કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે અને સંક્રમિત કેસોની સંખ્યામાં પણ રોજ વધારો નોંધાઈ રહ્યો છે. થોડાં સમય પહેલાં એક દિવસમાં 1 હજાર સંક્રમિત કેસ આવવાથી પણ ચિતા વધી જતી હતી અને હવે રોજના 22,000થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. સંક્રમિતોની વધતી સંખ્યા જોઈને તમે સમજી શકો છો કે કોરોના કેટલો ચેપી રોગ છે અને ઝડપથી ફેલાય છે. જોકે, આપણે આપણાં રોજિંદા જીવનને પણ રોકીને રાખી શકીએ નહીં. જેથી જો તમારે કોઈપણ કારણોસર યાત્રા કરવી પડી રહી છે તો આ દરમિયાન સંક્રમણથી બચવા શું કરવું, આજે અમે જણાવીશું.
દેશમાં સતત વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા
કોરોનાના ચેપથી બચવા આટલું ધ્યાન રાખો
યાત્રા કરનારા લોકો માટે ખાસ ટિપ્સ
યાત્રા દરમિયાન આ વાતનું ધ્યાન રાખો
જો તમારી બાજુની સીટ પર શરદી-ખાંસીની પીડિત વ્યક્તિ બેઠેલું હોય તો તમારી સીટ બદલાવી દો અથવા બાજુના વ્યક્તિથી વાત કરવી નહીં અને માસ્ક યોગ્ય રીતે પહેરી રાખવું.
જ્યારે પણ ફેસને હાથ અડાડવાનો હોય કે કોઈ સામાન ટચ કરવાનો હોય તે પહેલાં હેન્ડસેનિટાઈઝરનો ઉપયોગ કરો.
આ લોકોએ યાત્રા કરવી નહીં
અત્યારે જે લોકોને શરદી, ખાંસી, ફીવર, ગળામાં દુખાવાની સમસ્યા હોય તેમણે ટ્રાવેલ કરવું નહીં. આવા સમયે જો તમે યાત્રા કરશો અને કોઈ એ-સિમ્પ્ટોમેટિક વ્યક્તિ તમારી બાજુમાંથી પસાર થશે તો તમે કોરોના સંક્રમણ થવાનો ખતરો અનેકગણો વધી જશે, કારણ કે શરદી, ખાંસી, ફીવરને કારણે તમારું શરીર પહેલાં જ નબળું હશે.
યાત્રા દરમિયાન ખાનપાન
યાત્રા દરમિયાન ઘરમાં જ બનાવેલું ભોજન લઈને જવું, સાથે જ પાણીની બોટલ પણ યાત્રા દરમિયાન ઘરેથી જ લઈ જવી. જો રસ્તામાં મિનરલ વોટર ખરીદી રહ્યા છો તો તેનો ઉપયોગ કરતા પહેલાં તેને સેનિટાઈઝ અવશ્ય કરો. જેથી સંક્રમણનો ખતરો ન રહે. આ દરમિયાન બહારનો ખોરાક ખાવાનું ટાળવું.
નોનવેજ ખાવું નહીં
યાત્રા દરમિયાન નોનવેજ બિલ્કુલ ખાવું નહીં. તેનાથી સંક્રમણનો ખતરો અનેક ગણો વધી જાય છે. જેથી નોનવેજ અવોઈડ કરવું.
સ્ટાફનો સપોર્ટ કરો
યાત્રા દરમિયાન ટ્રાફિક પોલીસ અને સિવિલ પોલીસ દ્વારા પૂછવામાં આવતા સવાલોનો જવાબ આપો. સ્ટાફને સપોર્ટ કરો, કારણ કે તેઓ આપણી જ સુરક્ષા માટે આ બધું કરી રહ્યાં છે.
સાથે એક્સ્ટ્રા માસ્ક રાખવું ભૂલવું નહીં
અત્યારે દરેક જગ્યાએ માસ્ક ઉપલબ્ધ છે. પરંતુ પર્સનલ કાર અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યાત્રા દરમિયાન એક્સ્ટ્રા માસ્ક, પેપર સોપ, સેનિટાઈઝર, હેન્કી, ટિશ્યૂ પેપર રાખવાનું ભૂલવું નહીં.
આ દવાઓ હમેશાં તમારી સાથે રાખો
તમે નાની કે મોટી કોઈપણ યાત્રા કરવાના હોવ જતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. સાથે જ શરદી, ખાંલી અને ફીવરની દવાઓ પણ તેમની પાસેથી લઈ લેવી. જેથી યાત્રા દરમિયાન કોઈપણ સમસ્યા થાય તો તમે તરત જ દવા ખાઈ શકો.