Get the Entertainment News in Gujarati, Latest Entertainment Gujarati News & એન્ટરટેઇનમેન્ટ ગુજરાતી ન્યૂઝ only on VTVGujarati.com.
મનોજ બાજપેયી બોલિવૂડના એવા અભિનેતા છે જેમને પોતાના પાત્રોથી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષોથી તે ઈન્ડસ્ટ્રીમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરતો જોવા મળે છે, એવામાં અભિનેતાએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતીય સિનેમાનો એક ભાગ બનવું ખરેખર સરળ નથી. એમને બોલિવૂડ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
મનોજ બાજપેયી 1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યા'માં જોવા મળ્યા હતા અને ત્યારથી કરીને અત્યાર સુધી એમને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. એવામાં હાલ એમને એક વાતચીત દરમિયાન એમને કહ્યું કે એમને તેના પરિવાર અને મિત્રોને ફિલ્મની રિલીઝ ડેટ નક્કી ન થાય ત્યાં સુધી કહ્યું ન હતું. તેઓ એ કહ્યું કે પહેલા વસ્તુઓ ઘણી અલગ હતી.
મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, ';ફિલ્મ સાઈન કર્યા પછી પણ ફેરફારો થયા અને ફિલ્મો પણ બંધ થઈ ગઈ. આ ઈન્ડસ્ટ્રીમાં એકલા લડાઈ લડી શકાતી નથી. લોકોની મદદ લેવી જ પડે છે અને નસીબ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.'
આગળ એમને કહ્યું કે, 'ઈન્ડસ્ટ્રી નાની હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાઈ છે. હવે ડિજિટલ યુગ છે, સેટ બદલાઈ ગયા છે અને હવે સેટ પર મહિલાઓની ખૂબ સારી હાજરી જોવા મળે છે. પહેલા સેટ પર ફક્ત હેરડ્રેસર અથવા હિરોઈન જ રહેતી.જે સારી વાત છે.'
વધુ વાંચો: દીકરાને વર્જિનિટી પર સવાલ કરતા ટ્રોલ થઇ મલાઇકા અરોરા, 'દમ બિરિયાની'નો પ્રોમો રિલીઝ
મનોજ બાજપેયીના વર્કફ્રન્ટ વિષે વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં 'સાઇલન્સ 2: ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ'માં જોવા મળશે. જેમાં પ્રાચી દેસાઈ, સાહિલ વૈદ અને પારુલ ગુલાટી જોવા મળશે. તે અબાન ભરૂચા દેવહંસના નિર્દેશનમાં બની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
દીકરાના શૉમાં પહોંચી મલાઇકા, વર્જિનિટી પર સવાલ કરતા થઇ ટ્રોલ
મલાઇકા અને અરબાઝના દીકરા અરહનના પોડકાસ્ટમાં મલાઇકા આવી હતી.. તેણે આ ઇન્ટરવ્યુંમાં એવા એવા સવાલોના જવાબ આપ્યા અને દીકરાને સામે એવા સવાલ પણ કર્યા કે તે ટ્રોલ થઇ ગઇ.. હજુ તો શૉનું માત્ર ટ્રેલર આવ્યું છે ત્યાં તો મલાઇકાને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.. કેમ ચાલો જાણીએ.
પહેલો એપિસોડ અરબાઝ અને સોહેલ સાથે હતો
મલાઇકા અરોરા તેના દીકરા અરહાન ખાનની સાથે ચેટ શૉ કરી રહી છે... જે આજે જ રિલીઝ થવાનો છે.. તેના દીકરાના પોડકાસ્ટ 'દમ બિરિયાની'નો ભાગ તે બની છે.. તેમાં તેણે દીકરા અને તેના મિત્ર સાથે એવા મુદ્દાઓ પર વાત કરી કે તેનો પ્રોમો રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે અરહાનના શૉનો પહેલો એપિસોડ અરબાઝ અને સોહેલ સાથે હતો અને હવે બીજા એપિસોડમાં તે મલાઇકા અરોરા સાથે નજર આવશે.. હજુ તો મલાઇકા સાથેના શૉનો પ્રોમો રિલીઝ થયો છે અને એવામાં જ મલાઇકા ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે.. કારણ કે પ્રોમોમાં મલાઇકા દીકરા અરહાનને 'વર્જિનિટી' અંગે સવાલ કરતી નજર આવે છે..
#MalaikaArora Ye Sab Kya Dekhna pad rah hai 🥴🤐 pic.twitter.com/Sc47Fxhm5N
— D H A R A (@DhaRa1996) April 17, 2024
ચેટ શૉના પ્રોમોમાં અંગત સવાલ કરતી જોવા મળી મલાઇકા
મલાઇકા ચેટ શૉમાં અંગત સવાલ કરતી નજર આવતા તે ટ્રોલ થવા લાગી છે.. મલાઇકા દીકરાને પુછે છે કે તેણે કઇ ઉંમરે વર્જિનિટી ગુમાવી.. જેના પર અરહાન ચુપ થઇ જાય છે.. અને તે બાદ અરહાન તેની માને પુછે છે કે.. આપને લોકોને મળવું ગમે છે.. તેના જવાબમાં મલાઇકા ના પાડે છે.. જે બાદ અરહાન તેની માતાને બીજો સવાલ કરે છે.. તો આપ લગ્ન ક્યારે કરવાના છો? બસ આ સવાલો પર ઘણા બધાનું લોહી ઉકળી ગયુ છે અને તેમની કમેન્ટ્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે..
યુઝર્સ ભડ્કયા
એક યુઝર લખે છે.. સંસ્કારની સારી એવી નિલામી થઇ રહી છે.. જ્યારે અન્ય એક યુઝર કમેનટ્ કરે છે.. દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન... તો અન્ય એક યૂઝર કમેન્ટ કરે છે વાલી તરીકે પોતાના દીકરાને પુછવું કે તેણે ક્યારે તેની વર્જિનિટી ગુમાવી.. તે સૌથી ઘ્રૃણાસ્પદ વાત કહેવાય.. તો અન્ય એક યુઝર લખે છે.. હવે માલુમ થયુ કે આના છુટાછેડા કેમ થયા..
હજુ તો અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરિયાનીનો મલાઇકા સાથેનો શૉ જાહેર પણ થયો નથી.. અને એ પહેલાં જ તે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.. ત્યારે શૉ જાહેર થયા બાદ શું થાય છે તે તો જોવું જ રહ્યું..
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ફરી એકવાર આલિયા ભટ્ટે ઈતિહાસ રચ્યો છે. તેણીને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરવામાં આવી છે. 2024ના સમયના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટ એકમાત્ર ભારતીય અભિનેત્રી છે. દુઆ લિપા, દેવ પટેલ, 21 સેવેજ, કોલમેન ડોમિંગો અને લોરેન ગ્રૉફ જેવા કલાકારો સાથે આલિયા ભટ્ટનું નામ 17 એપ્રિલે રિલીઝ થયેલી ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ સામેલ છે.
The 2024 #TIME100 is here.
— TIME (@TIME) April 17, 2024
Introducing our list of the 100 most influential people in the worldhttps://t.co/DQApCxZRoZ
હાર્ટ ઓફ સ્ટોનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી
આલિયા ભટ્ટ ઓગસ્ટ 2023માં હોલીવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મથી તેને વિશ્વભરમાં ઓળખ મળી હતી. આ ઉપરાંત ગયા વર્ષે મેટ ગાલામાં પણ આલિયાની હાજરીએ તેને વિશ્વ મંચ પર ચમકાવી હતી. આલિયા માત્ર એક્ટર તરીકે જ નહીં પરંતુ બિઝનેસ વુમન તરીકે પણ ઉભરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં શાહરૂખ ખાન અને RRR ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ સમયની આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
Introducing our first 2024 #TIME100 cover star: Dua Lipa (@DUALIPA).
— TIME (@TIME) April 15, 2024
The pop star talked to TIME about her new album, her childhood in Kosovo, and the power of manifestation https://t.co/Z9EgXmS8ah pic.twitter.com/AxCCVhgBtb
આ વર્ષે ભારતના પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટ ઉપરાંત રેસલર સાક્ષી મલિકનું નામ પણ સામેલ છે. સાક્ષી મલિક યૌન ઉત્પીડન કેસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી. તેના પરફોર્મન્સની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી.
The 100 most influential people of 2024 https://t.co/RRjQFHME1z pic.twitter.com/DYqZD4el5Q
— TIME (@TIME) April 17, 2024
વધુ વાંચો : War 2 ના સેટ પરથી લીક થઈ હૃતિક રોશન અને જુનિયર NTRની તસવીરો, શૂટ થયો ફિલ્મનો સૌથી મોટો એક્શન સીન
આલિયાની ફિલ્મી કારકિર્દી
સ્ટુડન્ટ ઑફ ધ યરથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કરનાર આલિયા ભટ્ટે થોડા જ સમયમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી દીધી. તેની કારકિર્દીમાં, તેણે હાઇવે, કપૂર એન્ડ સન્સ, ઉડતા પંજાબ, ડિયર જિંદગી, રાઝી, ગલી બોય, RRR, બ્રહ્માસ્ત્ર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી સફળ ફિલ્મો કરી છે. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે, જેનું નામ તેમણે રાહા રાખ્યું છે. આલિયા અને રણબીર લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. આ દિવસોમાં આલિયા ભટ્ટ પાસે બૈજુ બાવરા, જી લે ઝરા, જીગરા અને લવ એન્ડ વોર જેવી ફિલ્મો છે.
સોની ટીવીનો લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ (KBC) તેની 16મી સીઝન સાથે ટીવી પર પરત ફરવા જઈ રહ્યો છે. સોની ટીવીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ શોનો પ્રોમો પોસ્ટ કરીને KBC 16 ની નોંધણીની જાહેરાત કરવામાં આવી છે. આ વીડિયો અનુસાર અમિતાભ બચ્ચનની KBC 16 માટે રજીસ્ટ્રેશન 26મી એપ્રિલ 2024ના રોજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. KBC ના રજીસ્ટ્રેશનની જાહેરાત બાદ હવે અમિતાભ બચ્ચનના ફેન્સ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ऐसा मिला प्यार की लौट रहा है फिर एक बार, #KaunBanegaCrorepati.
— sonytv (@SonyTV) April 16, 2024
शुरू हो रहे है #KBCRegistrations 26 April रात 9 बजे से।#KBConSonyTV #KBC16 #KBCIsBack pic.twitter.com/nHskjahdzC
અમિતાભ બચ્ચનના ચાહકોને કૌન બનેગા કરોડપતિની સિઝન 16 માટે થોડી વધુ રાહ જોવી પડશે. કારણ કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અમિતાભ બચ્ચનનો આ શો ઓગસ્ટના બીજા સપ્તાહથી એટલે કે 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ શકે છે. જોકે, ચેનલ કે અમિતાભ બચ્ચન તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી શોમાં ભાગ લેવા માટેના સ્પર્ધકોની પસંદગી નિર્માતાઓ દ્વારા કરવામાં આવશે. અને 75 ટકા સ્પર્ધકો સાથે શોનું શૂટિંગ પૂર્ણ થયા પછી જ આ શો ઓન એર થશે.
વધુ વાંચો : War 2 ના સેટ પરથી લીક થઈ હૃતિક રોશન અને જુનિયર NTRની તસવીરો, શૂટ થયો ફિલ્મનો સૌથી મોટો એક્શન સીન
છેલ્લી સિઝનના અંતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા
ગયા વર્ષે કૌન બનેગા કરોડપતિ સીઝન 15 ના છેલ્લા એપિસોડમાં દર્શકોને અલવિદા કહેતી વખતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા. તેને આ રીતે જોઈને ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આ અમિતાભ બચ્ચનનો છેલ્લો શો હશે. પરંતુ આ બધાને ખોટા સાબિત કરીને અમિતાભ બચ્ચને ટીવી પર કમબેક કર્યું છે. લોકોના પ્રેમને કારણે અમિતાભ બચ્ચને 'આપણે ફરી એકવાર આવવું પડશે' કહીને આ કમબેક કરવાનો નિર્ણય લીધો છે. ઓગસ્ટ 2024માં તે ફરી એક વાર નવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.
ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ War 2 આ વર્ષનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. હાલમાં જ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને સેટ પરથી એક્ટર્સના ફોટો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.
આ સૌથી મોટી એક્શન ફિલ્મ થવાની છે જેના માટે બન્ને એક્ટર્સ ખાસ તૈયારી કરી રહ્યા છે. હવે સેટ પરથી લીક થયેલા ફોટોએ એક્ટર્સના લુકને રિવીલ કર્યા છે. જેને જોયા બાદ આ ફિલ્મને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.
War 2ના સેટ પરથી લીક થયા એક્ટર્સના ફોટો
થોડા અઠવાડિયા પહેલા જ ઋતિક અને જુનિયર એનટીઆરે પોતાના એક્શન સીક્વન્સની શૂટિંગ શરૂ કરી દીધી હતી. બન્નેની વચ્ચે જબરદસ્ત એક્શન શીન થવાના છે જે પહેલા હિંદી ફિલ્મોમાં ઓછા જોવા મળ્યા છે. તેના માટે બન્ને એક્ટર્સે સાથે તૈયારી પણ કરી હતી.
Look At #HrithikRoshan Royalness And Inbuilt Body Iskoo War2 ka Main Hero Khethe Hyy 🥵💥💥
— Akash Roshan 👺 (@Rowdyboy60) April 16, 2024
I Can Bet My Entire Property HrithikRoshan Can Eat 100s of SideCharacter Ntr 👍🏻..#War2 pic.twitter.com/tSe6339uJW
ડાયરેક્ટરે તેના માટે ફિલ્મના એક્શન સીક્વન્સને પહેલા શૂટ કર્યો જેનાથી એક્ટર્સની ટ્રેનિંગ એકદમ ફ્રેશ લાગે. ફિલ્મના નવા સેટ પરથી એક્ટર્સની તસવીરો લીક થઈ છે. આ તસવીરોમાં ઋતિક સ્ટીલ્થ સૂટમાં જોવા મળી રહ્યો છે. ત્યાં જ બીજા ફોટોમાં જુનિયર એનટીઆર બ્લેક ટી-શર્ટ, પેન્ટમાં જોવા મળ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન તેણે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર વિષ્ણુ મંચુની ફિલ્મ 'કનપ્પા' દ્વારા તેલુગુ સિનેમામાં એન્ટ્રી કરી રહ્યો છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. વિષ્ણુ મંચુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.
વિષ્ણુ મંચુએ એક વિડીયો શેર કર્યો જેમાં અક્ષય કુમાર જોવા મળી રહ્યો છે. વિષ્ણુ મંચુ અને તેમની ટીમ સ્વાગત કરતાં જોવા મળ્યા સાથે કેપ્શનમાં લખ્યું કે 'હવે 'કનપ્પા'ની યાત્રા વધારે રોમાંચક બની ગઈ છે. કારણ કે અમે સુપરસ્ટાર અક્ષય કુમારનું તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સ્વાગત કરીએ છીએ. 'કનપ્પા' સાથે તેલુગુ સિનેમામાં મારા ડેબ્યૂથી ખૂબ ઉત્સાહિત છું. એક અદ્ભુત અનુભવ માટે તૈયાર થઇ જાઓ.
અક્ષય કુમાર વિષ્ણુ મંચુની એક્શન એડવેન્ચર પેન ઈન્ડિયા ફિલ્મ 'કન્નપ્પા'માં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે. તેમના સિવાય મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ સિવાય નુપુર સેનન, નયનતારા અને મોહન બાબુ પણ જોવા મળશે. આ ફિલ્મ ભગવાન શિવના અતુટ ભક્ત 'કન્નપ્પા'ની સત્ય ઘટના પર આધારિત છે.
બોક્સ ઓફિસ પર 'બડે મિયાં છોટે મિયાં'નો દબદબો
અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. ઈદના અવસર પર 11 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ છે. ફિલ્મમાં અક્ષય અને ટાઈગરનું જોરદાર એક્શન જોવા મળ્યું છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 43.53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. દેશ સિવાય વિદેશોમાં પણ આ મૂવીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
મલાઈકા અરોડા અને અરબાઝ ખાનના દિકરા અરહાન ખાન હાલ પોતાના વોડકાસ્ટ ડંબ બિરયાનીના કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પોતાના શોમાં પોતાના પિતા અને કાકા સોહેલ ખાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
હવે આવનાર એપિસોડમાં તે પોતાની મા મલાઈકા સાથે મસાલેદાર ચર્ચા કરતા જોવા મળવાના છે. આ એપિસોડમાં અભિનેત્રી સોશિયલ મીડિયા અને લગ્ન વિશે પોતાના દિકરા સાથે વાત કરતી જોવા મળશે. લેટેસ્ટ એપિસોડની ઝલક સામે આવી ચુકી છે. જેને લઈને મા-દિકરો ચર્ચામાં આવી ગયા છે.
પ્રોમો વીડિયો કર્યો શેર
બોડકાસ્ટના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકાએ અરહાન સાથે શારીરિક સંબંધ પર સવાલ કર્યો. ક્લિપમાં મલાઈકા પોતાના દિકરાને પુછતી જોવા મળી રહી છે કે તમારૂ કૌમાર્ય ક્યારે ભંગ થયું હતું? આ પ્રશ્ન પર અરહાન ચોંકી ઉઠે છે. ત્યાં જ વીડિયોમાં આગળ અરહાન પોતાની મમ્મીને પ્રશ્ન કરતા જોવા મળી રહ્યા છે કે તે લગ્ન ક્યારે કરવાના છે?
વાયરલ થઈ રહ્યો છે પ્રોમો
સોશિયલ મીડિયા પર આ પ્રોમો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપના સામે આવ્યા બાદ હવે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. મોટાભાગના લોકોને આ પ્રકારની વાતો બિલકુલ પસંદ નથી આવી. મા-દિકરાની વચ્ચે થઈ રહેલી આ પ્રકારની વાતચીતને લઈને તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો: એક્શન-થ્રીલરથી ભરપૂર છે આ વેબ સિરીઝ, જોશો તો મિર્ઝાપુરને પણ ભૂલી જશો, રેટિંગ છે 8.3
એક યુઝરે લખ્યું, "દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈંસાન". એક અન્ય યુઝરે લખ્યું, "મલાઈકા અરોડાને અનફોલો કરવા જઈ રહ્યો છું." એક અન્ય શખ્સે લખ્યું, "એક માતા પોતાના બાળકને આવો પ્રશ્ન કઈ રીતે કરી શકે?"
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
બોલિવૂડ એક્ટર સલમાન ખાન પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દરમિયાન, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મંગળવારે સલમાન ખાનને તેમના ઘરે મળ્યા. ફાયરિંગ કેસને લઈને સલમાનના પિતા સલીમ ખાને કહ્યું કે, આ મામલો પોલીસ પાસે છે, અમને કહેવામાં આવ્યું છે કે આ અંગે કોઈની સાથે વાત ન કરો અને કોઈને ઈન્ટરવ્યુ ન આપો.
સલીમ ખાને કહ્યું કે પોલીસે સલમાન અને તેના પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સલમાન તેનું કામ ચાલુ રાખશે તો તેના પિતાએ કહ્યું કે પોલીસે ખાતરી આપી છે કે સલમાન કોઈપણ ચિંતા કર્યા વગર પોતાનું કામ કરી શકે છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.
સલમાનના પિતા સલીમ ખાને કોઈનું નામ લીધા વિના કહ્યું કે આવા અભણ લોકો સાથે શું વાત કરવી, જે કહે છે કે જયારે મારી નાખશે ત્યારે ખબર પડશે. એવા મૂર્ખ માણસ છે. તેમણે કહ્યું કે પોલીસે અમારી સુરક્ષાની જવાબદારી લીધી છે. જો સલમાન ઘરની બહાર જશે તો પોલીસકર્મીઓ તેની સાથે રહેશે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફાયરિંગની ઘટનાને ધ્યાનમાં રાખીને સલમાન અને તેના પરિવારના સભ્યોને કડક સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. શિંદેએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ ચેતવણી આપી છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે હું સલમાન ખાનને મળ્યો અને તેમને ખાતરી આપી કે સરકાર તેમની સાથે છે. મેં પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: 'સલમાનને મારી નાખવા જ કર્યું હતું ફાયરિંગ', ભુજથી ઝડપાયેલા હુમલાખોરોનો ઘટસ્ફોટ
સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. જ્યારે સીએમ શિંદેને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ પણ ગેંગ બચી છે. અમે બધાને ઉખેડી નાખીશું. ગેંગ અને ગુંડાઓને તેમની મનમરજી મુજબ કરવા દેવામાં આવશે નહીં. આ મહારાષ્ટ્ર છે, અહીં કોઈ ગેંગ નથી બચી. અમે તમામ ટોળકી અને ગુંડાઓને જડમૂળથી ઉખેડી નાખીશું. અહીં ગુંડાગીરી ચાલવા દેવામાં આવશે નહીં. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં પોલીસ કમિશનરને સલમાન ખાન અને તેના પરિવારને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
લોકસભા ચૂંટણી વચ્ચે આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક પાર્ટીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન વચનો આપવામાં સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે તેણે આ વીડિયોને ફેક ગણાવ્યો છે. આ સાથે આમિર ખાન દ્વારા આ વીડિયો પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આમિર ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે શ્રી આમિર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. "તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો છે.
Hamare 15 minutes aur unka 15 lakh yaad rakhna.
— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) April 15, 2024
jab bhi vote karne Gaye .
Unka Jumla aur hamare awaaz.
Unka Dhokha aur hamare kaam.
Unki takleef aur hamare marham.#AamirKhan pic.twitter.com/SPq3VteSec
વાયરલ વીડિયો પર નિવેદન
આ સાથે આમિર ખાનના નિવેદનમાં વાયરલ વીડિયો અંગે વાત કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ, જેમાં આરોપ છે કે આમિર ખાન એક ખાસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વીડિયો છે અને સંપૂર્ણપણે ખોટો છે. તેમણે આ મુદ્દા સાથે સંબંધિત ઘણા અધિકારીઓને મામલાની જાણ કરી છે. જેમાં મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર દાખલ કરવાનો પણ સમાવેશ થાય છે.
વધુ વાંચો : 'સલમાનને મારી નાખવા જ કર્યું હતું ફાયરિંગ', ભુજથી ઝડપાયેલા હુમલાખોરોનો ઘટસ્ફોટ
આમિર ખાનનો જે વીડિયો વાયરલ થયો
આમિર ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 31 સેકન્ડની ક્લિપ છે. આમાં તે હિન્દીમાં બોલતા સંભળાય છે. તે કહે છે, મિત્રો જો તમને લાગે છે કે ભારત એક ગરીબ દેશ છે, તો તમે બિલકુલ ખોટા છો. કારણ કે અહીંનો દરેક નાગરિક કરોડપતિ છે. દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા હોવા જોઈએ. તમે શું કહ્યું તમારી પાસે આ રકમ નથી તો તમારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા? જો કે આમિર ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સત્યમેવ જયતે શોના પ્રોમોનો એક ભાગ છે. વીડિયોમાં આમિર ખાનનો અસલી અવાજ બદલવામાં આવ્યો છે. વીડિયોમાં આમિરના અવાજને ધ્યાનથી સાંભળ્યા પછી જ સ્પષ્ટ થાય છે કે તે આમિર ખાનનો અવાજ નથી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ સલમાન ખાનને મારી નાખવા માટે જ તેના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું.
રવિવારે વહેલી સવારે બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા સલમાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બાદ આરોપી વિક્કી ગુપ્તા (24) અને બિહારના રહેવાસી સાગર પાલ (21) ફરાર થઈ ગયા હતા. આ બન્ને કચ્છના માતાના મઢમાંથી ઝડપાયાં હતા અને મુંબઈ લવાયાં હતા. ઘટના સમયે ગુપ્તા મોટરસાયકલ પર સવાર હતો અને પાછળ બેઠેલા પાલે સલમાનના ઘર સામે ફાયરિંગ કર્યું હતું.
બન્ને આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર
આ બંનેને મંગળવારે અહીંની મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કાવતરાનો પર્દાફાશ કરવા અને આ ઘટના પાછળના મુખ્ય સૂત્રધારને ઓળખવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાના આધારે તેમની 14 દિવસની કસ્ટડી માંગી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એલ એસ પેડેને બંને આરોપીઓને 25 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા છે. ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ નોટમાં જણાવ્યું હતું કે બંનેએ ખાનના નિવાસસ્થાનની બહાર તેની હત્યા કરવાના ઇરાદાથી ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ પોતે ફાયરિંગ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે પોલીસને હજુ ગુનામાં વપરાયેલ હથિયાર મળ્યું નથી.
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી જવાબદારી
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કથિત રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટર લખીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. અનમોલે સલમાન ખાનને ધમકી આપતા કહ્યું કે આ માત્ર ટ્રેલર છે. આગલી વખતે ઘરની બહાર ગોળીઓ નહીં લાગે. અનમોલે ફેસબુક પોસ્ટમાં કથિત રીતે લખ્યું છે કે, "ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જાંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત." અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો ચુકાદો યુદ્ધ દ્વારા આવે છે, તો પછી યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે માત્ર તને ટ્રેલર બતાવવા માટે આ કામ કર્યું છે, જેથી તમે સમજો, અમારી તાકાતને વધુ ટેસ્ટ ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચાલશે નહીં. '
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, "અમારી પાસે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નામ પર બે કૂતરા છે, જેમને તમે ભગવાન માન્યા છો." મને વધારે વાત કરવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત." અંતમાં લખ્યું છે કે, "(લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા. બ્લેક જેઠેડી.
કોણ છે અનમોલ બિશ્વનોઈ
અનમોલ ભારતમાં વોન્ટેડ છે. રિપોર્ટ મુજબ તે અમેરિકામાં છુપાયો છે. તેને પકડવા માટે ભારતીય એજન્સીઓ કામે લાગી છે તેમ છતાં પણ હજુ તે પકડથી દૂર છે.
સલમાનના ઘર બહાર ફાયરિંગ
રવિવારે વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સવારે 4.51 વાગ્યાની આસપાસ બની હતી. આમાં કોઈને ઈજા થઈ નથી. અભિનેતાના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઈના હીટ લિસ્ટમાં છે. લોરેન્સ ગેંગ તેની હત્યા કરવા માગે છે. જ્યારે સલમાન ખાને ફિલ્મના શુટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો ત્યારથી લોરેન્સ ગેંગ તેની પાછળ પડી છે. લોરેન્સ રાજસ્થાનનો છે અને તેનો સમુદાય બિશ્વનોઈ કાળા હરણને ભગવાન સમાન માને છે. ગેંગે સલમાન ખાનને માફી માગવાનું પણ કહ્યું હતું પરંતુ તેણે માફી ન માગી હોવાથી તેની હત્યા કરવા માગે છે.