રાજ્યસભાની ચૂંટણીનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા અને પીટીશનની કોપી મામલે હાઈકોર્ટમાં માગ કરી હતી.જેમાં અહેમદ પટેલે પીટીશનની કોપી ઓરીજીનલ છે કે નહીં તેની ચકાસણી માટે FSLમાં મોકલવા માટે માગણી કરી હતી.જો કે,ગુજરાત હાઇકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2019
શું હતો મામલો
મહત્વનું છે કે,રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે તેમની સામે લગાવેલા આરોપને અહેમદ પટેલે નકાર્યા હતા અને બળવંત સિંહ રાજપૂતે કરેલા કેસ અંગે અહેમદ પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
પરંતુ 3 જાન્યુઆરી 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને જણાવ્યું હતું કે, 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમના ચૂંટાવા અંગે ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતની ચૂંટણી અરજીનો કેસ તેમણે લડવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, બળવંત સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં બે બળવાખોર ધારાસભ્યોના મતને ગેરકાયદે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પોતાની અરજીમાં પડકાર્યો હતો...જેમાં બળવંતસિંહ દ્વારા જો આ બે મતને ગણતરીમાં લેવાયા હોત તો તેમણે અહેમદ પટેલને હરાવી દીધા હોત. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.