વિભિન્ન મુદ્દાઓ પર ખૂલીને બોલવાનું સાહસ ન બતાવનાર કાર્યકર્તાઑને આડે હાથ લેતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના એક જૂના નિવેદનને યાદ અપાવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે મને ગૌમાંસ પસંદ છે. તેમણે કહ્યું કે મે તો એકવાર વિધાનસભામાં ઊભા થઈને કહ્યું હતું કે મને ગૌમાંસ પસંદ છે, તમે કોણ છો મને પૂછનાર ? આ મારો અધિકાર છે, ભોજનને લઈને બધાની પસંદ જુદી જુદી હોય છે, તમે સવાલ કરનારા કોણ છો ? તમે નથી ખાતા તો કશો વાંધો નહીં હું તમને મજબૂર નહીં કરું.
શું તમારામાં આવું બોલવાનો સાહસ છે? : સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયાએ કહ્યું કે 'હું ખાઉં છું કારણ કે મને પસ્નાદ છે, તમે સવાલ કરવાવાળા છો કોણ ?' નોંધનીય છે કે તેમણે આવું નિવેદન આપ્યા બાદ ફરી પોતાના જ કાર્યકર્તાઓને પૂછ્યું કે શું તમારામાં આવું બોલવાનો સાહસ છે?
ગોહત્યા વિરોધી બિલને લઈને ચર્ચા
ગોહત્યા વિરોધી કાયદા મુદ્દે તેમણે કહ્યું કે અમારા લોકો એમ સમજીને શાંત રહી જાય છે કે બીજા લોકો જે કહી રહ્યા છે તે સાચું છે. તમારે આ પ્રકારના ભ્રમમાંથી બહાર આવવું જોઈએ. તેમણે કહ્યું કે ગાય અને ભેંસની સારસંભાળ માટે દિવસમાં સો રૂપિયાનો ખર્ચો આવે અને ખેડૂતો પોતાની અને ઘરડી થઇ ગયેલી ગાયો અને ભેંસોને ક્યા મોકલે ? તેમના પૈસા કોણ આપશે ? ખેડૂતો તો ગાયની પૂજા કરે છે.
શું છે આ કાયદો ?
કર્ણાટકમાં ગોહત્યા વિરોધી કાયદો આવવાથી રાજ્યમાં રાજ્યભરમાં ગોહત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ગાયો પર અત્યાચાર તથા હત્યા કરવા માટે કડક સજાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ બીલમાં ગોહત્યા કરવા પર એક પશુ માટે પચાસ હજારથી લઈને દસ લાખ સુધીનો દંડ તથા ત્રણથી સાત વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે.