તેલંગાણા CM ચંદ્રશેખર રાવે એક મોટું નિવેદન આપતાં એવું કહ્યું કે જો 2024માં સંયુક્ત વિપક્ષને સત્તા મળશે તો આખા દેશના ખેડૂતોને મફત વીજળી પૂરી પાડીશું.
દેશમાં ચૂંટણી જાહેરાતો પર પ્રતિબંધની વચ્ચે વધુ એક મોટું પ્રલોભન
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવનું મોટું નિવેદન
2024માં સત્તા મળી તો આખા દેશના ખેડૂતોને મફત વીજળી
2024ની લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓ અત્યારથી લોકોને પ્રલોભનો આપવા લાગ્યાં છે. દેશમાં ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા કરાતી મોટી મોટી જાહેરખબરોને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે. ખુદ પીએમ મોદી પણ મફતની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે, સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દે ચર્ચા શરુ થઈ છે. ત્યારે હવે તેમાં તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવે પણ ઝૂકાવતાં એક મોટી જાહેરાત કરી નાખી છે.
2024માં જીત્યાં તો આખા દેશના ખેડૂતોને મફત વીજળી
નિઝામાબાદની પાર્ટીની એક રેલીને સંબોધતા સીએમ ચંદ્રશેખર રાવે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ જીતશે તો આખા દેશના ખેડૂતોને મફત વીજળી આપીશું.
కార్పొరేట్ గద్దలకు 12 లక్షల కోట్ల మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైతులకు మాత్రం రూ. 1.45 లక్షల కోట్లు ఇవ్వలేదా ?
ખેડૂતોને નબળા પાડવાનો પ્રયાસ
રાવે કહ્યું હતું કે તેઓ નિઝામાબાદથી રાષ્ટ્રીય રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે, જ્યાં તેઓ એક જાહેર રેલીમાં બોલી રહ્યા હતા.
ટીઆરએસ સુપ્રીમોએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ખેડૂતોને નબળા પાડવાનું કાવતરું રચી રહી છે અને વડાપ્રધાનની નજીકના કોર્પોરેટ્સને તેમની જમીન ખરીદવા માટે સક્ષમ બનાવે છે. ઇલેક્ટ્રિકલ એગ્રિકલ્ચરલ પમ્પસેટમાં મીટર નક્કી કરવાનો કેન્દ્રનો આગ્રહ ખેડૂતોને તેમની જમીન છોડી દેવા માટે દબાણ કરવાનો પ્રયાસ છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
ચંદ્રશેખર રાવ-મમતા અને નીતિશ કુમાર નવો મોરચો માંડવાની તૈયારીમાં
ઉલ્લેખનીય છે કે 2024ની ચૂંટણી પહેલા ચંદ્રશેખર રાવ-મમતા અને નીતિશ કુમાર ભાજપની સામે લડવા માટે એક નવો મોરચો ઊભો કરવા માગે છે. તેઓ અવારનવાર આ વાત કહેતા રહ્યાં છે. સોમવારે બિહારના સીએમ નીતિશ કુમાર દિલ્હીમાં જઈને રાહુલ ગાંધીને મળ્યાં હતા.