એક ઈન્ટરવ્યુમાં અમિત શાહે જણાવ્યું કે આ બન્ને બાબતોને જોડવી યોગ્ય નથી. શાહે કહ્યું કે જ્યાં ચૂંટણી નથી ત્યાં કોરોનાના સૌથી વધારે કેસો છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી તો પછી શા માટે ત્યાં કોરોનાના સૌથી વધારે કેસો છે
શાહે કહ્યું કે જ્યાં ચૂંટણી નથી ત્યાં કોરોનાના સૌથી વધારે કેસો છે.
ચૂંટણી રેલીઓ અને કોરોનાના કેસો સાથે જોડવા યોગ્ય નથી.
ચૂંટણી રેલીઓમાં માનવ મહેરામણના સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે જુઓ શું મહારાષ્ટ્રમાં ચૂંટણી છે તેમ છતા પણ ત્યાં કોરોનાના સૌથી વધારે કેસો છે.
ચૂંટણી રેલીઓ અને કોરોનાના કેસો સાથે જોડવા યોગ્ય નથી
અમિત શાહે કહ્યું કે ચૂંટણી રેલીઓ અને કોરોનાના કેસો સાથે જોડવા યોગ્ય નથી. અમિત શાહને પૂછવામાં આવ્યું છે કે શું ગયા વર્ષની જેમ ભારતમાં લોકડાઉન જ વિકલ્પ છે? ત્યારે અમિત શાહે જવાબ આપ્યો કે અમે સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. શરૂઆતમાં લોકડાઉનનો ઉદ્દેશ જુદો હતો. અમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉપચાર રેખા તૈયાર કરવા માંગતા હતા. ત્યારે આપણી પાસે કોઈ દવા કે રસી ન હતી. અત્યારે પરિસ્થિતિ જુદી છે. છતાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સહમતી જે પણ હોય, અમે તે અનુસાર આગળ વધીશું પરંતુ ઉતાવળમાં આવીને લોકડાઉન કરવા જેવી પરિસ્થિતિ દેખાઈ નથી રહી.
કોરોનાના નવા વેરિયન્ટ અંગે આપ્યું નિવેદન
આ સિવાય ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે કોરોના વાયરસના નવા વેરિયન્ટને વધારે ભયાનક બતાવવામાં આવી રહ્યો છે. શું તમે આ વિષયમાં ચિંતિત છો? તેમણે કહ્યું કે બધા ચિંતિત છે. મને પણ ચિંતા છે. આપણાં વૈજ્ઞાનિકો તેનાથી લડવા માટે કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપણે જીતીશું. મને લાગે છે કે આ ઉછાળો મુખ્ય રૂપે નવા મ્યુટેન્ટના કારણે જ છે. કેટલાય દેશોમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે.
ભારતમાં દૈનિક કેસમાં જોરદાર ઉછાળો
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અને બીજી લહેરમાં વિવિધ રાજ્યોના હાલ બેહાલ છે. ભારતમાં દૈનિક કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને રોજના દુનિયામાં સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની વાપસી થઈ છે. દેશના જુદા જુદા રાજ્યોમાં વિકેન્ડ કર્ફ્યૂથી લઈને નાઈટ કર્ફ્યૂ જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.