Gujarat
Gujarat politics: કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીત સરનું ફફડી ઉઠ્યુ છે. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારએ રાજીનામું આપ્યુ છે એટલુ જ નહી ત્યારબાદ તેમણે આરોપ મુક્યો છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે તેમનું માન સન્માન જળવાતું નથી. દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી આવતો. ઇનામદાર મીડિયા સામે ખુલીને બોલતા ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. તાત્કાલીક પ્રદેશ ભાજપ અધ્યક્ષએ બેઠક બોલાવી છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક મળી હતી. જેમાં આ સંદર્ભે ચર્ચા થઇ હતી. એટલું જ નહી કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેને લઇને તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે. એટલુ જ નહી તેમણે કહ્યુ જુના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે તેમનું આત્મ સન્માન જળવાતું નથી. કેતન ઇનામદારની નારાજગી બાદ નિવેદનની અસર ભાજપના કાર્યકર્તાઓ પર પડી શકે છે ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા તાબળતોબ કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી એટલુ જ નહી સુત્રોનું માનીએ તો ચૂંટણી સમયે આ નિવેદનની અસર ભાજપના કાર્યકરો પર થઇ શકે છે ત્યારે કેતન ઇનામદારને મનાવી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.
ભાજપમાં ભરતી મેળાથી જૂના કાર્યકરો નારાજ હોવાનો આરોપ રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે કર્યો હતો. ત્યારે કેતનના રાજીનામાને લઇ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યુ છે. પાટીલે કેતન ઇનામદારના નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. પક્ષમાં કોને લેવા એ પણ નક્કી કરાશે. કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થીત રહ્યા જેમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી.
સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી. પાર્ટીમાં વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તા નારાજ છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગૂગલે તે વ્યક્તિની તસવીરને બાળ નગ્નતા માનીને તેનું એકાઉન્ટ અને ઈમેલ બ્લોક કરી દીધું હતું જેના કારણે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને બિઝનેસમાં પણ નુકસાન થયું હતું.
ગુગલ દ્વારા આ મામલો ઉકેલવામાં ન આવતા હવે તે વ્યક્તિએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જે બાદ હવે કોર્ટે ભારતમાં ગૂગલ ઓફિસ અને કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગને નોટિસ પાઠવી છે.
ગૂગલે એકાઉન્ટ બ્લોક કર્યું
નીલ શુક્લા નામના વ્યક્તિએ ગુગલ ડ્રાઇવ પર પોતાના બાળપણની તસવીર સેવ કરી હતી. તે તસવીરમાં તે માત્ર બે વર્ષનો હતો અને તેની દાદી તેને નવડાવી રહી હતી. ગૂગલે નીલ શુક્લાના તમામ ગુગલ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે કારણ કે તે તસવીરને તેની બાળ નગ્નતા નીતિનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
નીલ શુક્લાના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે ટેક કંપનીએ તેની તસવીરને ચાઈલ્ડ પોર્ન ગણાવી હતી અને ગયા વર્ષે એપ્રિલમાં કંપનીની નીતિનું ઉલ્લંઘન કરવા બદલ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.
તેણે કહ્યું કે ઘણી વખત ફરિયાદ કરવા છતાં ગૂગલ કંપની તેની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ શુક્લાએ 12 માર્ચે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. એડવોકેટ દેસાઈએ કોર્ટને જણાવ્યું કે ગૂગલે તેમનું ઈમેલ એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. તેથી નીલ શુક્લા તેમના ઈમેલ ચેક કરી શકતા નથી જેના કારણે તેમને તેમના બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે.
અરજદાર નીલ શુક્લાએ જણાવ્યું હતું કે આ કેસમાં તેમણે નોડલ એજન્સી, ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમને કોર્ટમાં આવવાની ફરજ પડી હતી.
કોર્ટે ગૂગલ અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો
અરજદારે આ અંગે તાકીદની સુનાવણી માટે કોર્ટને વિનંતી પણ કરી હતી. કારણ કે તેને ગૂગલ તરફથી એક નોટિસ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના એકાઉન્ટને લગતો ડેટા એક વર્ષ નિષ્ક્રિય કર્યા પછી એપ્રિલ મહિનામાં કાઢી નાખવામાં આવશે.
વધુ વાંચોઃ હવે ગરમીથી રાહત નહીં, છેક આસમાને જશે તાપમાનનો પારો, હવામાનને લઇ IMDએ આપી લેટેસ્ટ અપડેટ
આ પછી હાઈકોર્ટે ગુગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને અરજદારના ઈમેલ એકાઉન્ટને બ્લોક કરવા માટે નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ વૈભવી ડી નાણાવટીની કોર્ટે 15 માર્ચે ગૂગલ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી અને 26 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Gujarat politics: સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણીવાર ડાયરેક્ટ નિર્ણય લેવાઇ જાય છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી.
રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી
ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Ahmedabad East Lok Sabha seat: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની અમિત નાયકે તૈયારી બતાવી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી ચૂંટણી લડવાની રોહન ગુપ્તાએ ના પાડી છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીને લઇ ભારે મથામણ કરવામાં આવી રહી છે. પરંતુ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટીકીટ આપી હતી પરંતુ તેમણે અહીથી ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો જાય છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. અત્રે જણાવીએ કે, રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાના ઇનકાર પછી પક્ષ દ્વારા નવા ઉમેદવારની પસંદગી માટે મથામણ શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસનું હાઇકમાન્ડ મને મંજૂરી આપશે તો હું અમદાવાદ પૂર્વ બેઠક પર બીજેપી સામે પુરી તાકાતથી લડીશ. તેમણે આગળ લખ્યુ કે કોંગ્રેસનો એકએક કાર્યકર્તા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી દેશના ગરીબ, પીડિત, શોષિત, ખેડૂત અને યુવાનોના મુદ્દાઓ પર લડીશું.
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકિય માહોલ ગરમાયો છે. કોંગ્રેસમાં એક પછી એક નવા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ ઘણા નેતા અને કાર્યકરોએ પક્ષ છોડી દીધો છે. આ વખતે કોંગ્રેસ જીતી શકે અને પક્ષના વફાદારોને ટિકિટ આપી ચુંટણી લડાવી રહી છે ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપી મેદાનમાં ઉતારશે તેના પર સૌની નજર રહેલી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી લડવા માટે પ્રવક્તા અમિત નાયક ટીકીટ માગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમને ટિકિટ આપશે કે પછી કોઇ અન્ય ચહેરો આ બેઠક પર ઉતારશે તે જાણવા માટે મતદારો પણ ઉત્સુક છે.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો મીની ઈન્ડિયા તરીકે પણ ખૂબ જાણીતી છે. કારણ કે અહીં સમગ્ર દેશમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહત ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા.પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Ketan Inamdar: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેતન રાજીનામું આપ્યો હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યુ હોવાનું જણાવી રહ્યા છે. સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તેઓએ ગઇકાલે રાત્રે રાજીનામું આપ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ VTV NEWSએ રાજીનામા અંગે વિધાનસભા સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે કેતન ઈનામદારનું રાજીનામું ન મળ્યા હોવાનું વિધાનસભા સચિવે જણાવ્યું હતું. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં કહ્યુ હું અત્યારે થરાદના પ્રવાસે છું. મને કેતન ઈનામદારનું રાજીનામું નથી મળ્યું.
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે ગત રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે. અચાનક તેમના રાજીનામાની જાણ સવારે કાર્યકરો તેમના સમર્થકોને થતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે. કેતન ઇનામદારે રાજીનામામાં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.
આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું. જો કે આ વખતે તેમણે રાજીનામું આપ્યુ છે ત્યારે પક્ષ દ્વારા તેમની મનાવી લેવામાં આવશે કે નહી તેના પર સૌની નજર છે.
ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
કિશોરને ગેમ રમવાની ટેવએ પરિવારને 87 હજારનો ચૂનો લાગ્યો છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ આ કિસ્સો કઠલાલનો છે. અહી રહેતા એક પરિવારનો કિશોર મોબાઇલ પર ગેમ્સ રમી રહ્યો હતો ત્યારે ગઠિયાની જાળમાં ફસાયો હતો અને ઓટીપી સેર કરતા જ રૂપિયા 86,750 ઓનલાઇન ઉપડી ગયા હતા. આ મામલે કિશોરની માતાએ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એપ્સ પર પ્રશ્નોના સાચા જવાબ આપવામાં ઓટીપી પણ આપી દેતા ખાતામાંથી પલવારમાં રૂપિયા ઉપડી ગયા હતા.
સાઇબર ફ્રોડની ઘટનાની મળતી માહિતી અનુસાર કઠલાલ શહેરમાં શુકન સોસાયટીમાં રહેતા સરોજબેન જૈનનું બચત ખાતુ ખોલાવેલુ હતું. અને આ ખાતા સાથે તેમનો મોબાઇલ નંબર લીંક કરવામાં આવ્યો હતો. તેમના પુત્રને ગેમ રમવાની ટેવ હોવાથી અવાર નવાર મોબાઇલની માતા પાસે માંગણી કરતો હતો અને દિકરાની જીદ પુરી કરવા માટે માતા ફોન તેને આપી દેતા હતા. જો કે આ વખતે પુત્રની મોબાઇલ પર ગેમ રમવાની ટેવ મોઘી પડી છે. 14 વર્ષના દિકરો ગત 16 ફેબ્રુઆરીએ ઘરે હતો ત્યારે તેણે માતાનો મોબાઇલ લઇ બેઠો હતો અને ગેમ રમવાનું શરૂ કર્યુ હતું. મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેના પર ઓનલાઇન ગેમ્સ રમી રહ્યો હતો.
ગઠિયાઓ દ્વારા ગેમ્સમાં કિશોરને મગ્ન કરી દેવામાં આવ્યો ત્યારબાદ ધીરેધીરે તેને જાળમાં ફસાવવાનું શરૂ કરવામાં આવ્યુ. આ ગેમ્સમાં પ્રશ્નોના જવાબ પુછવામાં આવતા દીકરાએ સાચા જવાબ આપી ૪૦-૪૦ રૂપિયા મેળવ્યા હતા. જેથી વિશ્વાસ આવતા આ એપ પર ગત ૨૬મી ફેબ્રુઆરીએ આજ ગેમ્સ પર રમવાનું શરૂ કર્યુ હતું. ત્યારે જીતેલા ૪૦ રૂપિયા વિડ્રો કરેલા હતા. આ દરમિયાન એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક ઓટીપી આવ્યો હતો. ગેમ્સ રમવાના ચક્કરમાં તેણે આ ઓટીપી ઉપરોક્ત એપ ઉપર દાખલ કરી દીધો હતો. જેના ગણતરીના સમયમાં જ સરોજબેનના ખાતામાંથી રૂપિયા કપાવવાનું ચાલુ થઈ ગયું હતું.
ખાતામાંથી રૂપિયા કપાવા લાગ્યા હતા જેની સરોજબેનને જાણ થતા ચોકી ગયા હતા. આ એપ્સ રીમુવ કરે તે પહેલા જ કુલ ૮૬,૭૫૦ રૂપિયા કપાઈ ગયા હતા. જેથી એપ્લિકેશન દ્વારા પ્રશ્નો પૂછી ખોટી રીતે છેતરપિંડી કરવાના ઇરાદે આ માધ્યમથી ઠગાઈ કરાઈ હોવાનું તેમના ધ્યાને આવ્યુ હતું. આ છેતરપિંડી અંગે સરોજબેને કઠલાલ પોલીસમાં અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધુ છે. મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ફેક્સ કરી રાજીનામું મોકલ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા. કેતન ઈનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે.
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાતે રાજીનામું આપ્યું છે. રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે. તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.
ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'
આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
હિન્દુ ધર્મના લોકોમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પૌરાણિક હનુમાનદાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હનુમાનદાદાના ભક્તો શનિવારે દાદાને શીશ ઝુકાવી ધન્ય થાય છે.
લાખણી તાલુકાના ગેળા ગામે બિરાજમાન હનુમાનદાદા
બનાસકાંઠા જિલ્લાના લાખણીથી ચાર કિલોમીટરના અંતરે ગેળા ગામમાં શ્રીફળનો પહાડ આવેલો છે કોઈને માન્યામાં ના આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે? જવાબ છે હા ગેળા ગામે હનુમાન દાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ. અંદાજે સાતસો વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની મુર્તિ પ્રગટ થઇ હતી લોકવાયકા પ્રમાણે ગેળા ગામે કેટલાક ગોવાળ ગાયો ચરાવતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરવાનો તેમનો નિત્યક્રમ હતો એક વખત ખીજડાના ઝાડ નીચે એક શીલા દેખાતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરવાનુ ચાલુ કર્યુ.
સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ હનુમાન દાદાની મુર્તિ પ્રગટ
કેટલાક અધર્મીઓએ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું પરંતુ શીલાનો અંત ન આવ્યો એટલે જુના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધીને શીલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઝેર ના પારખાં ન હોય તેમ તરતજ પાડાઓ મરી ગયા અને શીલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી થયા અને ત્યારથી ગ્રામજનો તે શીલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા. ગેળા હનુમાનજીના મંદિરે ઉત્તર ગુજરાતમાંથી લોકો ભક્તિ ભાવ સાથે દર્શન કરવા માટે આવે છે. દર શનિવારે દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી પૂર્ણ કરવા હનુમાનજીના મંદિરે આવે છે. લાખો શ્રદ્ધાળુ દાદાના દર્શને આવતા હનુમાનજી મંદિરે દર શનિવારે મેળા જેવો માહોલ સર્જાય છે. મંદિરે આવતા ભાવિક ભક્તો મંદિરે જે પણ મનોકામના લઈ આવે છે તે હનુમાન દાદા પૂર્ણ કરે છે એટલે દૂર દૂરથી લાખો ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડે છે.
દૂરદૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને આવે છે
હનુમાન મંદિરે વરસો પહેલા એક સંતે મંદિરે પડેલા કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચી દીધા.. એ જ સાંજે સંત બીમાર પડી ગયા અને પેટનો દુખાવો ઉપડ્યો. તો સંતે હનુમાન દાદાને પ્રાથના કરી કે હે હનુમાનજી મેં તમારા મંદિરમાંથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને જો તે કારણથી બીમાર થયો હોઉં તો સવારમાં તમારા મંદિરે આવી જેટલા શ્રીફળ મેં વહેંચી દીધા છે તેના બે ગણા શ્રીફળ મંદિરે મુકીશ. સંતની તબિયત સારી થઇ જતા સવારમાં હનુમાન દાદાના મંદિરે જઈ બેગણા શ્રીફળ મૂકી હનુમાન દાદા ને મીઠો ઠપકો આપ્યો કે હે હનુમાન દાદા તે મારા જેવા સંત પાસેથી બેગણા શ્રીફળ લીધા છે તો જાઓ હવે મંદિરે શ્રીફળનો પહાડ કરી બતાવજો અને ત્યારથી મંદિરે ભક્તોનો ધસારો વધવા લાગ્યો અને શ્રીફળનો પહાડ બનવા લાગ્યો.
શ્રીફળના પહાડમાંથી એક પણ શ્રીફળ બગડતુ નથી
મંદિરે આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ રમતું મુકવા લાગ્યા અને ધીરે ધીરે મંદિરે શ્રીફળનો પહાડ રચાઈ ગયો. શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઇ જઈ શકતું નથી અને વર્ષોથી પડેલા શ્રીફળના પહાડમાંથી એક પણ શ્રીફળ બગડતુ નથી અને તેનામાંથી દુર્ગંધ પણ નથી આવતી. શ્રીફળના પહાડથી મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુ હનુમાનદાદાને શ્રીફળની સાથે આકડાની માળા અને તેલ સિંદૂર ચઢાવી ધન્યતા અનુભવે છે. હનુમાન દાદાની સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચના કરવાથી ભક્તોની મનોકામના અચુક પૂર્ણ થાય છે.
કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી. શ્રીફળ નો પહાડ એજ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલ્લામાં બિરાજમાન હતી અને ગામ લોકોએ હનુમાન દાદા પાસે મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિરની રજા ના મળતા અને પતરાનો શેડ બનાવવાની રજા મળતા હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરાના શેડ નું નિર્માણ કરવામાં આવ્યુ છે.
વાંચવા જેવું: મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો
દાદા તમામની મનોકામના પણ પૂર્ણ કરે છે
માત્ર બે પાંચ જ નહીં પરંતુ 200 કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દર્શને આવે છે અને ગેળા વાળા શ્રીફળિયા હનુમાન દાદા તમામની મનોકામના પણ પૂર્ણ કરે છે. મંદિરની દાનપેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે મંદિરના પ્રતાપે ગામ લોકોને પણ રોજી રોટી મળતાં ગ્રામવાસી દાદાનો ઉપકાર માનતા થાકતા નથી. જે ભાવિક હનુમાનદાદાના એક વાર દર્શન કરે છે તે બીજી વાર અચૂક અહીં આવ્યા વગર રહેતા નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ખેડામાં ડાકોર પગપાળા જતા લોકોને લઇ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી દિવસોમાં ડાકોર ખાતે ફાગળસુદ પુનમનો મેળો ભરાનાર હોય અને વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઇવે પરથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને જાનહાની થવાનો સંભવ રહે છે. જેથી કેટલાક રસ્તાઓ પર આવતા-જતા વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડાયવર્ટ આપવામાં આવ્યો છે.
સમગ્ર જાહેરનામું વાંચવા અહીં ક્લિક કરો
આ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે
પગપાળા દર્શનાર્થીઓને વાહનો અવર જવર લઈને અકસ્માતો અને જાનહાનિ સંભવાના વધુ હોઈ કેટલાક રોડ બંધ કરાયા છે. રસ્તાઓ બંધ કરતા વૈકલ્પિક રૂટ પરથી અવર જવર કરી શકશે. અત્રે જણાવીએ કે, જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો બીજી સાઈડ રોડ પરથી અવર જવર ચાલુ રહેશે. જ્યારે વિઝોલ ચાર રસ્તાથી જશોદા નગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રિંગરોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એકસપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 16 માર્ચથી 26 માર્ચ સુધી એક સાઈડનો રોડ બંધ રહેશે
વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસના આ ઉમેદવારે લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શક્તિસિંહને પત્ર લખી કારણ પણ જણાવ્યું
આ વાહનો ચાલી શકશે
આ જાહેરનામુ ફાયરબ્રિગેડ,એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરીયાતની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તથા તેને લગતા સાધન-સામગ્રી લઇ જતા વાહનોને લાગુ પડશે નહી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમજ રાજકીય માહોલ ગરમાતો જાય છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. અત્રે જણાવીએ કે, રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.
Due to serious medical condition , my father is admitted in hospital and I am withdrawing my candidature for Ahmedabad east parliament seat as Congress Candidate. I will extend complete support to the new candidate nominated by party. pic.twitter.com/oPVNBd7DqV
— Rohan Gupta (@rohanrgupta) March 18, 2024
રોહન ગુપ્તા ચૂંટણી નહી લડે
કોંગ્રેસના રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાને ઈન્કાર કર્યો છે. તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. અત્રે જણાવીએ કે, ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું છે
40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
વાંચવા જેવું: IAS એ કે રાકેશ બન્યાં ગુજરાતના નવા મુખ્ય અધિક ગૃહ સચિવ, ચૂંટણી પંચના આદેશથી નિમણૂક
ભાજપે હસમુખ પટેલને મેદાન ઉતાર્યા છે
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો મીની ઈન્ડિયા તરીકે પણ ખૂબ જાણીતી છે. કારણ કે, અહીં સમગ્ર ઈન્ડિયામાંથી આવેલા લોકો વસે છે. આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાન છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહત ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો