પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધુને લઈને એક ચોંકાવનારો દાવો કરીને રાજકીય ગરમી વધારી છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનો દાવો
નવજોત સિદ્ધુને મંત્રી બનાવવાની ભલામણ પાકિસ્તાનથી આવી હતી
પાક.પીએમ ઈમરાન ખાને કરી હતી સિદ્ધુને મંત્રી બનાવવાની ભલામણ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂ વચ્ચેનો ઝગડો જગજાહેર છે, તેઓ બન્ને અવારનવાર એકબીજા વિરૃદ્ધ બેફામ બોલતા હોય છે અને ચોંકાવનારા આક્ષેપ કરતા હોય છે. હવે કેપ્ટન અમરિન્દર સિદ્ધૂને લઈને એક મોટો દાવો કરતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે.
#WATCH | Pakistan PM had sent a request if you can take (Congress Punjab president Navjot Singh) Sidhu into your Cabinet I will be grateful, he is an old friend of mine. You can remove him if he'll not work: Punjab Lok Congress president & former Punjab CM Amarinder Singh pic.twitter.com/88jSfIpfQ8
ઈમરાનખાને મને કહ્યું, સિદ્ધુને મંત્રી બનાવો, કામ ન કરે કાઢી મૂકજો-અમરિન્દર
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે પ્રેસ કોન્ફરન્સમાં એવું જણાવ્યું કે પંજાબમાં જ્યારે તેમની સરકાર બની ત્યારે નવજોતસિંહ સિદ્ધુને મંત્રી બનાવવાનો મેસેજ પાકિસ્તાનથી આવ્યો હતો. મને કહેવાયુ કે સિદ્ધુ તેમનો ખાસ મિત્ર છે. તેને સરકારમાં રાખવો હોય તો રાખી લો. કામ ન કરે તો કાઢી મૂકજો.
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને મેસેજ મોકલીને કહ્યું સિદ્ધુને મંત્રી બનાવો
કેપ્ટન અમરિન્દરે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને મને ફોન પર મેસેજ મોકલ્યો અને લેખિતમાં ભલામણ કરી કે સિદ્ધુને મંત્રી બનાવી લેવામાં આવે. તેમણે કહ્યું કે હું ઈમરાનખાનને કદી મળ્યો નોહોતો અને વ્યક્તિગત રીતે તેમને જાણતો પણ નથી તેથી પંજાબમાં કોંગ્રેસની જીત બાદ તરત આવેલા આવા મેસેજથી મને ઘણી નવાઈ લાગી અને સાથે ઝટકો પણ લાગ્યો કે એક વ્યક્તિને રાજ્યમંત્રી બનાવવા માટે બીજા દેશના પ્રધાનમંત્રી અને તેમના નજીકના સાથીઓ દબાણ કરી રહ્યાં છે.
સિદ્ધુ પાસે મગજ નથી
અમરિન્દરે કહ્યું કે નવજોત સિદ્ધુ પાસે મગજ જેવું કંઈ નથી. મેં પાંચ વર્ષ પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું હતું કે સિદ્ધુ જેવા નકામા માણસને સરકારમાં સામેલ ન કરી શકાય.
સિદ્ધુ ઈમરાનખાનના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા
2017માં પંજાબમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે સિદ્ધુ અમરિંદર સિંહની સરકારમાં મંત્રી બન્યા હતા. જોકે તેઓ સતત વિવાદોમાં રહ્યા અને 2019માં તેમણે મંત્રી પદ છોડી દીધું. તેમણે અમરિન્દર સરકાર સામે અનેકવાર મોરચો ખોલ્યો હતો. 2018માં ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહ માટે પાકિસ્તાનની મુલાકાત લેવાનું પણ સિદ્ધુનું લક્ષ્ય હતું. આ માટે અમરિન્દર સિંહે સિદ્ધુની ટીકા પણ કરી હતી.