કેપ્ટન અમરિન્દરે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને અભિનંદન પાઠવ્યાં છે.
પૂર્વ સીએમ અમરિન્દરે ચન્નીને અભિનંદન પાઠવ્યાં
કહ્યું, સરહદ પારના ખતરાથી લોકોને બચાવશે
અમરિન્દરે રાજીનામુ આપ્યું હતું
ચન્નીને અભિનંદન આપતા અમરિન્દરે ટ્વિટ કરીને જણાવ્યું કે ચરણજીત સિંહ ચન્નીને મારી શુભકામનાઓ. આશા રાખું કે તેઓ પંજાબની સરહદ ને સુરક્ષિત રાખીને સરહદ પારના ખતરાથી આપણા લોકોની રક્ષા કરશે.
પંજાબ વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ આવતીકાલે સવારે 1 વાગ્યે ચરણજીત ચન્ની મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે.
‘My best wishes to Charanjit Singh Channi. I hope he’s able to keep the border state of Punjab safe and protect our people from the growing security threat from across the border’: @capt_amarinderpic.twitter.com/oO2F6JUZ6J
ઘણા સમયથી કેપ્ટનની સામે બળવો કરી રહ્યાં હતા
ચરણજીત સિંહ ઘણા લાંબા સમયથી કેપ્ટન અમરિન્દરની સામે બળવો પોકારી રહ્યાં હતા. તેઓ 2015 થી 2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
લોકકલ્યાણના કામો કરતો રહીશ
મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ ચન્નીએ કહ્યું કે મારુ પહેલું કામ લોકો કલ્યાણકારી કામોને પુરા કરવાનું છે. હું બધા લોકોને સાથે રહીને ચાલીશ.