Sports News in Gujarati - Get Exclusive News Headlines and breaking sports Samachar in Gujarati only on VTVGujarati.com. Read latest sports news headlines in Gujarati
RCBની ફ્રેન્ચાઈઝીનુ જે કામ પુરૂષોની ટીમ અત્યાર સુધી નથી કરી શકી તે કામ મહિલા ટીમે કરી બતાવ્યું છે, મહિલા ટીમે IPLનુ ટાઈટલ જીત્યુ છે જેથી હવે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે RCBની પૂરૂષોની ટીમ પણ ટાઇટલ જીતે. આ અંગે ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભવિષ્યવાણી પણ કરી છે.
RCBની ફ્રેન્ચાઈઝી 16 વર્ષથી એક પણ વખત ટાઈટલ જીતી શક્યુ નહતુ પરંતુ રવિવારે WPLમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની ટીમે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું.ફાઇનલમાં RCBની પ્રથમ ટાઇટલ જીત્યા બાદ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024નું વર્ષ RCBની ફ્રેન્ચાઇઝી માટે બેવડી ખુશીનું વર્ષ બની શકે છે.
Fantastic tournament .. Well deserved win for @RCBTweets !! Now can the Men do the double !!! This could be the year … https://t.co/1yjDWD3wFo
— Michael Vaughan (@MichaelVaughan) March 17, 2024
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વોને X પર RCBને અભિનંદન પાઠવતા લખ્યુ હતુ કે,"શાનદાર ટુર્નામેન્ટ...RCB ડીઝર્વ કરે છે. હવે પુરુષો બમણુ પ્રદર્શન કરી શકશે. આ વર્ષ હોઈ શકે છે જીતનુ..."
વધુ વાંચો: આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી ચૂક્યો છે રેકોર્ડ?
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની પ્રથમ મેચ 22મી માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ અને બેંગલોરની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે, જેમાં RCB માત્ર એક જ વાર જીતી શકી છે જે જીત 2008માં રમાયેલી પ્રથમ IPL સિઝનમાં હાંસલ કરી હતી. ત્યાર બાદ RCB આ મેદાન પર એક પણ વખત ચેન્નાઈને હરાવી શક્યુ નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
PSLની શરૂઆત 2016માં થઈ હતી ત્યાં જ IPL 2008માં શરૂ થઈ હતી. પાકિસ્તાન સુપર લીગ 2024ની સ્ટ્રોફી ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમે જીતી લીધી છે. ઈસ્લામાબાદની ટીમે ફાઈનલમાં મુલ્તાન સુલ્તાંસને 2 વિકેટે હરાવી છે. આવો જાણીએ કે IPL, WPL અને PSLની પ્રાઈઝ મનીમાં કેટલો ફેર છે?
PSLમાં વિજેતાને મળે છે આટલા રૂપિયા
પાકિસ્તાન સુપર 2024ની ટ્રોફી જીતનાર ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમને 4.13 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યાં જ રનરઅપ રહેનાર ટીમ મુલ્તાન સુલ્તાંનને 1.65 કરોડ રૂપિયા મળ્યા છે. ઈલ્સામાબાદ યુનાઈટેડે ત્રીજી વખતે પાકિસ્તાન સુપર લીગની ટ્રોફી જીતી છે. ટીમે લીગ સ્ટેજમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ઈસ્લામાબાદ માટે કેપ્ટન શાદાબ ખાને સારૂ પ્રદર્શન કર્યું અને તેમને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો.
WPL 2024ની ટ્રોફી જીતવા પર RCBને મળ્યા 6 કરોડ રૂપિયા
વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ જીતવા પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પ્રાઈઝ મની પર 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ત્યાં જ રનર અપ રહેનાર દિલ્ગી કેપિટલ્સની ટીમને પણ 3 કરોડ રૂપિયા પ્રાઈઝ મળી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ ગઈ સીઝનમાં પણ રનરઅપ રહી હતી.
વધુ વાંચો: KL રાહુલ હવે એકદમ ફિટ છતાંય નહીં ઉઠાવી શકે આ મોટી જવાબદારી, IPL પહેલા આ ટીમને મોટો ઝટકો
કેટલી છે IPLની પ્રાઈઝ મની
IPL 2023ની ટ્રોફી ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને જીતી હતી. ત્યારં સીએસકેની ટીમને પ્રાઈઝ મનીમાં 20 કરોડ રૂપિયા મળ્યા. ત્યાં જ લીગની રનર્સ અપ રહેનાર ટીમ ગુજરાત ટાઈટન્સને 13 કરોડ રૂપિયા ઈનામમાં આપવામાં આવ્યા હતા. આ કોઈ પણ ક્રિકેટ લીગમાં આપવામાં આવતી સૌથી મોટી રકમ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
આઇપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો શું મહત્વ ધરાવે છે તેનો અંદાજ આ પરથી જ ખબર પડે છે કે 16મી સિઝનમાંથી 10 વખત તો આ બે ટીમે જ આઇપીએલનું ટાઇટલ જીત્યું છે. જો આ બંને ટીમને કોઈ ટક્કર આપી શકે તો તે છે કોલકાતા નાઇટ રાઇડર્સ. કારણ કે આ ટીમે 3 વર્ષમાં 2 વખત ટાઇટલ જીત્યું છે પણ આ વાતને 10 વર્ષ થઈ ગયા છે. ટાઇટલની રાહ જોતાં ટીમને ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ફરી વાપસી કરી છે. ગંભીરના આગમનની સાથે KKR ફરી ચેમ્પિયન બનશે કે નહીં, તે તેના પર નિર્ભર રહેશે કે KKR વિનિંગ પ્લેઈંગ-11 બનાવવામાં સક્ષમ છે કે નહીં?
New season, new spirit 💪
— KolkataKnightRiders (@KKRiders) March 19, 2024
Iss #TATAIPL2024, hum 𝐑𝐮𝐤𝐞𝐧𝐠𝐞 𝐍𝐚𝐡𝐢, 𝐉𝐡𝐮𝐤𝐞𝐧𝐠𝐞 𝐍𝐚𝐡𝐢 💜 pic.twitter.com/rrYBguYLnE
2012 અને 2014માં કોલકતાએ આઇપીએલનો ખિતાબ જીત્યો હતો, તે પછી એક જ વખત ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ટીમની પાસે પહેલાથી જ ઉતમ ખેલાડીઓ છે તો પણ છેલ્લી 9 સિઝનમાં સફળતા મેળવી શક્યા નથી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈ જુદી નથી ટીમની પાસે સારા ખેલાડીઓ તો છે, પણ પ્લેઈંગ-11ને પસંદ કરવું તેટલું સરળ નથી, એમાં પણ ટીમના કેપ્ટનની શ્રેયસ અય્યરની ફિટનેસ જ સૌથી મોટું કારણ છે.
કેપ્ટનની ફિટનેસ પર સવાલ
કેપ્ટન અય્યર તેની હાલની ફિટનેસને લઈને કેટલો સફળ રહેશે તે કહેવું મુશ્કેલ છે. કમરના દુખાવાથી પરેશાન અય્યરને ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ તેની કમર ઉપર કોઈ તણાવ ન રહે તે માટે તેનો આગળનો પગ વધુ લાંબો ન લંબાવવાની પણ સૂચના આપવામાં આવી છે. હવે આવી ફિટનેસના કારણે હંમેશા ડરતો રહેશે અને જો મેચની વચ્ચે આવું થશે તો ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે.
He is home 😇 pic.twitter.com/oVUrQLfQWH
— KolkataKnightRiders (@KKRiders) March 18, 2024
કોણ હશે 4 વિદેશી ખેલાડીઓ?
જો પહેલા આપણે 4 વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો કોઈ વાંધો નહીં આવે કારણ કે આન્દ્રે રસેલ અને સુનિલ નરેન છેલ્લા ઘણા સમયથી આ ફ્રેન્ચાઇસના ભાગ છે અને આવનારી સીજનમાં પણ રહેશે, પછી તેમના ફોર્મ પર આધાર રાખે છે. આના સિવાય ડાબા હાથના ઔસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક શરૂઆત થી જ ટીમના નામોમાં રહેશે, કોલકતાએ તેમના માટે 24.50 કરોડ ખર્ચ કર્યા છે. ચોથું નામ ફિલ સોલ્ટનું છે જેને ટીમમાં જેસન રૉયની જગ્યા મળી છે.
બેટિંગની જવાબદારી આ પ્રતિષ્ઠિત ખિલાડી સાંભળશે
ટીમની બેટિંગની વાત કરીએ તો તેની પાસે ઓપનિંગમાં સારા વિકલ્પો છે. વેંકટેશ ઐયરે ગત સિઝનની જેમ ઓપનિંગ કરશે પરંતુ આ વખતે રહેમાનુલ્લા ગુરબાઝ અને ફિલ સોલ્ટના રૂપમાં તેને સાથ આપવા માટે બે વિકલ્પો છે. ગુરબાઝે છેલ્લી સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ઇંગ્લિશ બેટ્સમેન સોલ્ટ વધુ વિસ્ફોટક બેટ્સમેન છે અને ગુરબાઝની જેમ તે વિકેટકીપર પણ છે. મતલબ કે અહીં પણ ફ્રેન્ચાઈઝીને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
ત્યાર બાદ શ્રેયસ અય્યર , નીતિશ રાણા, રીન્કુ સિંહ જેવા ખિલાડીયો સાંભળસે. અય્યર અને નીતીશ કેવું પ્રદર્શન કરશે તે સૌથી મહત્વનું રહેશે. ભાગ્યે જ કોઈને શંકા હશે કે રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકા સારી રીતે ભજવશે. હવે બેટિંગને વધુ તાકાત આપવા માટે, જો મનીષ પાંડે અને રમનદીપ સિંહમાંથી કોઈને પસંદ કરવાનું હોય, તો રમનદીપ બાજી મારશે , કારણ કે પાંડેનું ફોર્મ પાછળની સિઝનમાં કંઈ ખાસ રહ્યું ન હોતું. બાકી રસેલ તો છે.
— KolkataKnightRiders (@KKRiders) March 18, 2024
બોલિંગ પણ શાનદાર
બોલિંગમાં સ્ટાર્ક, નરેન, રસેલ સિવાય દિલ્લીના યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા જોવા મળશે. હર્ષિતે ગઈ સિઝનમાં માત્ર થોડી જ મેચોમાં તેની ઝડપી ગતિ અને સચોટ ધારવાળી બોલિંગથી બધાને ઘણું પ્રભાવિત કર્યા હતા. તે નીચલા ક્રમમાં કેટલીક મોટી હિટ પણ ફટકારી શકે છે. આવી સ્થિતિમાં આ વખતે ટીમ શરૂઆતથી જ તેના પર દાવ મૂકશે. પહેલાની જેમ, સ્પિન વિભાગમાં, ટીમ વરુણ ચક્રવર્તીની રહસ્ય ભરી બૉલિંગનો ઉપયોગ કરશે, જે ગઈ સિઝનમાં તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. એકમાત્ર લેગ સ્પિનર સુયશ શર્મા છે, જેને વેંકટેશ અથવા રમનદીપ દ્વારા બદલી શકે છે.
વધુ વાંચો: આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી ચૂક્યો છે રેકોર્ડ?
KKRની બેસ્ટ પ્લેઇંગ-11
કેપ્ટન શ્રેયસ અય્યર, વિકેટકીપર ફિલ સોલ્ટ, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રીન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ/ સુયશ શર્મા (ઇમ્પેક્ટ પ્લેયર),સુનિલ નરેન, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ક્રિકેટનો તહેવાર કહેવાતા IPL 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ સિઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. જાણીતું છે કે IPLમાં કુલ 10 ટીમો રમે છે, એવામાં આ વખતે આ ત્રણ ટીમના કેપ્ટન પર લગભગ દરેક લોકોની નજર રહેશે.
એ વાત તો જાણીતી જ છે કે આ વખતે આઈપીએલ શરૂ થયા પહેલા ઘણા ફેરફારો જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. આ વખતે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં રમશે. તો તેની સામે ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે.
જો જોવામાં આવે તો આઈપીએલની આગામી સિઝનમાં ત્રણ કેપ્ટનો એટલે કે દિલ્હી કેપિટલ્સના રિષભ પંત, કોલકાતા નાઈટ રાઈડર્સના શ્રેયસ અય્યર અને ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ પર બધાની નજર રહેવાની છે.
જાણીતું છે કે શુભમન ગિલ IPLમાં પહેલીવાર કોઈ ટીમની કેપ્ટનશિપ કરશે. તેને આજ સુધી IPLમાં ક્યારેય કેપ્ટન કે ઉપ-કેપ્ટન તરીકેનો ચાર્જ સંભાળ્યો નથી. જો કે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ઘણી વખત ગિલે કેપ્ટનશિપ કરી છે.
દિલ્હીના કેપ્ટન પંત આઈપીએલમાં રમવા તૈયાર છે. NCAએ તેને ફિટ જાહેર કર્યો છે. આ વખતે પંત બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, પરંતુ જોવાનું એ છે કે તે IPL 2024માં વિકેટ કીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.
વધુ વાંચો: રિષભ પંતની બેટિંગ પર સુનીલ ગાવસ્કર ચિંતાતુર, કહ્યું 'બની શકે હવે એવી બેટિંગ જોવા ન મળે'
કહેવામાં આવી રહ્યું છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર IPLની શરૂઆતની મેચોમાંથી બહાર રહી શકે છે. જો આવું થયું તો નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશિપ પદ સંભાળી શકે છે. જાણીતું છે કે શ્રેયસ પીઠની ઈજાને કારણે ગયા વર્ષે આખા આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો, હવે આ વખતે આઈપીએલ રમે છે કે નહીં તે જોવાનું રહ્યું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર KL રાહુલના ફેંસ માટે એક સારી ખબર છે. લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની મંજૂરી મળી ગઈ છે. ફિટ હોવા છતાં પણ તે ટીમ માટે વિકેટકીપરની જવાદારી નહીં નિભાવી શકે. તેમને શરૂઆતમાં જ વધારે વર્કલોડ ન લેવાની સલાહ આપવામાં આવી છે.
રાહુલ ઈંગ્લેન્ડના સામે હૈદરાબાદમાં રમાયેલ પહેલી ટેસ્ટ મેચ વખતે ફરીથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાવવાની સંભાવના હતી પરંતુ મસલ્સમાં દુખાવાના કારણે તે બાકી મેચોમાં પણ નહીં રમી શકે. રાહુલે એનસીએમાં બેટિંગ, વિકેટકીપિંગ સાથે જોડાયેલી ડ્રિલ અને આઉટફીલ્ડમાં પ્રેક્ટીસ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો છે.
બીસીસીઆઈના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, "એનસીએ રાહુલને રમવાની મંજૂરી આપી દીધી છે. તે ગુરૂવારે લખનૌઉમાં ટીમ સાથે જોડાઈ જશે. લખનૌઉની ટીમ પોતાની પહેલી મેચ 24 માર્ચે રાજસ્થાન રોયલ્સના સામે જયપુરમાં રમશે. તેમને શરૂમાં વિકેટકીપિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે તે શરૂઆતની મેચોમાં ફક્ત બેટિંગ કરશે."
વધુ વાંચો: IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ
લખનૌઉ તેમના વિકેટકીપિંગ ન કરવાને લઈને પરેશાન છે. કારણકે તેમની પાસે દક્ષિણ આફ્રીકાના ક્વિંટન ડિકાક અને વેસ્ટઈન્ડિઝના નિકોલસ પુરણના રૂપમાં બે સારા વિકેટકીપર છે. પુરણ આ વર્ષે ટીમમાં ઉપ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. જોકે રાહુલનું વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં રમવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના દમ પર તે અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં જૂનમાં થવા જઈ રહેલા ટી20 વિશ્વ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફેબ્રુઆરીના અંતમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી બહાર પાડી હતી જેમાં બોર્ડે કેટલાક દિગ્ગજ ખેલાડીઓને સ્થાન નહતું મળ્યું અને ઘણા યુવા ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે BCCIએ સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પણ ખુશખબર આપી છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી. સરફરાઝ અને જુરેલે આ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું અને 3-3 ટેસ્ટ મેચ રમી હતી.
Sarfaraz Khan - Grade C.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024
Dhruv Jurel - Grade C.
- Both Jurel and Sarfaraz have been handed the BCCI Central Contract. (PTI). pic.twitter.com/QfHYh3cowz
ભારતના નવા બેટિંગ સ્ટાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને 1 કરોડ રૂપિયાની વાર્ષિક રિટેનરશિપ ફી સાથે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રુપ Cમાં સામેલ કરવામાં આવ્યા હતા. સોમવારે યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન આ બંનેના નામોને મંજૂરી આપવામાં આવી હતી.
બીસીસીઆઈએ તેના વચન મુજબ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યા છે. બંને યુવા ખેલાડીઓને 2023-24 માટે કરારબદ્ધ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જુરેલ અને સરફરાઝ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમ્યા બાદ જ કોન્ટ્રાક્ટ માટે લાયક બન્યા હતા. બોર્ડે બેટ્સમેન શ્રેયસ ઐયરની અવગણના કરી છે. બોર્ડે રણજી ટ્રોફી રમવાની સલાહનું પાલન ન કરવા બદલ અય્યર અને ઈશાન કિશનને યાદીમાંથી હટાવી દીધા હતા.
Sarfaraz Khan and Dhruv Jurel have been handed the BCCI's annual central contract of "Grade C". (PTI). pic.twitter.com/4XUzlItRSU
— CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે, સરફરાઝ અને ધ્રુવે ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20 મેચ રમવાની જરૂર હતી. બંને બેટ્સમેનોએ ઈંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. અગાઉ કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડતી વખતે, BCCIએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "જે એથ્લેટ્સ આપેલ સમયગાળામાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20I રમવાના માપદંડને પૂર્ણ કરે છે તેઓને ગ્રુપ Cમાં આપમેળે શામેલ કરવામાં આવશે.''
વધુ વાંચો: રિષભ પંતની બેટિંગ પર સુનીલ ગાવસ્કર ચિંતાતુર, કહ્યું 'બની શકે હવે એવી બેટિંગ જોવા ન મળે'
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ
ગ્રેડ A+ - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાજ, રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A – આર અશ્વિન, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.
ગ્રેડ B - સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.
ગ્રેડ C - રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર, સરફરાઝ ખાન વિકેટકીપર ધ્રુવ જુરેલ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
લગભગ 15 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ચાહકો તેમને મેદાન પર જોવા માટે આતુર છે અને તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે એક મોટી વાત કહી છે, જેનાથી દિલ્હી કેપિટલ્સના ચાહકો ચોંકી ગયા છે.
Sunil Gavaskar is skeptical that we may not see the real Rishabh Pant in the IPL 2024 #SunilGavaskar #RishabhPant #DC #IPL2024 #Insidesport #CricketTwitter pic.twitter.com/seRk0Pf8Uy
— InsideSport (@InsideSportIND) March 18, 2024
ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને લાગે છે કે રિષભ પંત માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆતમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હશે. પરંતુ તેનું માનવું છે કે જ્યારે તે વધુ ને વધુ બેટિંગ કરવાનું શરૂ કરશે તો મેચની સ્થિતિ અનુસાર તેના ઘૂંટણ વધુ સારી રીતે વળી શકશે. ડિસેમ્બર 2022 માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત ઘણા મહિનાઓ પછી ક્રિકેટમાં પાછા ફરશે.
એવામાં હવે અનુભવી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પંતની બેટિંગ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'પંતની વાપસી ખૂબ મુશ્કેલ હશે. પરંતુ સારી વાત એ છે કે તેણે થોડું ક્રિકેટ રમ્યું છે. તેણે થોડી પ્રેક્ટિસ કરી છે. જો કે મેદાન પર એક સાથે ફલોમાં બેટિંગ કરવી થોડી મુશ્કેલ હશે.'
તેણે કહ્યું, 'જ્યારે તમે ઘૂંટણની ઈજા વિશે વાત કરો છો, ત્યારે ઘૂંટણમાં જે મૂવમેન્ટ થાય છે તેની અસર થાય છે. વિકેટકીપિંગ પણ મુશ્કેલ છે. પરંતુ બેટિંગમાં ઘૂંટણનું ખૂબ મહત્વ છે. તેથી, શક્ય છે કે શરૂઆતમાં ઋષભ પંતની એ જ બેટિંગ જોવા ન મળે જે આપણે જોતા હતા.'
વધુ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સમાંથી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી 'આઉટ', પાકિસ્તાનથી આવશે નવો તોફાની બોલર
આ સાથે જ ગાવસ્કરે કહ્યું, 'પંત એક એવો વિકેટકીપર છે જે સ્ટમ્પની પાછળથી મજેદાર ટિપ્પણીઓ કરતો રહે અને સંપૂર્ણ મનોરંજન કરતો રહે છે, કારણ કે વિકેટકીપરનું કામ અલગ-અલગ વાતો કહીને બેટ્સમેનનું ધ્યાન ભટકાવવાનું હોય છે. પરંતુ પંતમાં એટલી ક્ષમતા છે કે તે જે પણ બેટ્સમેનને નિશાન બનાવે છે, તે પણ હસે છે અને એન્જોય કરે છે. પરંતુ જો તેનું ધ્યાન ભટકી જાય તો તે ટીમ માટે ફાયદાકારક છે.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
IPL 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ સિઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. સિઝનની પ્રથમ મેચ રસપ્રદ રહેશે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આ ટીમો જીતે કે હારે, તેનાથી તેમની કમાણી પર બહુ ફરક પડતો નથી. એક રિપોર્ટ અનુસાર, આ ટીમો 400 થી 500 કરોડ રૂપિયા કમાય છે. IPLમાં ખેલાડીઓ મોટી કમાણી કરે છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. KKR તેની આવકનો માત્ર એક ભાગ સ્ટાર્ક અને અન્ય ખેલાડીઓ પર ખર્ચ્યો હતો.
IPLની દરેક ટીમની કમાણી 400 થી 500 કરોડ રૂપિયા
જો આપણે આઈપીએલ ટીમોની કમાણી વિશે વાત કરીએ તો તે ઘણી વધારે છે. બિઝનેસ લાઈને માર્ચ 2023માં ડી એન્ડ પી એડવાઈઝરીના મેનેજિંગ પાર્ટનર સંતોષ એન સાથેનો ઈન્ટરવ્યુ પ્રકાશિત કર્યો હતો. આ હિસાબે IPLનો સેન્ટ્રલ પૂલ 9000 થી 10000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેનો 50 ટકા હિસ્સો ટીમો વચ્ચે વહેંચાયેલો છે. આ હિસાબે દરેક ટીમને લગભગ 450 થી 500 કરોડ રૂપિયા મળે છે.
IPLમાં કમાણીનાં માધ્યમ શું છે ?
IPLમાં ફ્રેન્ચાઇઝી અને લીગ પાસે કમાણીનાં ઘણા સ્ત્રોત છે. આનો મોટો ભાગ મીડિયા પ્રસારણ અધિકારોમાંથી આવે છે. આઈપીએલના રાઈટ્સમાંથી મોટી કમાણી થઈ હતી. આ અધિકારો 5 વર્ષથી વેચવામાં આવ્યા છે. IPL સ્પોન્સરશિપથી પણ સારી એવી કમાણી કરે છે. દરેક ટીમની જર્સી પર સ્પોન્સર્સના લોગો છપાયેલા હોય છે. આ સાથે મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘણી જગ્યાએ જાહેરાતો લગાવવામાં આવે છે.
વધુ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સમાંથી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી 'આઉટ', પાકિસ્તાનથી આવશે નવો તોફાની બોલર
ખેલાડીઓ પર કેટલો ખર્ચ થાય છે?
જો ખેલાડીઓના ખર્ચની વાત કરીએ તો તે આવક કરતા ઘણો ઓછો છે. દરેક ટીમ હરાજી માટે 100 કરોડ રૂપિયાનું પર્સ રાખે છે. આમાં તેણે પોતાના માટે ખેલાડીઓ ખરીદવા પડશે. આ ખર્ચની સાથે ટીમ હોટલ, ફૂડ અને એસેસરીઝ પર પણ ખર્ચ થાય છે. પરંતુ આ તમામ ખર્ચ આવક કરતા ઓછો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સિઝન શરૂ થવાના 4 દિવસ પહેલા જ હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સને મોટો આંચકો લાગ્યો છે. ટૂર્નામેન્ટની તૈયારી કરી રહેલ 5 વખતની ચેમ્પિયન મુંબઈનો મહત્વનો બોલર બહાર થઈ ગયો છે. ગત સિઝનમાં મુંબઈ માટે સારૂ પ્રદર્શન કરનાર ડાબોડી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બેહરનડોર્ફની જગ્યાએ મુંબઈએ બીજા ડાબા હાથના ફાસ્ટ બોલરને બોલાવ્યો છે, જે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનમાં બાબર આઝમની ટીમ માટે પોતાની પ્રતિભા બતાવી રહ્યો હતો.
𝗨𝗣𝗗𝗔𝗧𝗘: Luke Wood replaces injured Jason Behrendorff.
— Mumbai Indians (@mipaltan) March 18, 2024
Wishing Jason a speedy recovery 💙#OneFamily #MumbaiIndians @lwood_95 pic.twitter.com/PoerY91O88
મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે 18 માર્ચના રોજ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે બેહરનડોર્ફ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયાના આ ડાબા હાથના ફાસ્ટ બોલરે ગત સિઝનમાં મુંબઈ માટે 12 મેચમાં 14 વિકેટ ઝડપી હતી અને ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેના સ્થાને મુંબઈએ ઈંગ્લેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર લ્યુક વૂડને ટીમમાં સામેલ કર્યો છે. વુડ તેની મૂળ કિંમત રૂ. 50 લાખ પર ટીમ સાથે જોડાશે.
તોફાની ઝડપ વુડની વિશેષતા છે
ઈંગ્લેન્ડનો 28 વર્ષનો લ્યુક વુડ પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે. આ પહેલા તે કોઈપણ ટીમની ટીમનો ભાગ પણ નહોતો. જ્યારે બેહરેનડોર્ફ મધ્યમ ગતિ સાથે તેની ચોક્કસ લાઇન-લેન્થને કારણે પ્રભાવ પાડે છે, ત્યારે લ્યુક વુડ તેની ઝડપી ગતિથી બેટ્સમેનોને છેતરવાની ક્ષમતા ધરાવે છે. તે સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.
વધુ વાંચો : IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ
પાકિસ્તાનમાં પોતાની શક્તિ દેખાડી
પાકિસ્તાનમાં પોતાની ઝડપ બતાવ્યા બાદ હવે લ્યુક વુડ ભારતમાં પણ આ જ કારનામું બતાવવા આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ લ્યુક વૂડ પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની કપ્તાની પેશાવર ઝાલ્મી ટીમ તરફથી રમી રહ્યો હતો. અહીં તેણે 11 મેચમાં 12 વિકેટ લીધી હતી અને તે પોતાની ટીમનો સૌથી સફળ બોલર હતો. જોકે, તે ટીમને ફાઇનલમાં લઈ જઈ શક્યો ન હતો અને ટીમ એલિમિનેટરમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. લ્યુક વૂડ ઈંગ્લેન્ડ તરફથી ટી20 ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. આ બોલરે 5 T20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ લીધી છે. જોકે, 2 ODI મેચમાં તેની બેગ ખાલી રહી હતી. કુલ મળીને વુડે 140 T20 મેચમાં 147 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, 5 વખતની ચેમ્પિયન ટીમની પ્રથમ મેચ 24 માર્ચ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
શ્રીલંકા સામેની 3 વનડે શ્રેણીમાં બાંગ્લાદેશના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ચારમાંથી બે ખેલાડીઓ માત્ર 3 ઓવરમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. તેને એવી ઈજા થઈ હતી કે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યા હતા. મતલબ કે પીડાને કારણે તે ચાલી પણ શકતો ન હતો. આ બે ખરાબ રીતે ઘાયલ બાંગ્લાદેશી ખેલાડીઓના નામ મુસ્તાફિઝુર રહેમાન અને ઝેકર અલી છે. તેમાંથી વિકેટકીપર જેકર અલીની હાલત વધુ ગંભીર જણાતી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હવે ચાલો જાણીએ કે મુસ્તફિઝુર રહેમાન અને જેકર અલી કેવી રીતે ઘાયલ થયા. શ્રીલંકા સામેની ત્રીજી ODI દરમિયાન ડાબા હાથના ફાસ્ટ બોલરને ખેંચાણ આવી, જેનું દર્દ તેના માટે અસહ્ય બન્યું અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. પરંતુ અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન જેકર અલી મેદાન પર અથડામણમાં ઘાયલ થયો હતો. વાસ્તવમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે તે તેના સાથી ખેલાડી અનામુલ હક સાથે અથડાઈ ગયો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. અનામુલ હકને પણ ઈજા થઈ હતી પરંતુ તે મામૂલી હતી.
3 ઓવરમાં 2 ખેલાડીઓ ઘાયલ થયા
મુસ્તાફિઝુર રહેમાન 48મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જેકર અલી 50મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. મતલબ કે આ બંને ખેલાડીઓ માત્ર 3 ઓવરમાં જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેકર અલીને મુસ્તાફિઝુરની જેમ સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો એટલું જ નહીં, તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો.
વધુ વાંચો : IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ
એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ સાથે અથડાતાં સૌમ્ય સરકાર ઘાયલ થયો
બાંગ્લાદેશ માટે મેદાન પરનો સમય સારો રહ્યો ન હતો. કારણ કે મુસ્તફિઝુર અને જેકર અલી સિવાય બે અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આમાં સૌમ્યા સરકાર હતો, જેણે બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે મેદાન પર લગાવેલા જાહેરાત બોર્ડ પર તેની ગરદન વાગી હતી અને તે ઘાયલ થઈ ગયો હતો. જ્યાં સુધી મેચની વાત છે, શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 235 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી, તે સૌથી સફળ બોલર હતો. બાંગ્લાદેશે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. જ્યારે શ્રીલંકાએ બીજી વનડે જીતી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો