પંજાબ નેશનલ બેંક(PNB) સાથે 14 હજાર કરોડનો ગોટાળો કર્યા બાદ વિદેશ ફરાર થયેલા આરોપી નિરવ મોદી પર ઈ.ડી.એ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ઈડીએ હોંગકોંગમાં નિરવ મોદી પર મોટી કાર્યવાહી કરતા નિરવ મોદીની રૂ. 255 કરોડની સંપતિ જપ્ત કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈ.ડી.એ આ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઈ.ડી.એ નિરવ મોદીની કુલ રૂ. 4744ની સંપતિ જપ્ત કરી છે. તમને જણાવીએ કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલે અત્યાર સુધીમાં નીરવ મોદીની 4744 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ અગાઉ ઈડીએ પંજાબ નેશનલ બેન્ક સાથે કરેલા 13 000 કરોડના કૌભાંડ મામલે મેહુલ ચોકસી સહિત અન્યની 218 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
આ કાર્યવાહી પણ પીએમએલએ અંતર્ગત કરવામાં આવી હતી. તપાસ એજન્સીના મુંબઈ સ્થિત કાર્યલયથી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે ત્રણ અસ્થાઈ આદેશ કરવામાં આવ્યા હતા.
જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી તે હીરાના વેપારી મેહુલ ચોકસી નીરવ મોદીના અમેરિકામાં રહેતા સહયોગી મિહિર ભણસાલી અને એ.પી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક કંપનીના નામે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સૂરતની એક કોર્ટે પણ હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરી મામલે ભાગેડૂ જાહેર કર્યો હતો. ડીઆરઆઈએ હીરાની આયાત પર લાગતા ટેક્સની ચોરી મામલે તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.