સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું આજે ₹70451 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ આજે 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.
Chiranjeevi Film Vishwambara: તેલુગૂ મેગાસ્ટાર ચિરંજીવીની નવી ફિલ્મ આવી રહી છે. 'વિશ્વમ્બરા' ફિલ્મ એક માઈથોલોજી પર બેસ્ડ ફેટેસી ફિલ્મ છે. આ ફિલ્મના મહત્વપૂર્ણ એક્શન સીક્વન્સ માટે ફિલ્મની ટીમે ભગવાન હનુમાનની એક 54 ફૂટની પ્રતિમા તૈયાર કરી છે.
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આવેલી એક ખાસ શાળા પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપે છે. આ શાળા તમારા આસપાસના વિસ્તારમાં રહેલી સરકારી બ્લાઈન્ડ સ્કૂલ કરતા ઘણી અલગ છે. કારણ કે અહીંના મકાનને, મકાનના દરેક વિસ્તારને, દરેક પથ્થરને વિદ્યાર્થીઓ સ્પર્શીને, સુંઘીને ઓળખી શકે છે.
DGCA Advisory for Indian Airlines: DGCAની તરફથી બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી બધી એરલાયન્સ સુનિશ્ચિત કરશે કે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકોને બેસવા માટે તેમના માતા-પિતા કે વાલીની સાથે વાળી સીટ આપવામાં આવે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ થવાનું છે, ત્યારે હવે મતદાન પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
Post Office Schemes: પોસ્ટ ઓફિસ હવે દેશના નાગરિકોને ઘણા પ્રકારની સુવિધા આપી રહી છે. આજના સમયમાં પોસ્ટમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ સ્કીમ્સ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે અને લોકો ખૂબ તેમાં રોકાણ પણ કરી રહ્યા છે.
Guru Gochar 2024: 12 વર્ષ બાદ દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેનાથી ત્રણ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે. ખરાબ સમય સારામાં ફેરવાઈ જશે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવ દ્વારા ખોટી રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ ઈરફાન પઠાણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા છે, પરંતુ એમને ફરી એકવાર હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે.
Sourav Ganguly On T20 Cricket: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવી જોઈએ. તેમના અનુસાર વિરાટ કોહલી 40 બોલમાં સેન્ચુરી મારવાની તાકાત ધરાવે છે.
રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતાને કારણે બોર્ડના કોપી કેસોની સુનાવણી અટકી ગઈ છે. બોર્ડે ચૂંટણી પરિણામ પહેલા પરીક્ષા સમિતિની બેઠક માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી. ચૂંટણી પંચ તરફથી મજૂરી ન મળતા ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય અટવાયો છે.