Gujarat
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટનાં કારણે રાજ્યમાં બે દિવસ ગરમીનો વધુ અનુભવ કરશે.
રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. બુધવારે રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિલસ અનેક જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે સુકુ રહેશે. તેમજ આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમજ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગો અને અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઈટ રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવને આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાત્રે ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સિવાયનાં તમામ જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.
વધુ વાંચોઃ અમદાવાદ SVPI એરપોર્ટે રેકોર્ડ સર્જ્યો, એક જ વર્ષમાં આટલા એરક્રાફ્ટ ટ્રાફિક અને મુસાફરોને આપી સેવા
આજે તા. 29 નાં રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આજે બાકીનાં જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2014 અને 2019 કરતા પણ મોટી જીત હાંસલ કરવાનું સપનું જોઈ રહી છે. આ માટે પાર્ટી દરેક પગલા સાવધાની સાથે ઉઠાવતી જોવા મળી રહી છે. 2019 જેવી જ ફોર્મ્યુલા ફરીથી અપનાવવામાં આવી રહી છે. ભાજપે 370નો લક્ષ્યાંક હાંસલ કરવા અને NDA માટે 400 પ્લસનો ટાર્ગેટ પુર્ણ કરવા 104 સીટીંગ સાંસદોને ટિકિટ આપી નથી. મતલબ કે 100થી વધુ સાંસદો ચૂંટણી મેદાનમાંથી બહાર કરી દીધા છે. 2014 અને 2019ની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. આ વખતે ભાજપે મેરઠથી ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલે રાજેન્દ્ર અગ્રવાલનું સ્થાન લીધું છે, જેમણે આ બેઠક પર સતત ત્રણ જીત નોંધાવીને હેટ્રિક નોંધાવી હતી.
ભાજપે મેરઠથી પોતાના ઉમેદવાર બદલ્યા પરંતુ આ શહેરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની પરંપરા બદલાઈ નથી. સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણી માટે 2 ફેબ્રુઆરીના મેરઠમાં એક રેલી સાથે તેમના પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલા 28 માર્ચે પીએમ મોદીની પહેલી રેલી મેરઠમાં યોજાઈ હતી. હવે લોકસભા ચૂંટણી 2024 માટે તેમની પહેલી રેલી 30 માર્ચે મેરઠમાં યોજાવા જઈ રહી છે. તેવી જ રીતે 2017 અને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીની પ્રથમ ચૂંટણી રેલીનું પણ મેરઠમાં આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી ભાજપ પ્રચારની શરૂઆત મેરઠથી કરવાનું શુભ માને છે. ભાજપનું માનવું છે કે શરૂઆતમાં મેરઠથી મળેલી તાકાત યુપીના બીજા ખૂણા પૂર્વાંચલ સુધી વિસ્તરે છે.
દરેક વખતે મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને જંગી જીત હાંસલ કરી લેવી, બીજેપી આવા ભ્રમમાં નથી જોવા મળી. આ વખતે પણ ભાજપનું સૌથી વધુ ધ્યાન વિજેતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર છે. 370 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મોટો છે, આ માટે દરેક યોગ્ય ઉમેદવારની પસંદગી મોટુ ફેક્ટર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 303 ઉમેદવારો જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જેમાંથી મોદી સરકારના 10 કેન્દ્રીય મંત્રીઓ સહિત અત્યાર સુધીમાં 104 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. 2019ની ચૂંટણી પહેલા પણ ભાજપે તેના 282માંથી 119 સાંસદોની ટિકિટ કાપી હતી. એટલે કે લગભગ 42 ટકા સાંસદોને ફરી ટિકિટ મળી નથી. આ વખતે ભાજપ લગભગ 450 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે, જેમાંથી લગભગ 90 ટકા એટલે કે 402 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે અત્યાર સુધીમાં લગભગ 34 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. જેમાં વરુણ ગાંધી, પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી, દર્શના જરદોશ, રમેશ પોખરિયાલ નિશંક, પ્રતાપસિંહા, જનરલ વીકે સિંહ, અનંત હેગડે, અશ્વિની ચૌબે, હર્ષ વર્ધન, ગૌતમ ગંભીર જેવા મોટા નામ સામેલ છે. જનરલ વીકે સિંહની જગ્યાએ અતુલ ગર્ગને ગાઝિયાબાદથી ટિકિટ મળી છે. વીકે સિંહે પોતાની વધતી જતી ઉંમરનું કારણ આપીને ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે પીલીભીતના વરુણ ગાંધી લાંબા સમયથી પોતાની પાર્ટી અને સરકાર વિરુદ્ધ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ વખતે તેમના સ્થાને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બરેલીથી 8 વખતના સાંસદ સંતોષ ગંગવારની ટિકિટ રદ કરવામાં આવી છે. વધતી જતી ઉંમર ટાંકવામાં આવી હતી. તેમની જગ્યાએ છત્રપાલ સિંહ ગંગવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ મળી નથી. અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ આલોક શર્મા મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત ઉત્તર કન્નડમાંથી છ વખતના સાંસદ અનંત હેગડે ચૂંટણી નહીં લડે. હેગડે વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને હેડલાઇન્સમાં રહ્યા હતા. વિશ્વેશ્વર હેગડે હવે તેમનું સ્થાન લેશે. ભાજપે ગુના સીટ પરથી સાંસદ કેપી યાદવની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
2024ની ચૂંટણીમાં ભાજપ પાસે ત્રણ મુખ્ય લક્ષ્યો છે - 50 ટકાથી વધુ વોટ શેર મેળવવા, સ્ટ્રાઈક રેટ વધારીને 80 ટકા કરવા અને એનડીએને 400થી વધુ બેઠકો મેળવવામાં મદદ કરવી.
ભાજપે અત્યાર સુધી તેની છ યાદીમાં 402 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા ચાર યાદી પણ બહાર પાડવામાં આવી છે. કોંગ્રેસ લગભગ 280 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે, જેમાંથી 193 બેઠકો પર ઉમેદવારોના નામ સામે આવ્યા છે. કોંગ્રેસે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અજય રાયને ટિકિટ આપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને તમિલનાડુના શિવગંગાઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે, ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. આ અંગે હજુ સસ્પેન્સ છે. ભાજપે રાયબરેલી સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
હવે ભાજપ ઓછામાં ઓછા 30-40 વધુ ઉમેદવારોના નામ જાહેર કરશે, તેથી માનવામાં આવે છે કે આ સિવાય ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ પણ કપાઈ શકે છે. ઉદાહરણ તરીકે, વિવાદાસ્પદ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ઉમેદવારી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, અત્યાર સુધીમાં 104 ટિકિટ કપાઈ હોવા છતાં ભાજપ પાસે ચૂંટણી લડનારા મોટા નેતાઓની કોઈ કમી નથી. પાર્ટીએ 7 કેન્દ્રીય મંત્રીઓ, 3 કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને 7 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
અમદાવાદમાં એક એવું મંદિર છે જે વર્ષમાં બે દિવસ જ ખુલે છે. હોળી અને ધુળેટીના પર્વ પર ખૂલતા આ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે...અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલુ ભાભારાણા મંદિર વર્ષમાં હોળી અને ધુળેટીના પર્વ એમ બે દિવસ જ ખુલે છે. હોળી ધુળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે. ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેમજ અન્ય દુ;ખીયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે પુરી થાય છે.
હોળી અને ધૂળેટીના દિવસે ખૂલે છે મંદિર
ભાભારાણા મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામે છે. ભાભારાણા મંદિરમાં અમદાવાદ સહિત ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશથી ભાવિકો દર્શન કરવા આવે છે. ભાવિકો જે માનતા માને છે તે માનતા પૂર્ણ થાય એટલે હોળી અને ધુળેટીના દિવસે દર્શન કરવા આવે છે. અને એવું ક્યારેય નથી બન્યુ કે કોઈની માનતા પૂર્ણ થઈ ન હોય. જે ભાભારાણાનું સત છે. કેટલીક લોકવાયકાઓ પ્રમાણે ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ્ધિ સહજ હતી. જે સમયમાં મેડીકલ સાયન્સ આજના જેટલુ વિકસેલુ ન હતું અને બાળક થવા માટે ની કોઈ દવાઓના સંશોધન થયા ન હતા, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશિષથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી.
વર્ષોથી ચાલતી પરંપરા હજુ પણ અવિરત
આજે જે સ્થળ પર મંદિર છે તે સ્થળ પર પહેલા એક ઓટલો હતો. જ્યાં ભાભારાણા દેવ ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીનાં દિવસે ભાભારાણા દેવે ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ. હોળીના આગલા દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે. ભાભારાણા મંદિરે દર વર્ષે હોળી અને ધૂળેટીના દિવસે ભજન, કીર્તન પૂજન, દર્શન કરવા અને ગામમાં નીકળતી પાલખી યાત્રામાં જોડાવા માનવમહેરામણ ઉમટી પડે છે. હોળી અને ધૂળેટીના દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ મંદિર ખુલતુ હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે..
લોકવાયકા પ્રમાણે ભાભારાણા અત્યંત પવિત્ર જીવ
સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે ચીકણી માટી લાવે છે. અને ગામનાં લોકો ભેગા મળી આખી રાત જાગીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં તો કોઈ તેજસ્વી રાજા સિંહાસન પર જીવતા બિરાજમાન થઇ ગયા હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળીના દિવસે સવારે 5 વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે. ભાભારાણાના સમયમાં જન્મેલા બાળકોનુ દવાઓના અભાવે મરણનુ પ્રમાણ વિશેષ હતુ ત્યારે ગામડામાં આ વચનસિધ્દ્ધ પવિત્ર પુરૂષની માત્ર આશિષથી બાળ-બચ્ચા બચી જતા હતા. માનતા પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓના લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ મંદિરે ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.
વધુ વાંચોઃ આજે આ રાશિના જાતકોના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ, જુઓ તમારું રાશિ ભવિષ્ય
ભાભારાણાના આશિષથી શેર માટીની ખોટ પુરાય છે
ધૂળેટીના દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. વર્ષોથી એક પણ વર્ષ ચુક્યા વિના ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કે કોઈ ચોકકસ કોમ-જાતીનો ઈજારો નથી. માત્ર અને માત્ર ભાભારાણાની શ્રધ્ધા પર જ તહેવારની ઉજવણી થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
25મી માર્ચે SVPIAએ ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકાની વૃદ્ધિ સાથે 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા હતા. ગત નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 7% ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.
પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપુર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા કાયાકલ્પ અને કનક્ટીવીટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. SVPI એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવીએશન ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને ટેકો આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાથી મુસાફરોની સગવડમાં વધારો
છેલ્લાં થોડાં વર્ષોમાં SVPIA એ પેસેન્જર અનુભવને સુધારવા કરેલા માળખાગત સુધારાઓમાં નીચેની સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ડિજી યાત્રા
ઝડપી બોર્ડિંગ એક્સેસ માટે ટર્મિનલ 1 (T-1) પર શરૂ કરાયેલ ડિજી યાત્રાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને પીક અવર્સમાં તે ખૂબ ઉપયોગી નીવડે છે.
સેલ્ફ-બેગેજ ડ્રોપ
આ સેવા બેગેજ ચેક-ઈનને ઝડપી બનાવી પ્રવાસીઓનો સમય બચાવે છે.
પિકઅપ અને ડ્રોપ માટે ખાસ લેન
મુસાફરોની યાત્રા વધુ સરળ બનાવવા આગમન અને પ્રસ્થાન વિસ્તારોમાં સમર્પિત લેન બનાવવામાં આવી છે.
ઈ-ગેટ્સની સંખ્યામાં વધારો
મુસાફરોને સિક્યુરીટી ચેક સુધી પહોંચવા સરળ અને મુશ્કેલીમુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા ઈ-ગેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
ઉત્કૃષ્ટ બેગેજ સર્વિસીઝ: ટર્મિનલમાં તમામ નવા આગમન હોલ ખાતે બેગેજ રિક્લેમ બેલ્ટમાં પણ ઉમેરો કરે છે.
ફોરકોર્ટ વિસ્તરણ અને આગમન પ્લાઝા
ફોરકોર્ટ વિસ્તાર વધુ છૂટક અને ખાણી-પીણીના વિકલ્પો સાથે તમામ નવા અરાઈવલ પ્લાઝા મુસાફરોને લેવા-મૂકવા આવતા પેસેન્જર્સના સંબંધીઓની જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે.
આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું આધુનિકીકરણ અને કનેક્ટિવિટીમાં વૃદ્ધિ
ઇન્ટરનેશનલ ટર્મિનલ (T-2) ના આધુનિકીકણ સાથે મોટા સુધારાઓ કરાયા છે, જેમાં નવા આગમન અને પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તાર સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. તદુપરાંત નીચેના સુધારાઓ કરવામાં આવ્યા છે.
ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર ફેસિલિટી
આ સુવિધા અંતર્ગત આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા મુસાફરો માટે સરળતાથી ફ્લાઈટ્સ ટ્રાન્સફર કરી શકે છે. નવો બહોળો સિક્યોરિટી ચેક એરિયા: આ બહોળો વિસ્તાર એક્સ-રે મશીનો તેમજ મુસાફરોની સિક્યોરીટી ચેક લેનમાં પ્રતીક્ષા સમય ઘટાડી સુવિધામાં વધારો કરે છે. રાજકોટ ઇન્ટરસિટી બસ સેવા: આ નવીન સેવા રાજકોટની આસપાસના વિસ્તારોના મુસાફરોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક અનુકૂળ પરિવહન પ્રદાન કરે છે. ગુજરાતાના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ: ગુજરાતની સંસ્કૃતિ અને વારસાના સમૃદ્ધ ઇતિહાસથી ચિતરાયેલા નવા પ્રવેશ અને નિકાસ દરવાજાથી લોકો પ્રભાવિત થયા હતા.
વધુ વાંચોઃ અમદાવાદ સહિત બે શહેરોમાં ફાટી નીકળ્યો રોગ, હોસ્પિટલમાં દર્દીઓનો ટ્રાફિકજામ
નેટવર્ક વિસ્તરણ માટે ભવિષ્યની યોજનાઓ
આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઇન્સ અને 16 આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુરી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતૂરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
રાજ્યમાં ઠંડી બાદ આવેલી ગરમી સાથે રોગચાળો વકર્યો છે. જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના 855 કેસ નોંધાયા છે. કોલેરાના 4 કેસ આવતાં મ્યુનિ.એ છેલ્લા 3 મહિના દરમિયાન કરેલી પાણીની તપાસમાં 157 સેમ્પલ અનફીટ આવ્યા છે. અર્થાત્ આ પાણી પીવાલાયક હતું નહીં. અનફીટ સેમ્પલમાંથી સૌથી વધુ 98 દક્ષિણ ઝોનના હતા. 2023માં પણ દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 414 પાણીના સેમ્પલ અનફીટ સેમ્પલ પુરવાર થયા હતા. તો માર્ચના 24 દિવસમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
આ સાથે જ H1N1 na કેસમાં પણ વધારો નોંધાયો છે. જ્યાં શહેરમાં 173 કેસ નોંધાયા જે ગત વર્ષના માર્ચ મહિનામાં 100 કેસ હતા. તો આ વર્ષના કેસમાં અસારવા સિવિલમાં H1N1 5 દર્દીને નોંધાયા દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીમાં દર્દી છે. 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. દર્દીઓમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડ ના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબીડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજન પર રખાયા છે.
શહેરમાં વધેલા રોગચાળામાં ઝાડા-ઊલટીના 562, કમળાના 85, ટાઇફોઇડના 204, તેમજ કોલેરાના 4 કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળો વકરતાં કરવામાં આવેલી તપાસમાં પકડાયું હતું કે, 406 કિસ્સામાં પાણીમાં ક્લોરિન હતું જ નહીં. તો છેલ્લા 24 દિવસમાં પાણીના સેમ્પલોની ચકાસણીમાંથી 60માં બેક્ટેરિયા પકડાયો હતો. દાણીલીમડામાં પાણીના સૌથી વધુ 32, બહેરામપુરામાં 24, વટવામાં 18, લાંભામાં 11, ઈસનપુરમાં 6, મણિનગરમાં 1 સેમ્પલ ફેલ પુરવાર થયું હતું. ઉપરાંત ગોમતીપુરમાં 3, વિરાટનગરમાં 3, નિકોલમાં 2, સરસપુરમાં 3, કુબેરનગરમાં 2, મક્તમપુરામાં 4, ચાંદખેડામાં 2 સેમ્પલમાં પાણીમાં બેક્ટરિયા મળ્યા હતા. જે એજ બતાવે છે કે શહેરમાં ક્યાંક પીવા લાયક પાણી નથી. તો ઋતુના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે.
રાજકોટ શહેરમાં રહેલી સવારે ઠંડી તો બપોરે આક્રમક તડકા પડી રહ્યા છે ત્યારે રોગચાળાના કેસમાં પણ વધારો નોંધાયો છે ગયા સપ્તાહમાં સરકારી દવાખાનામાં 1500 થી વધુ શરદી ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા હતા. ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 281 કેસ નોંધાયા હતા.ઝાડા ઉલ્ટીના 192 કેસ નોંધાયા હતા..ટાઇફોઇડ તાવના 02 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળા નો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારોમાં જોવા મળ્યો હતો.
વધુ વાંચોઃ સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ જે રોગચાળો વકરીઓ છે તેમનું કારણ એ છે કે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે જ્યારે બપોરે 40 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જતું હોય છે આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે જેમના કારણે રોગચાળો વોકર્યો છે. શહેરીજનો માટે ચિંતાનો કારણ કહી શકાય તે સીઝનલ ફ્લૂ કે જે ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાતો હતો તે ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સીઝનલ ફ્લુ ની કેટેગરી એ અને કેટેગરી બિ ના ટેસ્ટ થતા નથી હોતા પરંતુ ખેતી કરી સી એટલે કે જે કે સિરિયસ જણાય છે તેમના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. સરકારી ઉપરાંત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધારે જોવા મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
14 મી લોકસભા માટે ફરી એક વખત જંગ જામી રહ્યો છે. ત્યારે સુરતની બેઠક ઉપર કેવું છે. વાતાવરણ ભાજપ કોંગ્રેસ ક્યાં ઊભા છે અથવા તો લોકોનો મૂડ કેવો છે એ જાણવાનો પ્રયાસ આપણે બેઠક બોલે છે એના આજના એપિસોડમાં કરવા જઈ રહ્યા છીએ સને 1989 90 થી સુરતની બેઠક હર હંમેશ ભાજપની જોડીમાં રહી છે. કાશીરામ રાણાએ સતત આ બેઠક પાંચ વખત જીતી હતી ત્યારબાદ આ બેઠક ઉપર દર્શનાં જરદોશ ત્રણ વખત ઉમેદવાર હતા અને વિજેતા બન્યા હતા આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપએ મુકેશ દલાલને ટિકિટ આપી છે સામા પક્ષે કોંગ્રેસ મૂળ સૌરાષ્ટ્રવાસી એવા નિલેશ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે સુરતમાં કેવી છે પરિસ્થિતિ તે જાણવાનું અહીંયા આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.
છેલ્લા 35 વર્ષથી પરંપરાગત રીતે સુરત લોકસભાની બેઠક એ ભાજપનો ગઢ રહ્યો છે. 2004 થી 14 સુધી યુપીએની સરકાર આવી તેમ છતાં સુરતનો મતદાર હર હંમેશ ભાજપની સાથે જ રહ્યો છે. 89 90 થી કાશીરામ રાણા સતત વિજેતા બનતા હતા 2009માં સુરતની બેઠક ઉપર સાંસદ બન્યા 14માં પણ તેઓ હતા અને 19 માં પણ તેઓ જ સાંસદ બન્યા હતા. આમ છેલ્લા 35 વર્ષમાં પરંપરાગત રીતે આ બેઠક ભાજપ પાસે રહી છે. પરંતુ માત્ર બે જ સાંસદો અહીંયા ચૂંટાયા છે. 2024 ની વાત કરીએ તો ભાજપે અત્યારે મુકેશ દલાલ ઉપર પસંદગીનો કળશ તોડ્યો છે. મુકેશ દલાલ એ ભાજપના જુના કર્મનિષ્ઠ કાર્યકર ગણાય છે સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું છે વર્ષોથી કોર્પોરેટર છે. ત્રણથી વધુ વખત તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે સાથે સાથે હાલમાં સુરત શહેર ભાજપના મહામંત્રી પણ તેઓ છે. આમ વર્ષોથી ભાજપની કોઈપણ એક થી પોસ્ટ કે મહત્વની જવાબદારી નિભાવનારા મુકેશ દલાલના શીરે આ વખતે લોકસભા સુરત બેઠક લડવાની જવાબદારી પક્ષના શીર્ષ નેતૃત્વ એ સોંપી છે.
મુકેશ દલાલ મૂળ સુરતી મોટવણી જ્ઞાતિના છે અને મૂળ સુરતીના ભાગે સુરતની બેઠક આવે એવી પરંપરા ભાજપે જાળવી રાખી છે મુકેશ દલાલ આમ તો સુરત ભાજપમાં અજાત શત્રુ ગણાય છે. તેમ છતાં તેમની વફાદારી હાલમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી છે. તે એક મહત્વનું કારણ છે કે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હોય અલબત્ત મુકેશ દલાલ માટે એક ચર્ચા અથવા તો દલીલ એવી પણ થાય છે કે તાજેતરમાં પીપલ્સ કો ઓપરેટિવ બેન્કની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી પણ તેઓ હારી ગયા હતા અને તેમની ઉપર હવે સુરત લોકસભાના ચૂંટણી જીતવાનો જવાબદારી નાખવામાં આવી છે. જોકે જે સુરત પીપલ કો ઓપરેટિવ બેન્કની ચૂંટણી તેઓ હાર્યા હતા. તેમાં જ્ઞાતિ સમીકરણ તેમની વિરુદ્ધ હતું. પરંતુ હવે જ્યારે તેઓ લોકસભાના ઉમેદવાર છે અને સાથે સાથે ભાજપના ઉમેદવાર છે એ ઉપરાંત ભાજપના હાઈ કમાન્ડના ચારે હાથ તેમના ઉપર છે ત્યારે જ્ઞાતિ સમીકરણ તેમને નડે તેવું લાગી નથી રહ્યું બીજી તરફ જ્ઞાતિના ધોરંધરો જે બેંકની ચૂંટણીમાં તેમની સામે હતા તે તમામ અત્યારે ભાજપની સાથે છે અને ઇનડાયરેકટલી એ મુકેશ દલાલની સાથે છે.
સુરત બેઠક ઉપર કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રવાસી એવા નિલેશ કુંભાણી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે જમીન લે વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ કુંભાણી એ પણ કોંગ્રેસમાં અજાત શત્રુ ગણાય છે. તેમ છતાં તેમની ટિકિટ કાપવા માટે કેટલાય લોકો એ મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસ હાઇ કમાન્ડે તેમની ઉપર પસંદગીનો કળશ દોડ્યો છે નિલેશ કુંભાણી જુના અને કસાયેલા કોંગ્રેસી છે. તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિયતા અને પાટીદાર અનામત આંદોલન વખતે તેમનું ઓફિસ એ એક ધમધમતું અને અગત્યનું સેન્ટર હતું સાથે સાથે તેઓ 2015 થી 2020 સુધીની સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને પછાડી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ પણ આવ્યા હતા.
ત્યારબાદ કોર્પોરેશન નું બીજું ઇલેક્શન તેઓ હારી ગયા હતા. તેની સાથે સાથે કામરેજ લોક વિધાનસભા બેઠક ઉપરથી પણ તેમનો કારમો પરાજય થયો હતો. અલબત્ત બે ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે. બીજી તરફ નિલેશ કુંવાણી સુરત શહેર માટે એટલે કે સુરત પૂર્વની બેઠક હોય સુરત પશ્ચિમની બેઠક હોય કે ઓલપાડ 84 બેઠકનો અમુક કિસ્સો હોય ત્યાં નિલેશ અંબાણી અજાણ્યો ચહેરો છે સામાપક્ષે વરાછા બેઠક હોય સુરત ઉત્તર હોય કતારગામ બેઠક હોય આ તમામ જગ્યાએ કે કરંજ બેઠક હોય આ તમામ જગ્યાએ નિલેશ કુંભારની જાણીતો ચહેરો છે અલબત્ત સુરતની બેઠક ઉપર કોંગ્રેસનું જે સંગઠન હોવું જોઈએ એ સંગઠન નથી કાર્યકરોનો અભાવ છે તે વસ્તુ અત્યારે પણ નિલેશ કુંભાણીને ભજવી રહ્યું હોવાનું કહેવાય છે અલબત્ત જો નેટવર્ક ગોઠવાઈ તો ચોક્કસપણે નિલેશ કુંવાણી એક મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવી શકે તેવું લાગી રહ્યું છે
સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો સુરતમાં કુલ 17,67,341 મતદારો છે સુરતમાં ઓલપાડ સુરત ઉત્તર સુરત પશ્ચિમ વરાછા રોડ કરંટ અને કતારગામ બેઠકનું સમાવેશ થાય છે સુરતની બેઠક ઉપર જો વિસ્તાર વાઈઝ વાત કરીએ તો ઓલપાડની બેઠક સૌથી મોટી બેઠક છે ઓલપાડ ની બેઠક એટલે કે ઓલપાડ વિધાનસભામાં 49000 જેટલા મતદારો છે જ્યારે સૌથી નાની બેઠકની વાત કરીએ તો સુરત ઉત્તર વિધાનસભા બેઠક છે જેમાં માત્ર 1,56,000 જેટલા મતદારો છે સુરતની બેઠક આમ તો મતદારોની દ્રષ્ટિએ જ્ઞાતિ જાતિ અને વિસ્તારનો ઉલ્લેખ કરીએ અને વર્ગીકરણ કરીએ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય તેવી વિગતો સામે આવે છે.
વધુ વાંચોઃ ગુજરાતના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની સોંપાઈ ફરજ, જુઓ લિસ્ટ
સુરતની બેઠક ઉપર સૌરાષ્ટ્રવાસી પાટીદારો ₹4,42,000 થી વધારે હોવાનું અનુમાન છે તેવી જ રીતે સુરતની બેઠક ઉપર ઘડિયા અને પ્રજાપતિ સમાજના એક લાખ 8 હજાર જેટલા મતો જોવા મળી રહ્યા છે બીજી તરફ મુસ્લિમ મતદારોની વાત કરીએ તો બે લાખ ચૌદ હજાર જેટલા મુસ્લિમ મતદારો અંદાજિત છે આ ઉપરાંત હળપતિ સમાજની વાત કરીએ તો 87,000 જેટલા હળપતિ છે આહીર અને ભરવાડ સમાજની વાત કરીએ તો 41,000 જેટલા એ મતદારો છે જૈન મતદારોની વાત કરીએ તો 48,000 મતદારો છે મોઢવણિક 54,000 જેટલા છે સ્થાનિક પાટીદારો જે કહેવાય તે લગભગ ૫૯ હજાર જેટલા છે અને દલિત 60000 છે. પક્ષીપંચના લગભગ 62000 જેટલા મતદારો છે આમ સુરતની આ બેઠકની વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસી કુલ મતદારો જે છે તેની સંખ્યા પાંચ લાખ 93,000 જેટલી થવા જાય છે આમ સુરતની બેઠક ઉપર સૌરાષ્ટ્રવાસી મતદારોનું પ્રભુત્વ છે પરંતુ સુરતની લોકસભા બેઠકમાં સમાવેશ તમામ બેઠકો અત્યારે ભાજપ જંગી બહુમતીથી વિધાનસભામાં જીતી ચૂકી છે ત્યારે સુરતની બેઠક ભાજપ માટે કપડા ચડાણ છે તે કેવું તે વાસ્તવિકતા ને દૂર રાખીને કરેલું નિવેદન ગણી શકાય અલબત્ત સૌરાષ્ટ્રવાસી મતદારો કોંગ્રેસે એને રીઝવવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયાસ કેટલો સફળ રહે છે એ જોવું રહ્યું.
લોકસભા ચૂંટણીઓને લઇને ચૂંટણીપંચ તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની ફરજ સોંપવામાં આવી છે. . તેમને ફરજ સોંપાતા તેમના વિભાગનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. વિનોદ રાવ, ધવલ પટેલ, મુકેશ કુમાર, આર બી બારડ, અજય પ્રકાશ સહિતના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
લોકસભા ચૂંટણીઓને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીઓને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી લોકસભા ચૂંટણીઓ ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. લોકસભાની સાથે 4 રાજ્યો - આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં મતદાન 7 મેના રોજ
19 એપ્રિલ- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
20 એપ્રિલ - ફોર્મ ચકાસવાની તારીખ
22 એપ્રિલ- ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
7 મે - મતદાનની તારીખ
4 જૂન- મતગણતરીની તારીખ
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા સભાઓ ગજવી હતી. તે દરમ્યાન કરેલ નિવેદનને લઈ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા જે તે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારોએ કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ
લોકસભા 2024 ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસનાં બંને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ઉમેદવારો દ્વારા સભાઓ પણ ગજવવામાં આવી રહી છે. ઉમેદવારો દ્વારા અમુક જગ્યાએ સભાઓ ગજવતી વખતે જીભ લપસી જતી હોય છે. જે બાબતે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ચૂંટણી પંચ દ્વારા આ મામલે જે તે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે.
વધુ વાંચોઃ અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ, બિલ્ડર નિશાને, ભુવો કારણ
સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સંબંધે કાર્યવાહી કરશે
લોકસભા ચૂંટણીની આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના બે ઉમેદવારો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે. પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરશોત્તમ રૂપાલાનાં ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે. આ મામલે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સબંધે કાર્યવાહી કરશે.
અમદાવાદના બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.. ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યુ હતું. વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ હુમલો કરવામાં આવ્યો હતો.. બીજી તરફ બિલ્ડરે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
હુમલાખોરોએ બિલ્ડરની ગાડી પર પણ હુમલો કરી નુકશાન પહોંચાડયું હતું. બિલ્ડરે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં હાલ ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડરનું નામ સામે આવ્યું છે.. પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે..
અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે. આ લાઇસન્સ 500થી 1000 રૂપિયા ભરીને મળશે. આ માટે શ્વાનને RFID ચિપ પણ લગાવાશે. શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો છે.
કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો જાણ કરવાની રહેશે
પાલતુ શ્વાન માટેના નિયમો જોઈએ તો કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. તેઓ આ કૂતરાનું ગલુડિયા કોઈને આપે કે વેચે તો તેની પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે. કૂતરાના માલિકના ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન કરવામાં આવશે.
કેટેગરી મુજબ લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે
આગામી દિવસોમાં વિવિધ પ્રકારના કૂતરાને કેટેગરાઇઝ કરીને તેની કેટેગરી મુજબ લાઇસન્સ ફી નક્કી કરવામાં આવશે તેમ મ્યુનિસિપાલિટીના સૂત્રોએ જણાવ્યું હતું. પણ હજી સુધી આ શ્વાન જુદી-જુદી કેટેગરીઓ સુનિશ્ચિત કરી શકાઈ ન હોવાથી હાલમાં તો 500થી 1000 રૂપિયા જ લાઇસન્સ ફી લેવાશે. આગામી દિવસોમાં કેટેગરી મુજબ આ ફીની રકમ વધી પણ શકે છે.
2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન
અમદાવાદ શહેરમાં 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન હતા. શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવાનું અને શ્વાનને RFID ચીપ પણ લગાવવાનું પણ કોર્પોરેશનનું આયોજન છે.. આ માટે મ્યુનિ. 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને ટેન્ડર પણ બહાર પાડી દીધા છે.