દેશ ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનાં 'અભિનંદન' માટે તૈયાર છે. અભિનંદનને પાકિસ્તાન ફૌજે તે સમયે પકડી લીધાં હતાં કે જ્યારે તેઓનું વિમાન, પાકિસ્તાન લડાકુ વિમાન એફ-16ને તોડી પાડવા બાદ અધિકૃત કશ્મીરમાં જઇ ચડ્યું હતું.
અભિનંદનને લઇને જ ભારતમાં પાકિસ્તાની વાયુસેનાની ઘુસપેઠ અસફળ રહી હતી. ભારત સરકારનાં દબાવ બાદ ગુરૂવારનાં રોજ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં અભિનંદનને સકુશળ ભારતને સોંપવાની જાહેરાત કરી હતી.
અભિનંદન સિવાય પણ એવાં ત્રણ ભારતીય વાયુસેના અધિકારી છે કે જે પાકિસ્તાન સાથે થયેલ 1965, 1971 અને 1999નાં યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન ફોજની ધરપકડમાં રહ્યાં અને જેઓએ જ્યાં જેલમાં ફોજ દ્વારા અપાતું ટોર્ચરિંગ પણ સહન કર્યું હતું. તો આવો જાણીએ આ ત્રણ જાંબાઝ અધિકારીઓને વિશે...
ભારતીય વાયુસેનાનાં આ ત્રણ પાયલટ રહી ચૂક્યાં હતાં પાકિસ્તાનની ધરપકડમાં...
ભારત અને પાકિસ્તાનની સાથે અલગ-અલગ યુદ્ધો દરમ્યાન ત્રણ ભારતીય પાયલટ ત્યાંની ફોજની ધરપકડમાં રહ્યાં હતાં. ત્રણેયને અભિનંદન વર્તમાનની જેમ જ પાકિસ્તાની વાયુસેનાને આકરો જવાબ આપવા દરમ્યાન પકડી લેવામાં આવ્યાં હતાં. આ ત્રણ ભારતીય વાયુસેના પાયલટ કમ્બમ્પતિ નચિકેતા, જે.એલ. ભાર્ગવ અને કરિયપ્પા છે.
કમ્બપતિ નચિકેતા ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલ 1999નાં કારગિલ યુદ્ધ દરમ્યાન ધરપકડ થયેલ અને આઠ દિવસો સુધી પાકિસ્તાનની ધરપકડમાં રહ્યાં. ત્યારે પૂર્વ એર કમોડોર જે. એલ. ભાર્ગવ 1971નાં યુદ્ધમાં એક વર્ષ સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહ્યાં. 1965નાં યુદ્ધમાં એર માર્શલ કે.સી કરિયપ્પાએ ચાર મહીના પાકિસ્તાની ફોજની ધરપકડમાં વિતાવ્યાં.
જે.એલ ભાર્ગવને પાકિસ્તાની અધિકારીએ કહ્યું હતું કે, કલમા વાંચોઃ
જે.એલ ભાર્ગવને પાકિસ્તાની સેનાએ કલમા વાંચવા માટે કહ્યું અને જ્યારે તેઓ ના વાંચી શક્યાં ત્યારે તેમને જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યાં. ભાર્ગવનું વિમાન 5 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું. તેઓએ પાકિસ્તાની ફોજને હાથ લાગતા પહેલાં બાર કલાક સુધી પોતાની ઓળખ છુપાવી રાખી. ભાર્ગવનાં વિમાનને જેવું પાકિસ્તાને તોડી પાડ્યું કે તુરંત તેઓએ બહાર છલાંગ લગાવી દીધી.
આ રીતે પોતાની ઓળખ છિપાવતા આખરે પાકિસ્તાન ફોજને હાથ લાગી ગયાં. આ પહેલાં ભાર્ગવ લોકોની સામે ખુદને પાકિસ્તાન સેવાનાં જવાન તરીકે બતાવતા રહ્યાં. જ્યારે તેઓની ધરપકડ કરવામાં આવી ત્યારે અભિનંદનની જેમ જ તેઓને પણ પૂછવામાં આવ્યું કે, તેઓ ક્યાંથી છે, તેઓએ ખુદને રાવલપિંડીનાં ગણાવ્યાં. આની પર જ્યારે કોઇએ તેઓને કહ્યું કે, તેઓ ભારતીય ગામમાં ઉભાં છે તો ભાર્ગવ ચાલાકીથી સમજી ગયાં અને ખુદને પાકિસ્તાન મોકલવાની ભલામણ કરવા લાગ્યાં.,
કારગિલ યુદ્ધનાં હીરો નચિકેતાએ પાકિસ્તાન ધરપકડમાં વિતાવ્યાં 8 દિવસઃ
નચિકેતા કારગિલ યુદ્ધનાં હીરો છે. 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન તેઓ પાકિસ્તાની ફોજની ધરપકડમાં આવી ગયાં હતાં. તેને વધુ પ્રતાડિત કરવામાં આવ્યાં હતાં. નચિકેતા કારગિલ યુદ્ધ દરમ્યાન લેફ્ટિનેંટ હતાં. તે 26મેં 1999ને કારગિલ યુદ્ધ દરમ્યાન બટાલિક સેક્ટરમાં જનારા નંબર 9 સ્ક્વાડ્રન આઇએએફ પાયલટોમાંથી એક હતાં.
નચિકેતાએ 80 એમએમ રોકેટ્સને આધારે દુશ્મનનાં ઠેકાણાં પર પ્રથમ વાર કર્યો અને જેવો 30 એમએમ કેનનથી બીજો વાર કરી રહ્યાં હતાં, વિમાનનાં એન્જીનમાં એકાએક આગ લાગી ગઇ અને એન્જીન ફેલ થઇ ગયું. નચિકેતા વિમાનમાંથી કૂદી ગયાં અને પાકિસ્તાનની ધરતી પર પહોંચી ગયાં. જેવાં તે પાકિસ્તાનની ધરતી પર પહોંચ્યાં તે પહેલાં તેઓએ બે-ત્રણ કલાક સુધી પાકિસ્તાન ફોજની પકડમાં આવવાથી બચાવી રાખ્યાં.
ત્યાર બાદ ગસ્ત પર આવેલ પાકિસ્તાન ફોજે તેઓને પકડી લીધાં અને આઠ દિવસો સુધી રાવલપિંડીમાં અંધારાવાળી જેલમાં નાખી દીધાં. અહીં તેઓને ખૂબ હેરાન કર્યાં. તેઓને ભારત સાથેનાં સંબંધની વિવિધ જાણકારીઓ માંગવામાં આવી અને મિશનને વિશે ઘણું બધું ઓકાવવાની કોશિશ કરવામાં આવી.
પાકિસ્તાનની ધરપકડમાં ચાર મહીના રહ્યાં એર માર્શલ કરિયપ્પાઃ
આ જ રીતે એર માર્શલ કે.સી. કરિયપ્પાનું વિમાન યુદ્ધનાં અંતિમ દિવસે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં જઇ પડ્યું હતું અને તેઓ ચાર મહીના સુધી પાકિસ્તાની ધરપકડમાં વિતાવ્યાં બાદ સકુશળ ભારત ફર્યાં. કે.સી કરિયપ્પા જ્યારે પાકિસ્તાની ફોજ દ્વારા પકડવામાં આવ્યાં ત્યારે તેઓની ઉંમર 26 વર્ષની હતી. તેઓએ પણ અન્ય વાયુસેનાનાં અધિકારીઓની જેમ પાકિસ્તાની ફોજને માત્ર પોતાનું નામ, યુનિટ નંબર અને રેંક જણાવી. ત્યાર બાદ તેઓને જેલમાં નાખી દેવામાં આવ્યાં.
તેઓએ પાકિસ્તાની ફોજની જાણકારી ના આપી. તેઓનાં પિતા ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પા છે, જો કે આઝાદ ભારતમાં સશસ્ત્ર બળોનાં પહેલાં ભારતીય પ્રમુખ હતાં. કરિયપ્પાને ખ્યાલ પણ ન હોતો કે તેઓની સાથે શું થવા જવાનું છે પરંતુ તેઓનાં પરિવારને તો સતત ચિંતા સતાવતી હતી. ત્યાર બાદ પાકિસ્તાને તેઓની ધરપકડની જાહેરાત કરી અને તેઓની સુરક્ષિત હોવાંની જાણકારી આપી. એટલું જ નહીં પાકિસ્તાનનાં જનરલ અયૂબ ખાને તેઓને જલ્દીથી છોડી મૂકવાની પણ જાહેરાત કરી કેમ કે કેસી કરિયપ્પાનાં પિતા બ્રિટિશ ઇન્ડીયન આર્મી દરમ્યાન અયૂબ ખાનનાં બોસ હતાં.