અનંતપુરની સરકારી હોસ્પિટલમાં 11 તો કુરનુલની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ એમ કુલ 16 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા દર્દીઓના મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
અનંનપુર જોઈન્ટ કલેક્ટર નિશાંત કુમારે જણાવ્યું કે અનંતપુર જીજીએચમાં 16 દર્દીઓના મોત થયા છે. જીજીએચના ડોક્ટરોએ પણ પુષ્ટિ કરી છે કે દર્દીઓના મોત ઓક્સિજન સપ્લાયમાં ઓછા પ્રેશરને કારણે થયા છે.
સરકારે ઓક્સિજનની અછતનો ઈન્કાર કર્યો
જીજીએચ ડોક્ટરોએ જણાવ્યું કે ઓક્સિજન સપ્લાય કરનાર સિસ્ટમમાં જે ખામી સર્જાઈ છે તેને ઠીક કરવા ચેન્નઈથી ટીમ આવી રહી છે. જોકે સરકારે ઓક્સિજનની અછતનો ઈન્કાર કર્યો છે. અનંતપુર જિલ્લા કલેક્ટર જી ચંદ્રુડુએ જણાવ્યું કે જિલ્લામાં ઓક્સિજનની કોઈ અછત નથી. પરંતુ ઓછા દબાણની ફરિયાદ બાદ આખી પાઈપલાઈનની તપાસ કરાઈ છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર
દેશમાં સંક્રમણના મામલા શુક્રવારની સરખામણીએ શનિવારે થોડા ઓછા કેસ આવ્યા છે. ગત 24 કલાકમાં આની સંખ્યા 3, 92, 459 રહી છે. જો કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 3684 લોકોએ જીવ ગુમાવ્યો છે.કોરોનાના 3 લાખ 92 હજાર 459 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી 1,95,49,910 થઈ ગઈ તથા 3684 લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને 2,15,523 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 30 એપ્રિલ સુધી 28,83,37,385 નમૂનાની તપાસ કરવામાં આવી છે. જેમાં 19, 45, 299 નમૂનાની શુક્રવારે તપાસ કરવામાં આવી છે.