ઉત્તર પ્રદેશ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે સદંતર પ્રયાસ કર્યો છે કે અમે પોતાના કામોને જનતાની સામે રાખીએ. જનતાએ અમને પસંદ કરીને મોકલ્યા છે એટલે અમારૂ કર્તવ્ય છે કે અમે જનતાને જણાવીએ કે અમે શું કરી રહ્યા છીએ. યોગીએ કહ્યું કે મારા CM બનવા પર દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. યોગીએ કહ્યું કે આ વાતની ચર્ચા થઇ કે મોદીએ ક્યા નમૂનાને બેસાડી દીધો?
બીજેપી કાર્યસમિતિની બેઠકમાં યોગીએ કહ્યું કે જનતાને કામ જાણવાનો અધિકાર છે. અમે 24 કલાકની અંદર એન્ટી રોમિયો ટીમને બનાવવામાં આવી છે. અમે આ લોક કલ્યાણ પત્રમાં ઉલ્લેખ કર્યુ હતુ.
યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હમારી સરકારે ગેરકાયદે કતલખાનાને બંધ કરાવ્યા. હજી પણ તે ગેરકાયદેસર કતલખાના ચાલે છે તેને પણ બંદ કરાવીશું. અમારી સરકારે 24 કલાકમાં અમે કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ. શરૂઆતમાં એન્ટી રોમિયો દળનો વિરોધ થયો. યોગીનું માનીએ તો મોદીએ સૌની સામે આદર્શ સ્થાપિત કર્યો છે. હવે લોકો કહે છે કે બીજેપીનો રસ્તો જ યોગ્ય છે.
યોગીએ પોતાની વાત જણાવતા કહ્યું કે અમારી સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જેના દ્વારા 86 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. અમે થોડા જ સમયમાં ખાંડની મિલોને શરૂ કરીશું સાથે જ સરકાર 4 નવી ખાંડની મિલો ખોલશે.
અમારી સરકારે વીઆઇપી કલ્ચરને નષ્ટ કર્યું છે. પહેલા માત્ર 4 જિલ્લામાં 24 કલાક વિજળી મળતી હતી. પરંતુ અમારી સરકારે દરેક જિલ્લાને 24 કલાક વિજળી આપવાની શરૂઆત કરી છે. હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ 48 કલાકમાં ટ્રાન્સફોર્મર બદલી નાખવામાં આવશે યોગીએ કહ્યું કે અમને કલંકિત વ્યવસ્થા મળી હતી. આજ સુધીમાં 5500 કરોડની ચુકવણી ખેડૂતોને કરી ચુક્યા છે.
યોગીએ કહ્યું કે પ્રદેશમાં કાયદાનું રાજ લાવવાની અમારી પ્રાથમિકતા છે. અમે ભષ્ટાચારના મુદ્દે જીરો ટૉલરેસ પર કાર્ય કરીશું અમારી સરકાર કોઇ સાથે પણ ભેદભાવ રાખશે નહી. અમારી સરકાર ગુંડારાજને ખત્મ કરવા માટે યુદ્ધના સ્તરે કામ કરી રહી છે.
મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના આરે છે ત્યારે કેટલીક યોજનાઓને પીએમ મોદીએ લાગૂ કરી હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં આ યોજનાઓને લાગૂ નહોતી કરવામાં આવી યોગીએ કહ્યું કે 7માં પગારપંચ લાગૂ કર્યા પછી રાજ્ય સરકાર પર દેવુ હતું તે છતાં પણ અમે ખેડૂતોના દેવાને માફ કર્યુ છે.