પણ સરળતાની મંદિર સુધી લીફ્ટ મારફતે પહોંચી માતાના દર્શનનો લાભ લઈ શકે તે માટે લીફ્ટનુ કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. હિન્દુ ધર્મની સાથે સાથે પાવાગઢ પર જૈનદેરાસરો,મુસ્લિમ ધાર્મિક સ્થળો, સ્થાપત્યો અને 100 ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ્સ સાઇટ્સ પણ આવેલા હોઈ તમામ ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવી માં ના દર્શન કરી કુદરતી વાતાવરણનો આનંદ લઈ નવી શક્તિનો સંચાર લઈ ધન્ય થાય છે.
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, તમારો નંબર શોધવા માટે, તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક નંબર 5 હશે.
મૂળાંક 1
અંક 1 વાળા લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક રહેશે. આજે ખુલ્લા હાથે નવા પડકારોનો સ્વીકાર કરો. વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપતો સર્જનાત્મક દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. નવી તકો તમારી સમક્ષ રજૂ કરશે, જે મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. ફેરફાર સ્વીકારો.
મૂળાંક 2
મૂળાંક 2 વાળા લોકો માટે આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. પરીક્ષાઓથી ભરેલો દિવસ, પણ એટલું જ ફાયદાકારક પરિણામ. તમારી શ્રદ્ધા રાખો અને સતત કામ કરતા રહો. નફો અનલૉક કરો. આજે આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરો.
મૂળાંક 3
આજનો દિવસ 3 નંબર ધરાવતા લોકો માટે વિકાસની તકો તરફ ઈશારો કરી રહ્યો છે. ભાવનાત્મક અને વ્યાવસાયિક પડકારોનો સામનો કરવા માટે સજાગ રહેવું જરૂરી છે. આજની ગ્રહોની સ્થિતિ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં કામ સાથે સંતુલિત ઈચ્છાઓને પડકારે છે.
મૂળાંક 4
મૂળાંક 4 વાળા લોકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેવાનો છે. પરિવર્તનને સ્વીકારો અને તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો. દિવસ વ્યક્તિગત વિકાસ અને વ્યાવસાયિક તકોને આમંત્રણ આપે છે. તમારી અંતર્જ્ઞાન તમને માર્ગદર્શન આપશે. આજે પ્રેમના મામલામાં તમારા જીવનસાથીની વાત સાંભળવી વધુ સારું રહેશે.
મૂળાંક 5
5 નંબર વાળા લોકો આજે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા છે જે વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ખુલ્લા હૃદયથી તકોને સ્વીકારવી મહત્વપૂર્ણ છે. આજે સંબંધોમાં સંતુલન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગેરસમજના કારણે વિવાદ થઈ શકે છે. તમારા વિચારો અને ઇરાદા સાફ કરો.
મૂળાંક 6
નંબર 6 વાળા લોકો માટે 13 એપ્રિલનો દિવસ પરેશાન થવાનો છે. મુશ્કેલીઓ પર કાબુ મેળવવો આજે તમારા દિવસને પ્રકાશિત કરે છે, જે પડકારો અને તકો બંને લાવી શકે છે. પૈસાની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો આજે બહારનો ખોરાક ખાવાનું ટાળો.
મૂળાંક 7
આજનો દિવસ 7 નંબર વાળા લોકો માટે આત્મ-પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કામનું વધારે દબાણ ન લો. મુશ્કેલીઓ આવતી અને જતી રહે છે. પૈસા તો ચોક્કસ આવશે પણ તમારા ખર્ચાઓ પણ વધવાના છે. પ્રેમના મામલામાં સ્ટાર્સ તમારી સાથે છે.
મૂળાંક 8
મૂળાંક અંક 8 વાળા લોકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. વિવાહિત યુગલો તેમના જીવનસાથી સાથે સારો સમય વિતાવશે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે, તમે કદાચ ટોપ કર્યું હશે અથવા તમને તમારી મનપસંદ કૉલેજમાં એડમિશન મળ્યું હશે. ખર્ચ પર નિયંત્રણ રાખો.
વધુ વાંચો : કમુરતા પૂર્ણ..એપ્રિલમાં 9 દિવસ લગ્નના શુભ મુહૂર્ત, બાદમાં 2 મહિનાની જોવી પડશે રાહ
મૂળાંક 9
મૂળાંક 9 વાળા લોકો માટે આજનો દિવસ થોડો તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. કામને લગતી ઉતાવળ વધી શકે છે. કેટલાક લોકોને તેમના બોસ તરફથી ઠપકો પણ સહન કરવો પડશે. આજે કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહો. તમે જેટલા સકારાત્મક છો, તેટલું સારું છે. આજે તમારું મનપસંદ ભોજન ટ્રાય કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
એ એપ્રિલ મહિનો હતો જ્યારે 28 વર્ષની રાહનો અંત આવ્યો. તે 2જી એપ્રિલની રાત હતી, જ્યારે ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદય અને દિમાગમાં એક સિક્સર કાયમ માટે વસી ગઈ હતી. એમએસ ધોની દ્વારા લાંબા ઓન બાઉન્ડ્રી પર એ ઐતિહાસિક છગ્ગાએ ભારતને બીજી વખત ક્રિકેટ જગતમાં ચેમ્પિયન બનાવ્યું. 13 વર્ષ પહેલા ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને કરોડો ભારતીયોને ખુશીઓથી ભરી દીધા હતા. કદાચ આ જ મેદાન પર તેની છેલ્લી મેચ પહેલા ધોની ફરી એકવાર તે ટ્રોફી સાથે જોવા મળ્યો અને ચાહકોની જૂની યાદો તાજી કરી. વર્લ્ડ કપ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે પોતાની ધરતી પર ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ ભારત માત્ર બીજી વખત જ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું અને વર્લ્ડ કપ જીતનાર પ્રથમ યજમાન દેશ બન્યો.
MS Dhoni 🤝 World Cup Trophy
— BCCI (@BCCI) April 13, 2024
Made for each other❤️
📌 BCCI HQ | @msdhoni | #TeamIndia pic.twitter.com/4Bak4bG7pA
ધોનીએ ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના હાથમાં લીધી
તે ફાઇનલમાં ધોનીએ 92 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ગૌતમ ગંભીર (97) સાથે મળીને ભારતની જીત પર મહોર મારી હતી. ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલશેખરાના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. તે જીતના 13 વર્ષ પછી ધોનીએ ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના હાથમાં લીધી, જે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં BCCI હેડક્વાર્ટરમાં રાખવામાં આવેલી ટ્રોફી મળી હતી.
Feels like yesterday 🎶 pic.twitter.com/g3svisMN5E
— Johns (@JohnyBravo183) April 13, 2024
ચાહકોની યાદો તાજી થઈ
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં ધોની ટ્રોફીને હાથ વડે પ્રેમ કરતો અને તેને જોઈને હસતો જોવા મળ્યો હતો. પછી શું થયું, છેલ્લા 13 વર્ષથી ફરી ચેમ્પિયન બનવાની રાહ જોઈ રહેલા ભારતીય પ્રશંસકોની યાદો તાજી થઈ ગઈ અને તેઓએ કોમેન્ટમાં પૂર્વ કેપ્ટન પર ઘણો પ્રેમ વરસાવ્યો.
Petition to BCCI to take a picture of MS standing next to all 3 ICC trophies he won as leader🥹
— ` (@bdrijalab) April 13, 2024
વધુ વાંચો : 6,6,6,6,6,6...24 વર્ષના બેટરનો વર્લ્ડ રેકોર્ડ, એક ઓવરમાં ફટકાર્યા છ છગ્ગા
વાનખેડેમાં ધોનીની છેલ્લી મેચ?
ટ્રોફી સાથેની આ મુલાકાત એમએસ ધોની માટે ખૂબ જ ખાસ છે કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં એક વ્યાવસાયિક ક્રિકેટર તરીકે ધોનીનું આ છેલ્લું પગલું હોઈ શકે છે. તે લગભગ નિશ્ચિત છે કે ધોનીની આઈપીએલમાં આ છેલ્લી સિઝન છે અને આ પછી તે નિવૃત્તિ લઈ લેશે. ચેન્નાઈને આ સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં ફરી કોઈ મેચ રમવાની તક નહીં મળે કારણ કે પ્લેઓફ મેચ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. આવી સ્થિતિમાં ધોનીએ છેલ્લી મુલાકાતને પણ યાદગાર બનાવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સુપ્રસિદ્ધ ગણપતિધામ એવા મહેસાણાના ઐઠોર ગામે આવેલું છે. આ ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ અને અનાજ ઉપરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વરતારો લગાવવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા આ શુકન મેળા દરમિયાન ઐઠોર ગામમાં ખેતી,વેપાર - ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે.
વરતારાનું વર્ષો જૂનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, આશરે 1200 વર્ષ કરતા વધારે પ્રાચીન ઐઠોરનું ગણપતિ ધામ છે. 800 વર્ષથી શુકનનો મેળો યોજાય છે. જેમાં તલાટી તરીકે ઓળખાતા પરીવારના સભ્યો શુકન લખે છે. જેમાં ઐઠોર ગામના વડીલો અને નાયક ભાઈઓ દ્વારા ફૂલો અને અનાજના શુકન જોવામાં આવે છે. શુકન પ્રમાણે મંદિરના તલાટી શુકન લખતા જાય છે. શુકન દરમ્યાન નાયક ભાઈઓ ત્રણ દિવસ સુધી ભવાઈનો વેશ કાઢે છે. જે ભવાઈ દરમિયાન ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલા શબ્દોનું અર્થઘટન કરી આખા વર્ષનું વર્ષ ફળ એટલે કે વરતારો નીકાળવામાં આવે છે.
ફૂલો અને અનાજથી જોવાય છે શુકન
પહેલા મુખવાણીથી વરતારો જોવામાં આવતું હતું પરંતુ અમુક સમય બોલાયેલા શબ્દોનું અર્થઘટ બદલાતા હવે ફૂલો અને અનાજના શુકન જોવામાં આવે છે.ત્યારે આ વખતે ઐઠોર ગણપતિ દાદા મંદિર ખાતે આગામી વર્ષ ફળ વરતારો નીકળ્યો છે.
શું છે આગમી વર્ષનો વરતારો ?
વરસાદ સારો રહેશે
ચોમાસાનું આગમન વહેલું થશે
વર્ષ એકંદરે 10 આની રહેશે
રવિપાક સારો રહેશે
વર્ષ એકંદરે શાંતિમય રહેશે
રાજકીય પરિસ્થિતિ મજબૂત રહેશે
વધુ વાંચો : કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 નામો કર્યા જાહેર, મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ, જુઓ લિસ્ટ
દર વર્ષે અહીં હજારો અને લાખોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે. અહીં આવતા અનેક ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અહીં શ્રદ્ધાળુ માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગુજરાતના એક વેપારી પરિવારે પોતાની આખી જિંદગીની કમાણી દાન કરીને દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. તેમની સંપત્તિ 200 કરોડ રૂપિયાની આસપાસ છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રહેતા ભાવેશ ભાઈ ભંડારીએ તેની પત્ની જિનલ ભંડારી સાથે ભૌતિક જીવનની તમામ સુખ-સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે. તે દીક્ષા લઇને પોતાનું બાકીનું જીવન સંયમના માર્ગે પસાર કરશે.સોશિયલ મીડિયા આ પગલા પર આશ્ચર્ય વ્યક્ત કરતી પોસ્ટ્સથી ભરેલું છે.
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હતા
સાબરકાંઠાના સમૃદ્ધ પરિવારના ભાવેશ ભાઈ ભંડારીનો ઉછેર સુખ-સુવિધાઓમાં થયો હતો. તેઓ સાબરકાંઠા અને અમદાવાદ બંને જગ્યાએ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ભાવેશ ભાઈ અને તેમની પત્ની બંનેએ તપસ્વી જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી છે.
બાળકો પહેલેથી જ સાધુ બની ગયા છે
ભાવેશભાઈના બાળકો ભૌતિક જીવનમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. વર્ષ 2022માં તેમનો 16 વર્ષનો દીકરો અને 19 વર્ષની દીકરી નિવૃત્ત થયા હતા. તેમના બાળકોના નિર્ણયથી પ્રેરાઈને ભાવેશ ભાઈ અને તેમની પત્નીએ પણ તેમ કરવાનું નક્કી કર્યું.
ભવ્ય શોભાયાત્રા
હિંમતનગરમાં આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ભંડેરી દંપતીએ 35 અન્ય લોકો સાથે અનુશાસિત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. અંદાજે 4 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં ભાવેશ ભાઈએ તેમની રૂ. 200 કરોડની સંપત્તિનું દાન કર્યું હતું. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, 22 એપ્રિલના રોજ, તેઓ હિંમતનગર રિવરફ્રન્ટ ખાતે ત્યાગનું જીવન જીવવા માટે આગળ વધશે.
લોકસભાની ચૂંટણીને લઈ દેશભરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીને લઈ સર્જાયેલો વિવાદ હવે શાંત પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હવે ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ સાધુ-સંતોની સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી.
રૂપાલાની સાધું-સંતો સાથે બેઠક
ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન વચ્ચે રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
જામસાહેબે શું કહ્યું હતું ?
જામસાહેબે કહ્યું હતું કે, રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ. જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ ઉમેર્યું હતું કે, રૂપાલા બે વાર માફી માગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની માફી માગવી જોઈએ.
જાણો સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
એપ્રિલ મહિનો લગભગ અડધો વીતી ગયો છે. ઉનાળાની મોસમ દરેક પસાર થતા દિવસો સાથે નજીક આવી રહી છે. દરમિયાન, દિલ્હી એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની રહ્યું છે અને વરસાદની સંભાવના છે. બદલાતા હવામાનમાં શરદી અને ઉધરસ ખૂબ સામાન્ય છે. આવી સ્થિતિમાં વહેતું નાક, ગળામાં દુખાવો, ઉધરસ, તાવ અને થાક જેવા લક્ષણો આવી શકે છે. આ ઋતુમાં સારા સ્વાસ્થ્ય માટે શરીરનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ તેમ છતાં, જો વાયરલ તાવ આવે છે, તો તેની સારવાર માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે. ચાલો આ લેખમાં એવા 5 ઘરેલું ઉપાયો વિશે જાણીએ જે તમારા માટે કારગર સાબિત થઈ શકે છે.
1. આદુની ચા
આદુમાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુની ચા બનાવવા માટે, એક કપ પાણીમાં આદુનો એક ઇંચનો ટુકડો ઉમેરો અને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં ખાંડ ( જો કે ખાંડ કરતા ગોળ વધારે સારો) અને ચાની પત્તી નાંખો અને દૂધ ઉમેરો..થોડીવાર માટે આ મિક્સ હલાવીને પછી ઉકળવા દો.
2. હળદરનું દૂધ
હળદરમાં બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે જે શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં 1/2 ચમચી હળદર અને થોડું કાળા મરી મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીઓ.
3. લસણ
લસણમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસને કારણે થતા ચેપ સામે લડવામાં મદદ કરે છે. લસણની 2-3 કળી કાચી ખાવી અથવા ગરમ પાણીમાં ઉકાળીને પીવી.
4. મધ અને લીંબુ
મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને 1/2 લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
આ ઘરગથ્થુ ઉપચારો સાથે, તમે કેટલાક વધુ સૂચનોને અનુસરી શકો છો
આપણા ઘરમાં સોફા એ લિવિંગ રૂમમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે અને તેથી જ તે ઝડપથી ગંદા થઈ જાય છે. જો તમારો સોફા પણ ધૂળ અને ડાઘથી ભરેલો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને કેટલીક ખૂબ જ સરળ રીતો જણાવીશું જેના દ્વારા તમે તમારા સોફાને સરળતાથી સાફ કરી શકશો. આ યુક્તિઓ એટલી અસરકારક છે કે તમારો સોફા મિનિટોમાં નવા જેવો દેખાશે. ચાલો જોઈએ કે આ ખાસ પદ્ધતિઓ કઈ છે અને તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.
વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો
સોફા સાફ કરવા માટે વેક્યુમ ક્લીનર એ એક ઉત્તમ સાધન છે. તે સોફાના દરેક ખૂણા અને તિરાડમાં અટવાયેલી ધૂળ અને નાના કણોને સરળતાથી સાફ કરે છે. આનો ઉપયોગ કરીને તમે સોફાને સારી રીતે સાફ કરી શકો છો અને ધૂળથી છુટકારો મેળવી શકો છો. તે સોફાને ઊંડી સફાઈ કરવામાં મદદ કરે છે અને તેને નવા જેવો દેખાડે છે.
સ્ટેન રીમુવરનો ઉપયોગ કરો
ડાઘ દૂર કરવા માટે સ્ટેન રીમુવરનો ઉપયોગ કરો. તેનાથી સોફા ફેબ્રિકને કોઈ નુકસાન થતું નથી અને ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે. સ્ટેન રિમૂવર લગાવવાથી સોફાના જિદ્દી ડાઘ પણ કોઈ પણ પ્રકારના સ્ક્રેચ વગર સાફ કરી શકાય છે, જેના કારણે તમારો સોફા ફરીથી નવા જેવો દેખાવા લાગે છે. સોફા સાફ કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે.
ખાવાનો સોડા વાપરો
બેકિંગ સોડા તમારા સોફામાંથી ડાઘ અને ગંધ બંનેને દૂર કરી શકે છે. તેને સીધા સોફા પર છાંટો અને થોડા સમય પછી વેક્યૂમ ક્લીનરથી સાફ કરો. ખાવાનો સોડા સોફા પરના હળવા ડાઘ દૂર કરે છે અને તાજગી પણ લાવે છે. આ પદ્ધતિ સસ્તી પણ છે અને સોફાને નવો દેખાડવામાં મદદ કરે છે.
વધુ વાંચો : કાળા પડી ગયેલા ઘરેણાને ચમકદાર બનાવવા છે ? આ નુસખા આવશે ખાસ કામ
હળવા ડીટરજન્ટ સોલ્યુશનનો ઉપયોગ
તેને ગરમ પાણીમાં ડિટર્જન્ટ ભેળવીને તૈયાર કરો. આ સાબુના પાણીને સોફાના ડાઘ પર લગાવો. પછી તેને નરમ કપડાથી સારી રીતે લૂછી લો. આ સરળ ઉપાય ધીમે ધીમે સોફા પરથી ડાઘ દૂર કરશે અને તેને સાફ કરશે, જેનાથી તમારો સોફા ફરીથી નવો દેખાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગુજરાતમાં 7મેના દિવસે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. મતદાનને એક મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે. ભાજપ પહેલેથી 26 એ 26 બેઠકના ઉમેદવારો જાહેર કરી ચૂક્યો છે ત્યારે હવે કોંગ્રેસે પણ આજે નવા ચાર સાથે તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી ચૂક્યાં છે.
ગુજરાતમાં લોકસભાના તમામ ઉમેદવારનું લિસ્ટ#gujarat #LokSabaElection2024 #bjpgujarat #gujaratcongress #LokSabhaElection #bjpcandidateslist #congresscandidatelist #vtvgujarati pic.twitter.com/7g7WqbsBLG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 13, 2024
હાઈ પ્રોફાઈલ બેઠકો પણ કોણ?
આ વખતની લોકસભાની ચૂંટણીમાં પરષોત્તમ રુપાલાને કારણે રાજકોટ હાઈપ્રોફાઈલ બેઠક છે. અહીં ભાજપે પરષોત્તમ રુપાલા તો કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. રુપાલાએ દલિત અને ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીથી મોટો વિવાદ પેદા થયો છે જેને કારણે પણ બેઠકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ગાંધીનગરથી અમિત શાહ
રાજકોટની ઉપરાંત ગાંધીનગર પણ હાઈ પ્રોફાઈલ બેઠક બની રહી છે અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતનો મુકાબલો કોંગ્રેસના સોનલ પટેલની સામે થશે.
Lok Sabha Elections 2024 | Congress releases another list of 16 candidates for the general elections.
— ANI (@ANI) April 13, 2024
Vikramaditya Singh to contest from Mandi (against BJP candidate Kangana Ranaut), Manish Tewari from Chandigarh. pic.twitter.com/jIGHjjD5ql
કોંગ્રેસે 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો નામ જાહેર કર્યા#gujarat #vidhansabha #byelection2024 #byelectiongujarat #congress #breakingnews #vtvgujarati pic.twitter.com/wpqBsBHv6Y
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 13, 2024
આમ આદમી પાર્ટી ફક્ત બે બેઠકો પર લડશે
ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે જેમાં ભાવનગર અને ભરુચ સામેલ છે. ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને ભરુચથી ચૈતર વસાવા ચૂટણી લડી રહ્યાં છે.