Surendranagar Rain Forecast : સુરેન્દ્રનગર પંથકમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવાથી કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને રણમાં પ્રવેશ ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રણમાં વરસાદની સંભાવનાને પગલે લોકોએ સાવચેતી રાખી વરસાદ છે કે નહીં તેની ખાત્રી કર્યા બાદ જ રણમાં પ્રવેશ કરવાનો રહેશે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહીને લઈ કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો લખમણભાઈ પ્રમુખ વચ્છરાજ બેટ, મો:- 9427551454, વેલજીભાઈ ઉપપ્રમુખ વચ્છરાજ બેટ, મો:-9879123480નો સંપર્ક કરી શકાશે. આ સાથે ધ્રાંગધ્રા તરફથી આવનાર શ્રદ્ધાળુઓને રણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ઘુડખર અભયારણ્ય વન વિભાગના હેરમા, મો:- 9409486566 અને ઝીંઝુવાડા તરફથી આવનારા શ્રદ્ધાળુઓ વિષ્ણુભાઈ, મો:-7990498884નો સંપર્ક કરી શકશે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં કેટલાક જીલ્લાઓ પર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. 14 એપ્રિલનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે બે દિવસ બાદ રાજ્યનું મહત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જેથી બફારા જેવી સ્થિતિ સર્જાશે.
વધુ વાંચો : ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી શકે, હવામાન વિભાગની સક્રિય આગાહી
આજે એટલે કે 14 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનનો પારો ગગડશે. 2 થી 3 ડીગ્રી જેટલુ તાપમાન ઘટતાં લોકોને ગરમીથી રાહત મળશે. જ્યારે 2 દિવસ બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન વધતાં લોકોને હીટવેવનો અહેસાસ થશે. હાલમાં તાપમાનનો પારો વધતાં ગરમીથી રાહત મેળવવા શક્કરટેટી અને તરબૂચનુ વેચાણ વધ્યુ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ છેલ્લા 39 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છે પરંતુ તે એક પણ વખત જીત્યો નથી. આ વ્યક્તિ છે 78 વર્ષના હસનુરામ આંબેડકરીની 'ધરતી પકડ'. તેમણે પ્રથમ વખત 1985 માં રાજ્યની ચૂંટણી લડી હતી, પરંતુ 98 ચૂંટણીમાં પરાજય હોવા છતાં, 'ધરતી પકડ' હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે એટલા જ ઉત્સુક છે.
એ તો જાણીતું જ છે કે આગ્રામાં 12 માર્ચથી લોકસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે જિલ્લા મુખ્યાલય પર હસનુરામ જોવા મળ્યા હતા જે 1985થી ચૂંટણી લડી રહ્યો છે.
આગ્રાના હસનુરામ આંબેડકર 'ધરતી પકડ' 98 ચૂંટણી હાર્યા પછી, 78 વર્ષીય વૃદ્ધ હજુ પણ આ લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન દાખલ કરીને 100 ચૂંટણી લડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત છે. મનરેગા મજૂર તરીકે પોતાનું ગુજરાન ચલાવતા આંબેડકરી કહે છે, 'આ વખતે પણ મને ખાતરી છે કે હું બંને બેઠકો પર હારી જઈશ. પરંતુ, મારું લક્ષ્ય 100મી વખત ચૂંટણી લડવાનું છે અને તે પછી હું કોઈ ચૂંટણી લડીશ નહીં.'
હસનુરામના ચૂંટણી લડવા પાછળની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. હસનુરામના કહેવા પ્રમાણે, સૌથી પહેલા તેણે BAMCEF પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ BAMCEFએ તેમનું અપમાન કર્યું અને તેમને ટિકિટ ન આપી. ત્યારે જ એમને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી હસનુરામ આંબેડકરી વોર્ડ સભ્યથી પ્રમુખ સુધીની ચૂંટણી લડી ચુક્યા છે.
આંબેડકરીએ કહ્યું, “મેં 1985થી ગ્રામ પ્રધાન, રાજ્ય વિધાનસભા, ગ્રામ પંચાયત, MLA, MLC અને લોકસભાની ચૂંટણી લડી છે. મેં ભારતના રાષ્ટ્રપતિ પદ માટે પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.
વધુ વાંચો: PM મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: લોકોને કઈ કઈ ગેરંટી આપી
સતત અપક્ષ ચૂંટણી લડવાની અને હારવાની તેમની સફર ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે તેમને પ્રખ્યાત કાકા જોગીન્દર સિંહ 'ધરતી પકડ' પરથી 'ધરતી પકડ'નું ઉપનામ મળ્યું. કાકા જોગીન્દર સિંહ 300 થી વધુ ચૂંટણી લડ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. ત્યારથી આવા ઉમેદવારોને 'ધરતી પકડ'નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ માટે ઉમેદવાર બનાવ્યો તે બદલ મોવડી મંડળનો આભાર છે. તેમજ 2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે. તમામ મોરચે લોકોની નારાજગી દૂર થશે. તેમજ ભાજપને જનતા જવાબ આપશે.
આગામી પાંચ વર્ષ રાજકોટનાં પ્રશ્નોને વાંચા આપવાનોઃ પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારનાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાજ રાજકોટનાં રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. આ લડાઈ રાજકોટનાં સાંસદ બનવાની નથી. પરંતું આગામી પાંચ વર્ષ રાજકોટનાં જે પ્રશ્નો છે તેને વાચા આપવાની છે. રાજકોટ સામે જ પડકારો છે તે પડકારોને ઝીલવા માટેની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટનાં રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જનજનનાં આર્શીવાદ મળશે.
વધુ વાંચોઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત, સંઘમાં જતાં 3 યાત્રાળુને કચડી માર્યા, હાઈવે પર લોહીના રેલા
રાજકોટમાં હવે કડવા-લેઉવા પાટીદારનો જંગ જામશે
રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. તેમજ ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે તેના ઢંઢેરામાં વિકસિત ભારત માટેના તેના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. નોંધનિય છે કે, પાર્ટીએ મેનિફેસ્ટોનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. કમિટીએ અનેક રાઉન્ડની બેઠકો બાદ આ ઠરાવ પત્ર તૈયાર કર્યો છે. સંકલ્પ પત્રની શરૂઆત બાદ દેશના દરેક વર્ગના કેટલાક લોકોને સંકલ્પ પત્રની નકલ આપવામાં આવી હતી.
અહીં ક્લિક કરી જુઓ ભાજપનું સંકલ્પ પત્ર
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, આજનો દિવસ ખૂબ જ શુભ છે. આ સમયે દેશના ઘણા રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે, નવરાત્રિના છઠ્ઠા દિવસે, આપણે બધા મા કાત્યાયનીની પૂજા કરીએ છીએ અને મા કાત્યાયની પોતાના બંને હાથોમાં કમળ ધારણ કરે છે. તેણે આગળ કહ્યું, “આ સંયોગ પણ એક મોટો આશીર્વાદ છે. આમાં ઉમેરો કરવા માટે આજે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પણ છે. આવા શુભ મુહૂર્તમાં આજે ભાજપે વિકસિત ભારતનો ઢંઢેરો દેશ સમક્ષ મૂક્યો છે. હું તમને બધાને, બધા દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "Cloud of uncertainty is hovering over the world today. There is a situation of war. The world is tense. In such times of crisis, the security of Indians living in these regions is our priority.… pic.twitter.com/twWwy3mXBG
— ANI (@ANI) April 14, 2024
BJPના મેનિફેસ્ટોનું અનાવરણ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અમારું ધ્યાન જીવનની ગરિમા, જીવનની ગુણવત્તા અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે. મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. અમે સુનિશ્ચિત કરીશું કે ગરીબોને આપવામાં આવતો ખોરાક પૌષ્ટિક, સંતોષકારક અને સસ્તું હોય. PM મોદીએ કહ્યું કે, હવે અમે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ, દરેકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. અમે વધુ 3 કરોડ નવા મકાનો બનાવીશું, અમે તમામ ઘરો માટે સસ્તું પાઈપલાઈન ગેસ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરીશું, અમે વીજળીનું બિલ શૂન્ય પર લાવવાની દિશામાં કામ કરીશું, PM સૂર્યઘર બિલ યોજના શરૂ કરવામાં આવશે. ઘરે મફત વીજળી, મુદ્રા યોજનાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા, અપંગોને પણ આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
#WATCH | On Bullet and Vande Bharat trains, Prime Minister Narendra Modi says, "BJP will also expand Vande Bharat trains to every corner of the country. 3 models of Vande Bharat will run in the country - Vande Bharat Sleeper, Vande Bharat Chaircar and Vande Bharat Metro. Today… pic.twitter.com/v2RLZ2TnVk
— ANI (@ANI) April 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તકોની સંખ્યા અને ગુણવત્તા બંને પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એક તરફ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન દ્વારા મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરવાની વાત કરી છે. બીજી તરફ અમે સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક કેન્દ્રોને પ્રોત્સાહન આપીને ઉચ્ચ મૂલ્યની સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ભાજપ સરકારે ગરીબો માટે 4 કરોડ કાયમી મકાનો બનાવ્યા છે. હવે અમને રાજ્ય સરકારો પાસેથી જે વધારાની માહિતી મળી રહી છે તેને ધ્યાનમાં લઈને અમે તે પરિવારોની ચિંતા કરતા 3 કરોડ વધુ મકાનો બનાવવાના સંકલ્પ સાથે આગળ વધીશું. અત્યાર સુધી અમે દરેક ઘરમાં સસ્તા સિલિન્ડરો પહોંચાડ્યા હતા હવે અમે દરેક ઘરમાં સસ્તો પાઈપ્ડ રાંધણ ગેસ પહોંચાડવા માટે ઝડપથી કામ કરીશું.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "BJP is going to strengthen the foundation of India of the 21st century through three kinds of infrastructure - 1) social infrastructure, 2) digital infrastructure, 3) physical infrastructure. We… pic.twitter.com/Gv4JJfNtPI
— ANI (@ANI) April 14, 2024
દેશમાં વધુ ત્રણ બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવશેઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપે સંકલ્પ કર્યો છે કે દેશના પશ્ચિમ ભાગમાં બુલેટ ટ્રેન (અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર)નું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને લગભગ પૂર્ણ થવાના માર્ગે છે. તેવી જ રીતે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં પ્રત્યેક એક બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવશે.આ માટે સર્વેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારો સંકલ્પ પત્ર યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે! છેલ્લા દસ વર્ષમાં ભારતના લગભગ 25 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ કામ કરવા માટે પરિણામલક્ષી અભિગમ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની મજબૂત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આજે ભારત મહિલા નેતૃત્વ વિકાસમાં વિશ્વને દિશા બતાવી રહ્યું છે. છેલ્લા 10 વર્ષ મહિલાઓના ગૌરવ અને મહિલાઓ માટે નવી તકો માટે સમર્પિત છે. આવનારા 5 વર્ષ મહિલા શક્તિની નવી ભાગીદારીનું હશે.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "...The benefits under PM-Kisan Samman Nidhi will continue for the 10 crore farmers of the country even in the time to come. With the vision of 'Sahkarita Se Samriddhi', the BJP will introduce… pic.twitter.com/svSpv0qhod
— ANI (@ANI) April 14, 2024
BJPના મેનિફેસ્ટોનું અનાવરણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું, જેમને કોઈએ પૂછ્યું નથી, મોદી તેમને પૂછે છે. આ જ સબકા સાથ, સબકા વિકાસની ભાવના છે અને આ જ ભાજપના સંકલ્પ પત્રનો આત્મા છે. છેલ્લા 10 વર્ષમાં અમે દિવ્યાંગો માટે ઘણી સુવિધાઓ આપી છે. પીએમ આવાસ યોજનામાં હવે વિકલાંગ મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમને તેમની વિશેષ જરૂરિયાત મુજબ આવાસ મળી રહે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવશે.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "This is a very holy day. Several states in the country are celebrating the 'nav varsh'...Today, on the 6th day of Navaratri we pray to Maa Katyayani. She holds the lotus in both her hands. This… pic.twitter.com/g8qXvVjUSQ
— ANI (@ANI) April 14, 2024
PM મોદીએ કહ્યું કે, સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝનને અનુસરીને ભાજપ રાષ્ટ્રીય સહકારી નીતિ લાવશે. દેશભરમાં ડેરી અને સહકારી મંડળીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધારવામાં આવશે. વિશ્વની ખાદ્ય સંગ્રહ યોજના થોડા મહિના પહેલા શરૂ થઈ છે. ભારતને વૈશ્વિક પોષણ હબ બનાવવા માટે, અમે શ્રી અન્ના પર ઘણો ભાર મૂકવા જઈ રહ્યા છીએ. તેનાથી શ્રી અન્નનું ઉત્પાદન કરતા 2 કરોડથી વધુ નાના ખેડૂતોને વિશેષ લાભ થશે.
#WATCH | On the release of BJP's election manifesto - 'Sankalp Patra' for Lok Sabha polls, PM Narendra Modi says, "BJP has decided to bring transgender community also under the ambit of Ayushman Bharat scheme." pic.twitter.com/jJlmHFgOnt
— ANI (@ANI) April 14, 2024
PM મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં લગભગ 10 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં જોડાઈ છે. અમે આ સ્વ-સહાય જૂથોને IT, શિક્ષણ, આરોગ્ય, છૂટક અને પ્રવાસન ક્ષેત્રે તાલીમ આપવાનું નક્કી કર્યું છે. ભાજપ સાચા અર્થમાં સામાજિક વિકાસ અને સામાજિક સમાવેશને સુનિશ્ચિત કરવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. અમે વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપનો સંકલ્પ ભારતને ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાનો છે. તેનાથી મૂલ્યમાં વધારો થશે, ખેડૂતનો નફો વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "In past years, MUDRA Yojana has turned crores of people into entrepreneurs...Looking at this success, BJP has taken one more 'sankalp' - under MUDRA Yojana loans up to Rs 10 Lakhs were provided.… pic.twitter.com/XN315Ffkhg
— ANI (@ANI) April 14, 2024
ભાજપ વિકાસના મંત્રની સાથે વિરાસતમાં પણ માને છે. અમે સમગ્ર વિશ્વમાં તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્રો બનાવીશું. વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ આપણું ગૌરવ છે. તમિલ ભાષાની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા માટે ભાજપ તમામ પ્રયાસો કરશે. ભારતીય જનતા પાર્ટી દેશમાં સામાજિક, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું ચાલુ રાખશે. ભારતમાં, અમે અમારા કાર્યની અભૂતપૂર્વ ગતિ અને સ્કેલને વેગ આપીશું જેટલો પહેલા ક્યારેય ન હતો!Sankalp Patra
વધુ વાંચો: PM મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: લોકોને કઈ કઈ ગેરંટી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ 21મી સદીના ભારતનો પાયો ત્રણ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મજબૂત કરવા જઈ રહ્યો છે. સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે નવી શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો ખોલી રહ્યા છીએ. ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે સમગ્ર દેશમાં હાઈવે, રેલ્વે, એરવેઝ અને વોટર વેને આધુનિક બનાવી રહ્યા છીએ. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે 5Gનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને 6G પર કામ કરી રહ્યા છીએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
હજારો માઈલની સફર પણ એક પગલાથી શરૂ થાય છે. આવી જ એક સફર શરૂ થઇ 2004માં 'ગોલી વડાપાવ' માટે. આ સ્ટાર્ટઅપના વેંકટેશ અય્યરે દેશમાં સ્ટ્રીટ ફૂડ ઉદ્યોગને બદલવાના વિચાર સાથે શરૂ કર્યું હતું. તેનો વિચાર સસ્તું, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ફાસ્ટ ફૂડ પ્રદાન કરવાનો હતો. આ મિશનમાં ઐયરની પ્રથમ પસંદગી બન્યું વડાપાવ. આજે તે વડાપાવ વેચીને કરોડોનો માલિક છે.
નિષ્ફળ થયા વિના સફળતા નથી મળતી. એમ જ ગોલી વડાપાવ સાથે પણ થયું. શરૂઆતના દિવસોમાં બ્રાન્ડને ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો. હાથથી બનાવેલા વડાપાવની ટૂંકી શેલ્ફ લાઇફ મુખ્ય સમસ્યાઓમાંની એક હતી. આ કારણે વેંકટેશને ગ્રાહકો તરફથી નકારાત્મક કોમેન્ટ પણ મળી. 2004માં કાચા માલના ખર્ચમાં તીવ્ર વધારાએ તેમના વ્યવસાયમાં બીજો પડકાર ઉમેર્યો.
ગોલી વડાપાવની સમસ્યાનો ઉકેલ હતો આઉટસોર્સિંગ અને ઓટોમેશન. વેંકટેશ ઐયરે એક મિત્રનો સંપર્ક કર્યો જે ફ્રોઝન શાકભાજી અને ચિકન પેટીસ સપ્લાય કરતો હતો. આ પગલાથી ન માત્ર તેમના ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થયો, શેલ્ફ-લાઇફની સમસ્યા પણ હલ થઈ ગઈ. ઓટોમેશન ફ્રન્ટ પર, તેઓએ તેમના આઉટલેટ્સમાં ઓટોમેટિક ફ્રાયર મશીનો ઇન્સ્ટોલ કર્યા. આનાથી તેમની કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થયો.
આના પછી સંઘર્ષનો સમય ખતમ થયો. બ્રાન્ડને ગ્રાહકોની સંખ્યામાં જબરદસ્ત વધારો દેખાવા લાગ્યો. કંપનીના ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાએ પ્રદેશના વિવિધ ભાગોના લોકોને આકર્ષ્યા. આ સફળતાને કારણે ગોલી વડાપાવનું ઝડપી વિસ્તરણ થયું. એક દાયકાની અંદર, દેશભરમાં ઘણા સ્ટોર્સ ખુલી ગયા.
વધુ વાંચો: 1 રૂપિયાથી ઉપડ્યો અનિલ અંબાણીનો શેર, કરાવી બમ્પર કમાણી, 2300 ટકા રિટર્ન
આજે ગોલી વડાપાવ દેશભરના 100 થી વધુ શહેરોમાં 350 થી વધુ આઉટલેટ્સ હોવાનો દાવો કરે છે. આ બ્રાન્ડનો ગ્રોથ તેના સ્થાપક વેંકટેશ ઐયરની દ્રષ્ટિ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે એક સરળ વિચાર, જો સારી રીતે અમલમાં મૂકવામાં આવે, તો તે અસાધારણ સફળતા તરફ દોરી શકે છે. હાલમાં ગોલી વડાપાવનું વેલ્યુએશન આશરે 350 કરોડ રૂપિયા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર સ્થિત 14 ગામોના લગભગ 4,000 મતદારોને એક વાર નહીં પરંતુ બે વાર મતદાન કરવાનો 'મોકો' મળે છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર મતવિસ્તારમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તેલંગાણાની આદિલાબાદ બેઠક માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. આ બંને પ્રસંગે 14 ગામોના આ મતદારો બંને સ્થળોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને કારણે આવું બન્યું છે. આ 14 ગામો, 6,000 થી વધુ વસ્તી ધરાવતા દૂરના વિસ્તારમાં સ્થિત છે, બંને રાજ્યો દ્વારા દરેક સંસ્થા અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમાં ગ્રામ પંચાયત અને સરપંચથી માંડીને પ્રાથમિક સરકારી શાળાઓ (મરાઠી અને તેલુગુ) અને આરોગ્ય સંભાળ કેન્દ્રો સામેલ છે.
તેલંગાણાના આદિલાબાદના કેરામેરી તહસીલ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરના જીવતી તાલુકામાં આવતા 14 ગામોનો પ્રાદેશિક વિવાદ 1956નો છે, જ્યારે આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આ ગામોને સાડે બારા ગામો કહેવામાં આવે છે. 14 ગામો બે ગ્રામ પંચાયત (પરંડોલી અને અંતપુર) હેઠળ આવે છે. આ પંચાયતો 30 કિમીથી વધુના અંતરે આવેલી છે. ગ્રામજનો પાસે બે-બે મતદાર ઓળખ કાર્ડ છે. તેમના નામ બંને રાજ્યોના મતવિસ્તારોમાં સૂચિબદ્ધ છે.
એટલું જ નહીં, દરેક ગ્રામજનો પાસે બે રેશન કાર્ડ, આધાર કાર્ડ, મનરેગા કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો છે. જેમાંથી એક મહારાષ્ટ્રનો અને એક તેલંગાણાનો છે. જેના કારણે આ લોકો બંને રાજ્યોની સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકશે.
બંને ગ્રામ પંચાયતો વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે પરંડોલી હેઠળના તમામ ગામોને બંને રાજ્યોમાંથી પાણી અને વીજળીનો પુરવઠો મળે છે. દરમિયાન અંતાપુર હેઠળના પાંચ ગામોના રહેવાસીઓનું કહેવું છે કે માત્ર તેલંગણા જ તેમને પાણી અને વીજળી પૂરી પાડે છે અને તે પણ મફતમાં. હાલમાં, પરંડોલી અને અંતપુર ગ્રામ પંચાયતો માટે ચૂંટાયેલા બે સરપંચો મહારાષ્ટ્ર અને તેલંગાણાના વિવિધ પક્ષોના છે. આ કારણે તેઓને પોતપોતાની સરકાર તરફથી વિકાસના કામો પૂર્ણ કરવા માટે બે અલગ-અલગ ફંડ પણ મળે છે.
વધુ વાંચો :ગુજરાતના 26 એ 26 બેઠકના ઉમેદવાર જાહેર, જાણો એક ક્લિકમાં કોણ ક્યાંથી?
ગ્રામજનો મોટાભાગે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના છે. તેમની પાસે બંને રાજ્યોના રેશન કાર્ડ છે, તેઓ રાશનના લાભો તેમજ બંને રાજ્યો દ્વારા અમલમાં મુકવામાં આવતી અન્ય યોજનાઓનો લાભ લઈ શકે છે.
વહીવટીતંત્રે શું કહ્યું
"અમે ગ્રામજનોને બે વાર મતદાન ન કરવાની સલાહ આપીએ છીએ, ભૂતકાળમાં આ ગ્રામજનોએ બંને પક્ષોને મત આપ્યા છે. માત્ર બે મત નહીં, બે જગ્યાએથી બે મતદાર ઓળખ કાર્ડ ધરાવવું પણ ગેરકાયદેસર છે. એટલા માટે અમે આ સંદેશ ગામલોકોમાં ફેલાવી રહ્યા છીએ.”
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Iran Israel War : મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધે દસ્તક આપી છે. અઠવાડિયાના તણાવ પછી ઈરાને રવિવારે (14 એપ્રિલ) ઇઝરાયેલ પર હુમલો કર્યો. ઈરાને સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના દૂતાવાસ પર ઈઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલાના જવાબમાં આ પગલું ભર્યું છે. ઈરાની સેનાએ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો છે. ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં એક નવું સંકટ ઊભું થયું છે. ઈરાને 200થી વધુ ડ્રોન અને મિસાઈલ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. જોકે આમાંથી મોટાભાગનાને ઇઝરાયેલની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા અટકાવવામાં આવ્યા હતા. અમેરિકન અને બ્રિટિશ એરફોર્સે ઇઝરાયેલને હવામાં ડ્રોન અને મિસાઇલ મારવામાં મદદ કરી છે. ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં એક સૈન્ય મથકને નજીવું નુકસાન થયું છે. હજુ સુધી આ હુમલાને કારણે કોઈ જાનહાની થઈ નથી.
યુએનમાં ઈરાનના હુમલાને લઈને બેઠક
હુમલાને જોતા મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના પશ્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈરાની હુમલાની નિંદા કરી છે. ઈઝરાયેલની માંગ પર રવિવારે સાંજે 4 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલને મદદ કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે ઈરાનના હુમલાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે.
BIG BREAKING:
— Syed Hamza 👑 (@TheSavageHamza) April 14, 2024
🇮🇷Iran Launches Drone and Missile Attack on
Israel🇮🇱
Iran fired 200 missiles and drones
Fears Iran and Israel's rivalry 'could spark World War III' with Vladimir Putin 'rubbing his hands'#ısrael | #Iran | World War III WWIII ISRAEL pic.twitter.com/zGol3ea1Dg
ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાને શું કહ્યું?
ઈરાને કહ્યું છે કે આ હુમલો ઈઝરાયેલના ગુનાઓની સજા તરીકે કરવામાં આવ્યો હતો. તે દમાસ્કસમાં ઈઝરાયેલના હુમલાનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમાં બે કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને અમેરિકાને આ બાબતથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહ્યું છે કે, "જો ઈઝરાયેલ બીજી ભૂલ કરશે તો ઈરાનનો હુમલો વધુ શક્તિશાળી હશે." તેમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાને હવે બંધ ગણવામાં આવે.
In a direct attack over Israel, hundreds of Iranian drones & missiles were launched over Tel Aviv. Iran says that the attack was retaliation to the attack on its embassy in Damascus in Syria on April 1. #IranAttackIsrael #IranAttack #Iranian #ısrael pic.twitter.com/ljWIvPjzzX
— Aasif Mujtaba (@MujtabaAasif) April 14, 2024
આ તરફ ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ હુમલાને તણાવમાં ગંભીર વધારો ગણાવ્યો છે. તેમણે કહ્યું, "આ હુમલાથી પહેલાથી જ ચાલી રહેલા તણાવમાં ગંભીર અને ખતરનાક વધારો થયો છે. ઈરાનના આ મોટા પાયે હુમલા પહેલા જ અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે તૈયાર હતી." ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેલ અવીવમાં યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં ઈરાન સામે જવાબી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
Damage from Iranian attack on Israel..#Iran #Iranian #Israel #ايران pic.twitter.com/K9ACNGZrXj
— Faisal Ehsan (@iamfaisalehsan) April 13, 2024
નેતન્યાહુએ કહ્યુ ઈરાનના હુમલા માટે પહેલેથી જ તૈયાર હતા
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, તેમનો દેશ ઈરાનથી સીધા હુમલાની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું, તાજેતરના વર્ષોમાં ખાસ કરીને તાજેતરના અઠવાડિયામાં ઈઝરાયેલ ઈરાનથી સીધા હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમારી સંરક્ષણ પ્રણાલી તૈનાત છે, અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ પછી તે રક્ષણાત્મક હોય કે આક્રમક ઈઝરાયેલ એક મજબૂત દેશ છે. ઇઝરાયેલની સેના મજબૂત છે અને તેના લોકો પણ મજબૂત છે.
#Breaking
— @Misra_Amaresh (@misra_amaresh) April 13, 2024
The first batches of #Iranian drones are arriving in #Israel.#Jordan failed to intercept them!
THESE ARE #Israeli CITIES! pic.twitter.com/YpDL0sB7Ng
જે કોઈને નુકસાન પહોંચાડશે તેને નુકસાન પહોંચાડશેઃ ઈઝરાયેલના પીએમ
બેન્જામિન નેતન્યાહુએ શપથ લીધા કે જે કોઈ આપણને દુઃખ પહોંચાડશે અમે તેને નુકસાન પહોંચાડીશું. તેમણે કહ્યું, "અમે ઇઝરાયલની સાથે ઉભા રહેવા માટે અમેરિકાના વખાણ કરીએ છીએ, તેમજ બ્રિટન, ફ્રાન્સ સહિતના તમામ દેશો અમારી સાથે ઉભા છે. અમારો એક જ સિદ્ધાંત છે - જે અમને નુકસાન પહોંચાડે છે, અમે તેને નુકસાન પહોંચાડીશું." ધમકી આપી છે અને તે અખંડિતતા અને નિશ્ચય સાથે કરશે."
વધુ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર ભારતનું સત્તાવાર નિવેદન, જુઓ વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ઈઝરાયેલના સાથીઓએ શું કહ્યું?
અમેરિકાએ કહ્યું છે કે તે ઈઝરાયેલને ઈરાનથી બચાવવામાં મદદ કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એડ્રિયન વોટસને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બિડેન ખૂબ જ સ્પષ્ટ છે કે ઇઝરાયેલ માટે અમારું સમર્થન ચાલુ રહેશે. અમેરિકા ઇઝરાયેલના લોકો સાથે ઉભું રહેશે અને ઇરાનના આ જોખમો સામે તેમના સંરક્ષણને સમર્થન આપશે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો બેજવાબદાર છે. તેને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. ઈરાન પર આગ લાગવાનો ખતરો છે. અમે ઈઝરાયેલની પડખે ઊભા છીએ અને હવે અમે દરેક બાબત પર ચર્ચા કરીશું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) આજે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેના મેનિફેસ્ટોને 'સંકલ્પ પત્ર' કહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે બીજેપીનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે.
સંકલ્પ પત્ર લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ વિકસિત ભારતનો મેનિફેસ્ટો છે, જે બહાર પાડવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટો વિકસિત ભારતના ચાર સ્તંભો પર આધારિત છે, જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આખો દેશ ભાજપના મેનિફેસ્ટોની રાહ જોઈ રહ્યો છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે છેલ્લાં 10 વર્ષમાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને જમીન પર ગેરંટી તરીકે લાગુ કર્યા છે. આ 'સંકલ્પ પત્ર' વિકસિત ભારતના તમામ 4 મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે - યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતો.#WATCH | On the release of party's election manifesto - 'Sankalp Patra' for Lok Sabha polls, PM Narendra Modi says, "The entire country waits for the BJP's 'Sankalp Patra'. There is a big reason behind it as in the last 10 years, the BJP has implemented every point of its… pic.twitter.com/BIPDnNtS0D
— ANI (@ANI) April 14, 2024
Bharatiya Janata Party (BJP) released its election manifesto - 'Sankalp Patra' for the ensuing Lok Sabha polls in the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Union Finance Minister Nirmala Sitharaman and party President… pic.twitter.com/86aXnR9Juo
— ANI (@ANI) April 14, 2024
લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે. લોકસભા ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં 19 અને 26 એપ્રિલ, 7, 13, 20 અને 25 મે અને 1 જૂને મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે. ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશના વિવિધ વર્ગોના વિકાસ પર ધ્યાન આપ્યું છે.
हम सब जानते हैं कि एक समय में हमने एकात्म मानववाद की बात कही, फिर जब हम सरकार में आए, तो उसी को हमने अंत्योदय के रूप में स्थापित किया।
— BJP (@BJP4India) April 14, 2024
प्रधानमंत्री मोदी जी ने उसको 'सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास' से जोड़ते हुए नीतियों को आगे बढ़ाने का काम किया।
- श्री… pic.twitter.com/QDpZOg7ukL
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કહ્યુ કે, આજે ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ છે, અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે તેઓ સામાજિક ન્યાય માટે લડ્યા હતા. તેમના માર્ગ પર ચાલીને ભાજપે હંમેશા સામાજિક ન્યાય માટે લડત આપી.
#WATCH | BJP 'Sankalp Patra'/ manifesto release: BJP national president JP Nadda says, "Today is the birth anniversary of Bharat Ratna Dr BR Ambedkar, we pay tribute to him. We all know that he fought for social justice. Following his path, the BJP always fought for social… pic.twitter.com/Xo1N7wE3hj
— ANI (@ANI) April 14, 2024
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના ઠરાવ પત્રના વિમોચન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું, 'અમે જાણીએ છીએ કે ઠરાવ પત્ર આજે બહાર પાડવામાં આવશે. પરંતુ આપણે સૌએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ શરૂઆતથી અને જનસંઘના સમયથી એક વિચારધારા આધારિત પક્ષ હોવાને કારણે આપણે બધા એ વિચારોને સતત આગળ લઈ જઈને વૈચારિક સ્થાપનાની યાત્રામાં સામેલ છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે બધાએ એક જ વૈચારિક યાત્રાને આગળ વધારવાનું કામ કર્યું છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, 2014માં જ્યારે વડાપ્રધાન મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ગરીબો, ગામડાઓ અને સમાજના છેલ્લા સ્થાને ઉભેલી વ્યક્તિ માટે સમર્પિત છે. આને અમલમાં મૂકીને છેલ્લા 10 વર્ષમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે આ તમામ પરિમાણોને આગળ લઈ જવા માટે કામ કર્યું છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાઈ. રામ મંદિરને લઈને જે ઠરાવ લેવાયો હતો તે પૂરો થયો. તેમણે કહ્યું કે 2014માં જ્યારે વડાપ્રધાન મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ગરીબો, ગામડાઓ અને સમાજના છેલ્લા સ્થાને ઉભેલા વ્યક્તિ માટે સમર્પિત છે. તેને અમલમાં મૂકીને છેલ્લા 10 વર્ષોમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે આ તમામ પરિમાણોને આગળ વધારવાનું કામ કર્યું છે.
#WATCH | BJP 'Sankalp Patra'/ manifesto release: BJP national president JP Nadda says, "You gave us a clear mandate and clear results came. You gave a clear mandate and Article 370 was abrogated..."
— ANI (@ANI) April 14, 2024
On Ram Mandir, he says, "...we also saw those days when Congress lawyers used to… pic.twitter.com/KfvFWddDDd
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, 'જ્યારે નાગરિકો સ્પષ્ટ જનાદેશ આપે છે ત્યારે પરિણામો પણ સ્પષ્ટ હોય છે. 2019માં અમે 2014નો અમારો જ રેકોર્ડ તોડ્યો. 2019નો જનાદેશ આપણી મહિલાઓ અને ગરીબોને સમર્પિત હતો. સ્પષ્ટ આદેશથી કલમ 370 નાબૂદ કરવામાં મદદ મળી. કોંગ્રેસના વકીલોએ રામ મંદિર નિર્માણમાં અડચણો ઉભી કરી હતી, પરંતુ આ ઠરાવ પણ ભાજપ સરકારમાં પૂરો થયો હતો. વડા પ્રધાને ટ્રિપલ તલાક નાબૂદ કરી અને અમારી મુસ્લિમ બહેનોને ન્યાય અપાવ્યો. 30 વર્ષથી મહિલા અનામત માટે કોઈએ કંઈ કર્યું નથી. ભાજપે નારી શક્તિ વંદન એક્ટ લાવીને કર્યું. 2029માં 33% સાંસદો મહિલાઓ હશે. આજે પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડ કાયમી મકાનો બનાવવામાં આવ્યા છે અને આ કામ આગળ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. આજે 50 કરોડ જનધન ખાતાઓમાંથી 55.5% જનધન ખાતા મહિલાઓના નામે ખોલવામાં આવ્યા છે. આજે ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 10 કરોડથી વધુ ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. દેશભરમાં 11 કરોડથી વધુ ઈઝ્ઝત ઘર બનાવવામાં આવ્યા છે.
વધુ વાંચો :ગુજરાતના 26 એ 26 બેઠકના ઉમેદવાર જાહેર, જાણો એક ક્લિકમાં કોણ ક્યાંથી?
PM મોદીએ વારંવાર કહ્યું છે કે તેમના મતે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છે - યુવા, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ. આને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી વચનોની વિશેષતાઓમાં સમાજના આ ચાર વર્ગોના ઉત્થાન માટેના અનેક પગલાં શામેલ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે ભારતને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાનો સંકલ્પ પણ કર્યો છે. ભાજપ તેના ઢંઢેરામાં પીએમ મોદીના સંકલ્પોને પૂર્ણ કરવા માટે રોડમેપ રજૂ કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
બોલિવૂડ સ્ટાર્સનો ચાહકો વચ્ચે આટલો ક્રેઝ છે કે ઘણા લોકો એમના જેવા દેખાવવા માટે ઘણી મહેનત કરતાં હોય છે. આવા ઘણા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તમે ઘણા બોલિવૂડ સ્ટાર્સના હમશકલ જોયા જ હશે.
શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય અને અન્ય સ્ટાર્સના ઘણા એવા હમશકલ સામે આવી ગયા છે, એવામાં હવે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી એક છોકરીની તસવીર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. એ વાત તો જાણીતી જ છે કે આઈપીએલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન મેચ જોવા આવતા ઘણા લોકોના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. શ્રદ્ધા કપૂર જેવી દેખાતી આ છોકરી પણ IPL મેચ જોવા માટે આવી હતી જ્યાં કેમેરા તેની નજરે પડ્યા અને લોકોએ તેની સરખામણી અભિનેત્રી સાથે કરવા લાગ્યા હતા.
11 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ હતી. આ દરમિયાન યુવતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેણે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના ચહેરાના બંધારણથી લઈને તેના હાસ્ય સુધી તે શ્રદ્ધા કપૂર જેવી જ દેખાતી હતી. આ તસવીર વાયરલ થતાં અભિનેત્રીએ પણ આ સમાચાર પોસ્ટ કર્યા હતા.
શ્રદ્ધાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ ફની હોય છે. તેણે એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે IPL મેચ દરમિયાન શ્રદ્ધા કપૂરની હમશકલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમાચારથી શ્રદ્ધા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તેણે લખ્યું હતું કે, 'અરે, હું જ છું.' આગળ તેણે હસતું ઇમોજી બનાવ્યું હતું.
વધુ વાંચો: સલમાન ખાનની ઘર બહાર ફાયરિંગ થતાં હડકંપ, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં મચી અફરાતફરી
'વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધાની પાછલી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' હતી. આમાં તેની જોડી રણબીર કપૂર સાથે હતી. ભિનેત્રીની આગામી હોરર કોમેડી 'સ્ત્રી 2'ની રિલીઝની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીનો સમાવેશ થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
સનેસ ગામ નજીક અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યાત્રાળુઓનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાં એ સમયે બની જ્યારે 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો.
પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ગમખ્વાર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચોઃ ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી શકે, હવામાન વિભાગની સક્રિય આગાહી
ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત
સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતમાં 2 નાં મોત નિપજ્યા છે. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું છે. બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3ના મોત
પીંપળી-વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. કાર અને ટ્રક સામ સામે આી જતા અકસ્માત સર્જાયો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો