દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે, એવામાં સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર રાજસ્વ વધારવા માટે જીએસટીમાં વધારાનો ટેક્સ લગાવી શકે છે.
5 ટકાના સ્લેબ સિવાયના સ્લેબમાં GST કર ઉમેરવા પર વિચાર
આગામી બેઠકમાં સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
કેરળ અને અસમ જેવા રાજ્યોએ આ વિચારનું સમર્થન ન કર્યું
ધ ઈન્ડીયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર કોરોના વાયરસના સંકટમાં દેશમાં અર્થતંત્રને વેગ આપવા માટે જીએસટી પર ઉપકાર લગાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો મુજબ GST સ્લેબના 5 ટકાવાળા સ્લેબને છોડીને બીજા સ્લેબ પર રાજસ્વ વધારવા માટે વધારાનો ટેક્સ લગાવવા પર વિચાર કરી રહી છે. અહેવાલ અનુસાર આગામી GST બેઠકમાં આ મુદ્દો ઉઠવવામાં આવી શકે છે. આ સિવાય જ્યારે રાજ્યોને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે કેરળ અને અસમ સરકારનું માનવું છે કે જો સરકાર ખરેખર આવો ટેક્સ લાવવાની છે તો તે એક સારો વિચાર નથી કારણ કે ઉદ્યોગો પહેલેથી જ સમસ્યાનો સામનો કરી રહી છે.
અસમના મંત્રીએ પણ કહ્યું હતું કે હાલમાં દેશમાં કોઈ પણ ટેક્સ લગાવવાની પરિસ્થિતિ નથી. હાલમાં ઉદ્યોગો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. વિવિધ કંપનીઓમાં પગારકાપથી લઇને છટણી સુધીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જોકે મંત્રીએ અન્ય એક ટેક્સની ભલામણ કરી નાખી. તેમણે કહ્યું કે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓ વધારાના ટેક્સ પર વિચાર કરી શકાય છે.
દેશમાં કેરળ જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં બંધારણની ભલામણ અનુસાર વિશિષ્ટ પરિસ્થિતિમાં સંશ્ધાનો ભેગા કરવા માટે તે વિશિષ્ટ કર ઉમેરી શકે છે. કેરળમાં વર્ષ 2019માં બે વર્ષ માટે એક ટકા વધારાનો ટેક્સ વાસુલાવની શરૂઆત કરી હતી. વિવિધ રાજ્યોએ હાલમાં કેન્દ્ર સરકાર પાસે ફંડની માંગણીઓ કરી છે ત્યારે આ અહેવાલ અનુસાર જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા તૈયાર કરી લેશે તે પછી જ જીએસટીની બેઠક બોલાવવામાં આવશે.