Gujarat
લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આને લઇને પરપિત્ર બહાર પાડવામાં આવ્યો છે.. વળતરની રકમ તેમને મળતા લાભો ઉપરાંતની હશે. મહત્વપૂર્ણ છે કે પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા શિક્ષકના અકસ્માતની ઘટના સામે આવી હતી.. જેને લઇને હવે આ નિર્ણય લેવાયો છે.
ચૂંટણી દરમિયાન મોટાપાયે સરકારી કર્મચારીઓ ચૂંટણી સાથે જોડાયેલી ફરજ બજાવતા હોય છે. જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.
અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને કરાય છે તૈનાત
આ માટે સરકારી કર્મચારીઓને ચૂકવણુ પણ આપવામાં આવે છે. જે તેમને જે જવાબદારી સોંપવામાં આવી હોય તેને આધારિત હોય છે.. ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રિસાઇડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે.
ચૂંટણી ફરજ બજાવતા પ્રથમ મતદાન કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે.
હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સાથે જ પવન ની દીશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે. જેની આ અસર છે. તેમજ ગીર સોમનાથમાં ગત રોજ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભેજ વાળા ગરમ પવનના કારણે અકળામણ અનુભવશે તેવી શકયતા વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું. તેમજ અમરેલીમાં 42 ડિગ્રી રહ્યું. જેમાં આંશિક ઘટાડો થતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે.
લૂ લાગે તો આ સારવાર કરો
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તીને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલસ બોલાવવી.
આટલું ન કરો
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.
અમદાવાદની તક્ષ્વી વાઘાણી છે તો માત્ર 6 વર્ષની પરંતુ આ નાનકડી દીકરીએ નાની ઉંમરમાં સ્કેટિંગમાં જે માસ્ટરી મેળવી છે તે ભાગ્યેજ કોઈ કરી શકે. તક્ષ્વીને લિમ્બો સ્કેટિંગ કરતી જુઓ તો તમે વાહ બોલ્યા વિના ભાગ્યે જ રહી શકો. તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે. લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ એટલી કુશળતા મેળવી છે કે જાણે પાણી પર માછલીને તરતી જોઈ લો.
ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે
તક્ષ્વીના રેકોર્ડની જો વાત કરીએ તો લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વાત તક્ષ્વીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોય પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે. આજે તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે. તક્ષવીએ 16 સેમી હાઈટ નીચે 25 મીટર સુધી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ અને તેને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે.
તક્ષ્વી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી
તક્ષ્વી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર માત્ર 6 વર્ષની છે અને તેના માતા પિતા ડેન્ટલ સર્જન છે. તક્ષ્વીની આ સિદ્ધિ પાછળ તેના માતા-પિતાનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. કોરોનાકાળમાં દીકરીને રમત ગમત સાથે જોડવા સમાન્ય સ્કેટિંગ શરૂ કરાવ્યું. ત્યારબાદ તેને પ્રોફેશનલ એકેડમીમાં તાલીમ માટે મોકલવામાં આવી અને લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ છે. જેમાં ખૂબ ઝડપી પ્રોગ્રેસ જોવા મળ્યો અને શરૂ થઈ તક્ષવી વાઘણીની સફળતાની શરૂઆત.
અતિશય ચેલેન્જિંગ અને મહેનત માગી લેતા લિમ્બો સ્કેટિંગમાં તક્ષવી ઘણી મહેનતથી આગળ વધી રહી છે અને અર્જુનની આંખની જેમ તેનો ગોલ સેટ છે, જે છે ઓલમ્પિક રમીને ગોલ્ડ મેડલ મેળવવો. ત્યારે તક્ષવી જલ્દી તેના ગોલ સુધી પહોંચે એ જ શુભેચ્છા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સુરતના કિમ-માંડવી સ્ટેટ હાઈવેને જોડતો તડકેશ્વર-મોસાલી રોડ કે જ્યાં શાહ ગામ નજીક લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાહગામ નજીક આવેલી ખાડી પર વર્ષો પહેલા એક માર્ગીય રસ્તો હતો અને તેના પર લો-લેવલ બ્રિજ હતો. જેથી ગ્રામજનોની માગ હતી કે અહીં ઉંચો બ્રિજ બનાવવામાં આવે છે. ત્યાર બાદ બ્રિજ મંજૂર પણ થયો અને બની પણ ગયો. પરંતુ ગ્રામજનોને રાહત નથી મળી. કારણકે બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે. બ્રિજના બંને છેડે ડામર પાથરવાને બદલે માત્ર મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટની આવી બેદરકારીનો ભોગ ગ્રામજનો બની રહ્યાં છે. કોન્ટ્રાક્ટરના આવા કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
માર્ગ મકાન વિભાગનાં અધિકારીએ શું કહ્યું?
બાઈક સવાર કેવી રીતે પસાર થઇ રહ્યા હશે તે એક પ્રશ્ન છે. વાત એટલેથી નથી અટકતી. આ બ્રિજની નજીકથી જ હાઈટેન્શન વીજલાઈન પસાર થાય છે. ત્યારે બ્રિજ પરથી પસાર થતા ટ્રક અને બસ જેવા મોટા વાહનો તેની સાથે અથડાવાનો પણ ભય સતત રહે છે. ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પણ મોટો સવાલ છે. આ બાબતે જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ શ્રમિકોના અભાવે કામ બંધ હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા.
વધુ વાંચોઃ બિસ્માર રોડ લોકો માટે બન્યો આફત, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ
વિકાસ કામો પાછળ કરોડો રૂપિયા વપરાય છે. પરંતુ આ વિકાસ કામો યોગ્ય થાય છે કે નહીં તે જોવાનો અધિકારીઓ કે નેતાઓ પાસે સમય નથી. એટલું જ નહીં કામમાં વેઠ ઉતારનાર એજન્સી સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી. જેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે. ત્યારે સુરતમાં પણ બ્રિજના કામમાં બેદરકારી દાખવનાર એજન્સી સામે ક્યારે કાર્યવાહી થશે અને ક્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવશે તે જોવું રહ્યું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે 12:39 વાગ્યાના વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નાના કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે.
3 વખત નવસારીના લોકોએ મને જીતાડ્યો છેઃ સી.આર.પાટીલ
નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફોર્મ ભર્યું હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે.
વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યુ
રાજકોટ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું હતું. સોગંદનામામાં પરેશ ધાનાણીએ હાથ પરની રોકડ રૂા. 1,04,331 બતાવી હતી. 2022-23 માં 12,69,510 આવક થઈ હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે 380 ગ્રામ સોનું હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે માલિકીની કાર ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની દર્શાવી છે. તેમજ સ્થાવર મિલકત અંદાજિત 1.25 કરોડની હોવાનું દર્શાવ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
ગુણવત્તા ભર્યા રોડ અને હાઇવે વિકાસની ગતિ માટે પાયાની જરૂરિયાત છે. પરંતુ ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર આપણા રોડમાં મોટા ગાબડા પાડી ગયો છે. જેના કારણ વિકાસની યાત્રા નિર્ધારિત સમયમાં પોતાની મંજિલ સુધી નથી પહોંચતી. આપણે આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી પસાર થતા રોડની. છેલ્લાં ઘણા સમયથી અહીંનો બિસ્માર રોડ લોકો માટે આફત બની ગયો છે. ત્યારે જનતાને પડી રહી છે પારાવાર મુશ્કેલી.
13 કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકાનાં કોરડાગામથી સુદામડા અને ચોકજીને જોડતા રોડ હાલ વાહન ચાલકો માટે રાહત બનવાને બદલે શ્રાપ રૂપ બની ગયો છે. 13 કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ રોડની હાલત એટલી ખરાબ છે કે, જો તમે બાઈક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે છે. વધારે મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય. ખાસ કરીને સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. અનેકવાર એવી ઘટના બની ચૂકી છે. જ્યારે સગર્ભાઓની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હોય છે.
વધુ વાંચોઃ આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે ગામ લોકો
ગામ લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે
રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને લઇને મસમોટા દાવાઓ કરાઇ રહ્યા છે. પરંતુ જમીની હકિકત કંઈક અલગ જ છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ કરીને જતા રહે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ વાયદાઓ માત્ર વાયદા બનીને રહી જાય છે. અને અંતે જનતાના નસીબમાં તો હાડમારી જ સહન કરવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, બિસ્માર રોડને કારણે હાડમારી ભોગવતા કોરડા સહિત આસપાસના ગામલોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સરકાર ભલે દાવાઓ કરે કે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોચ્યું છે અને દરેક ઘરમાં નળ ચાલુ કરતા જ પાણી આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા બારી મહુડા ગામમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. ગામમાં બોર છે પણ પાણી નથી. ગામમાં હેન્ડ પંપ છે પરંતુ બંધ હાલતમાં છે. ગામ લોકો માટે પાણીનો એકમાત્ર આધાર કૂવો છે. બારી ફળિયામાં એક 15 ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે. જે ગામલોકોની તરસ છીપાવી રહ્યો છે.પરંતુ મુશ્કેલી એ છે કે, આ કૂવાનું પાણી અત્યંત દૂષિત છે. જોકે પાણીનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી ગામ લોકો આ કૂવાનું દૂષિત પાણી પીવા મજબૂર છે. આવું દૂષિત પાણી પીવાને કારણે ગામલોકો બીમાર પડી રહ્યાં છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ખનીજ સંપતિથી સમૃદ્ધ ગુજરાતને ખનીજ માફિયાઓ લૂંટી રહ્યાં છે. અધિકારીઓનો ભ્રષ્ટાચાર, ખનન માફિયાઓની વગને કારણે કુદરતી સંપતિ લૂંટાઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના વલવાડા ગામે પણ કુદરતી સંપતિને લૂંટતા ખનન માફિયાઓ બેફામ બન્યાં છે. ખનન માફિયાઓ વલવાડા અને બોરલાઈ ગામની હદમાં આવેલા કાંસિયા તળાવમાં બેફામ માટી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ખનન માફિયાઓએ 10 હજાર મેટ્રિક ટન માટી ખોદવાની પરવાનગી લઈ તળાવમાંથી 1 લાખ ટનથી વધુ માટી ખોદી બારોબાર વેચી મારતા હોવાનો ગામલોકો આક્ષેપ કરી રહ્યાં છે. ગામ લોકોનો આક્ષેપ છે કે, બિલ્ડર દ્વારા ગામલોકોની સહમતી વગર તળાવ નજીક રોડ બનાવી જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગેરકાયદેસર ખનનથી તળાવનું ભૂગર્ભ જળ નીચું જાય છેઃ હાર્દિક પટેલ (સ્થાનિક ગ્રામજન)
આ સમગ્ર મામલે ગામનાં સ્થાનિક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પરમીશન એ લોકોને 10 હજાર ટનની મળી છે. તો પણ એક લાખથી વધારે ટન માટી ખોદાઈ રહી છે. આ ખનીજ ચોરીને લઈ સમગ્ર ગ્રામજનો વિરોધમાં છીએ. આ ગેરકાયદેસર ખનનથી તળાવનું ભૂગર્ભ જળ નીચું જાય છે. આ માટી ચોરીનો તેઓ તેઓનાં પર્સનલ ઉપયોગ કરતા હોવાનું પણ સ્થાનિક ગ્રામજને જણાવ્યું હતું.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા
ગામના તળાવમાં થતી માટી ચોરી અને ગેરકાયદે બનાવેલા રસ્તાને લઈને ગામ લોકોએ ખાણખનીજ વિભાગને ફરિયાદ કરતા ખાણખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે. અને તળાવની માપણી શરૂ કરી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
વધુ વાંચોઃ RTE પ્રવેશને લઇ અમદાવાદ DEOનો મોટો નિર્ણય, તમામ ખાનગી શાળાઓને આપ્યો આ આદેશ, જાણો શું
ગેરકાયદે ખનનથી સરકારી તિજોરીને નુકશાન
ખાણખનીજ વિભાગે તો કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ હકિકત તો એ છે કે, અનેક ફરિયાદો બાદ પણ ખનીજમાફિયાના નેટવર્કમાં ખાસ ફેર નથી પડી શક્યો. ગેરકાયદે ખનનથી સરકારી તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે ખનીજ માફિયાઓ પર કડકહાથે કાર્યવાહી ક્યારે થશે? ખનીજ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે?ત્યારે સમૃદ્ધ ગુજરાતની ખનીજ સંપતિને લૂંટતા ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
RTE પ્રવેશ મુદ્દે અમદાવાદની ખાનગી શાળાઓને DEO દ્વારા પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે. વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ ન મંગાવવા શાળાઓને સૂચના આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે. અનેક શાળાઓ વાલીઓ પાસે વધારાનાં દસ્તાવેજ માંગતી હોવાની ફરિયાદને લઈ DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જ વાલી
ઓ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે-DEO
આ સમગ્ર મામલે અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓને ઉદ્દેશીને પરિપત્ર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તા. 15.4.2024 નાં પ્રથમ રાઉન્ડમાં વર્ષ 2024-25 માં શાળામાં આર.ટી.ઈ. હેઠળ ફાળવાયેલ બાળકોનાં વાલીઓ પાસેથી એડમિટ કાર્ડમાં જેટલા દસ્તાવેજોની જરૂર છે. તેટલા જ દસ્તાવેજોની ઓરીજનલ કોપી વાલીને આપવાની હોય છે. આપનાં દ્વારા વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો માંગવાનાં રહેશે નહિં.
વધુ વાંચોઃ 42.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું ગુજરાતનું હોટેસ્ટ સિટી, આજે પણ યલો એલર્ટ, જાણો લૂથી બચવાના ઉપાય
બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું
તેમજ બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ અન્યથા શિક્ષણ વિભાગની જોગવાઈ મુજબ આર.ટી.ઈ. એક્ટ 2009 માં અધિનિયમની કલમ-19 મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઢ રૂા. 10,000 નો દંડ કરવામાં આવશે. જેની નોંધ લેવાનું અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો