દવા કંપની ઝાયડસ કેડિલાએ DCGI પાસેથી હિપેટાઇટિસની દવા પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીથી કોવિડ-19ના ઇલાજ કરવા માટે મંજૂરી માગી છે.
કોરોનાની દવાને લઈને સૌથી મોટા સમાચાર
કમળામાં વપરાતી દવા કોરોનાના દર્દીને જલદી સાજા કરે છે
ઝાયડસ કેડિલાએ માગી મંજૂરી
ઝાયડસ કેડિલાએ સોમવારે જણાવ્યું કે, પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં આ દવા કોવિડ-19ના ઇલાજ માટે અસરકારક સાબિત થઇ છે.
કોવિડ-19ના દર્દીઓ પર અસરકર્તા સાબિત થઇ હિપેટાઇટિસની દવા
કંપનીની આ દવાને પેગીહેપ બ્રાન્ડના નામથી વેચાણ કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, જે શરૂઆતના પરિણામો સામે આવ્યા છે તેનાથી ખબર પડે છે કે, શરૂઆતમાં તેનો ઉપયોગ કરવાથી કોવિડ-19ના દર્દીઓ પર અસરકર્તા સાબિત થયો છે. સાથે જ દર્દીને કોઇ તકલીફ પણ પડતી નથી.
ઝાયડસ કેડિલાએ સામાન્ય કોવિડ -19 દવાના ભાવમાં કર્યો ઘટાડો
માર્ચ મહિનાની શરૂઆતમાં, ઝાયડસ કેડિલાએ તેની રેમડેસીવર દવાના સામાન્ય સંસ્કરણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ કંપનીએ કોવિડ -19 ની દવાના જેનરિક વર્ઝનની કિંમત ઘટાડીને 840 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) કરી દીધી છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં દેશમાં રેમડેક રજૂ કરી. તે સમયે, ઈંજેક્શન તરીકે આપવામાં આવતી આ દવાના 100 મિલિગ્રામની બોટલની કિંમત 2800 રૂપિયા હતી.
ગઇકાલે રાજ્યમાં નોંધાયા છે 2800થી વધુ કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે ગુજરાતમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.