ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેરે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ને પોતાની 30,000 કોવિડ કવચ એલિસા ટેસ્ટ કીટ વિના મૂલ્યે આપી છે. કંપની દ્વારા જણાવામાં આવ્યું છે કે આ ટેસ્ટ કિટનું નિર્માન તેઓની ઝાયડસ ડાયગ્નોસ્ટિક એકમ દ્વારા કરવામાં આવ્યું છે. એક જાણકારી આપતાં જણાવાયું છે કે ICMR -નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલૉજીની સાથે ટેક્નોલોજી સ્થાનાંતરણ હેઠળ આ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ અગાઉ કંપનીએ ICMR ની સાથે મળીને સંક્રામક બિમારીઓને પહોંચીવાળવા માટે એક સમજૂતિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પૂનાની ઇન્સ્ટિટયૂ ઓફ વાયરોલોજી દ્વારા કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે સ્વદેશી ટેસ્ટ કિટ એલિસા વિકસાવામાં આવી રહી છે જેનું ઉત્પાદન રાજ્યની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને સોંપવામાં આવ્યું છે.
કંપની દ્વારા જણવામાં આવ્યું છે કે કેડિલા હેલ્થકેરના એકમ ઝાયડસ ડાયગ્નોસ્ટિકસ દ્વારા 30,000 કોવિડ કવચ એલિસા કીટ તૈયાર કરાયા છે જે ICMRને વિના મૂલ્યે પુરા પાડવામાં આવ્યાં છે.
એલિસા કીટ શું છે
એલિસા કીટ એક પ્રકારની વાયરસ કે બેક્ટેરીયલ ઇન્ફેકશન સમયે શરીરમાં જે એન્ટીબોડી પેદા થાય છે તેનો એક પ્રકાર છે. આ સૌથી સામાન્ય એન્ટબોડી છે. તેની માહિતી સીરમ, પ્લાઝમાં કે અન્ય દ્રવ્યોના સેમ્પલ દ્વારા મેળવી શકાય છે. આ ટેસ્ટ કીટની મદદથી આ એન્ટીબોડીની ઉપસ્થિતિ નક્કી કરીને કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. આ કિટમાં અઢી કલાકમાં અંદાજે 90 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવી શકે છે.