દિલ્હી પાસેના જેવર એરપોર્ટના નિર્માણ માટે જ્યૂરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલને જવાબદારી મળી છે. જ્યૂરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલે અદાણી ગ્રુપ અને DIALને પછાડતા બાજી મારી છે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સીઇઓ અરુણ વીર સિંહે જણાવ્યું કે 2 ડિસેમ્બરે રાજ્ય પ્રોજેક્ટ મોનીટરિંગ અને અમલીકરણ સમિતિ સામે આ કંપનીના બિડિંગને રાખવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર મહોર મારવામાં આવશે.
જ્યૂરિચ એરપોર્ટ ઇન્ટરનેશલનને જેવર એરપોર્ટ નિર્માણની જવાબદારી મળી
પ્રતિ યાત્રી સૌથી વધારે 400.97 રૂપિયાની બોલી લગાવી
જેવર એરપોર્ટની 29,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે ચાર ગ્રુપે બોલી લગાવી હતી
જેવર એરપોર્ટની 29,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે જે ચાર ગ્રુપે બોલી લગાવી હતી. તેમા એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ પણ સામેલ છે.
કોણે કેટલી બોલી લગાવી
સ્વિટ્ઝરલેન્ડમાં હેડક્વાર્ટર વાળી જ્યૂરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલે જેવર એરપોર્ટ માટે પ્રતિ યાત્રી સૌથી વધારે 400.97 રૂપિયાની બોલી લગાવી. જ્યૂરિચ એરપોર્ટ સિવાય DIAL ( દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ )એ 351, અદાણી એન્ટરપ્રાઇઝે 360 અને એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ્સે 205ની બોલી લગાવી હતી. આ બિલ્ડિંગ પ્રતિ યાત્રી મળનારા મહેસૂલના હિસાબે કરવામાં આવી હતી. જેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆરમાં ત્રીજુ એરપોર્ટ હશે. આ પહેલા દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગાજિયાબાદમાં હિન્ડન એરપોર્ટથી યાત્રી વિમાન ઉડાન ભરે છે.
ટેક્નિકલ માપદંડો પર ખરી હતી કંપનીઓ
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ( NIAL) ના નોડલ અધિકારી શૈલેન્દ્ર ભાટિયાએ જણાવ્યું હતું કે તમામ બોલી લગાવનાર ટેક્નિકલ માપદંડોને પૂર્ણ કરે છે. પ્રસ્તાવિત એરપોર્ટ માટે NIALએ કંપનીની પસંદગીને લઇને 30 મેએ વૈશ્વિક ટેન્ડર જાહેર કર્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં મોટા પ્રોજેક્ટના મેનેજમેન્ટ માટે એનએઆઇએલનું ગઠન કર્યું હતું.
અદાણી ગ્રુપ પર 6 એરપોર્ટની જવાબદારી
નોંધનીય છે કે, અદાણી ગ્રુપ પર હાલ દેશના 6 એરપોર્ટને ચલાવવાની જવાબદારી છે. જે 5 એરપોર્ટનો અદાણી ગ્રુપને કબજો મળ્યો છે. તેમા લખનઉ, જયપુર, અમદાવાદ, મેંગલુરુ, ગુવાહાટી, અને ત્રિવેન્દ્રમ છે. આ 5 એરપોર્ટને 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ અપગ્રેડ અને ઓપરેટ કરશે.