એક સ્ટડીમાં દાવો કરાયો છે કે જો સરકારે મુંબઈમાં એક મહિનામાં 15 થી 20 લાખ લોકોને રસી અપાવે તો કોરોનાથી થનાર મોતની સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાશે.
કોરોનાની બીજી લહેર પર ગણિતીય મોડલના સ્ટડીમાં દાવો
મુંબઈમાં મે ના બીજા અઠવાડિયામાં કોરોના પીક પર હશે
1 જુનથી પરિસ્થિતિ સુધરશે
15-20 લાખ લોકોનું વેક્સિનેશન થયું તો કોરોના ઘટી જશે
કોરોનાની બીજી લહેર પર ગણિતીય મોડલના સ્ટડીમાં દાવો કરાયો છે કે મે ના બીજા અઠવાડિયામાં કોરોના પીક પર હશે તથા 1 જુનથી પરિસ્થિતિમાં સુધારો થવાનું શરુ થઈ જશે.
મહારાષ્ટ્ર ત્રીજા વેવ માટે તૈયાર
મહારાષ્ટ્ર સરકારે પણ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરી લીધી છે. સોમવારે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે તેમણે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર એસ જયસ્વાલ સાથે મુલાકાત કરી હતી અને મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સમીક્ષા કરી છે.
રસીકરણથી કોરોના કાબૂમાં આવશે
ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમં એવું જણાવાયું છે કે મે ના પહેલા અઠવાડિયામાં કોરોનાથી સૌથી વધારે મોત થશે. મુંબઈમાં 15 થી 20 લાખ લોકોના રસીકરણથી કોરોના પર કાબૂ મેળવી શકાય છે.
તો 1 જુલાઈથી ખોલી શકાશે શાળાઓ
સ્ટડીમાં જણાવાયું છે કે જો સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં કોઈ અડચણ ન આવે તો અને કોરોનાના બીજા કોઈ સ્વરુપનું જોખમ ન સર્જાય તો આ પરિસ્થિતિમાં મુંબઈમાં 1 જૂનથી કોરોનાના કેસોમાં ઘટાડો આવશે તથા 1 જુલાઈથી સ્કૂલો પણ શરુ થઈ શકે છે. ટીઆઈએફઆર ડીન ડો.સંદીપ જુનેજાએ જણાવ્યું કે આ સત્ય છે કે કોઈ સ્ટડીના પૂર્વાનુમાનોમાં ભૂલોની શક્યતા રહેલી હોય છે. આવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જુલાઈનો સમય સૌથી વધારે ફાયદાકારક રહેશે.