ઑનલાઇન ફૂડ સર્વિસ વેબસાઇટ Zomatoની સાથે ફરી એક વખત ધર્મની સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે.
એક ગ્રાહકે Zomato ડિલિવરી બૉય પાસેથી માત્ર એટલા માટે ખાવાનું ના લીધુ કેમકે તે મુસ્લિમ હતો, પરંતુ Zomatoની તરફથી આ વ્યકિતને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પહેલા આ જવાબ Zomatoએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપ્યો જે પછી Zomatoના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ આપ્યો. Zomatoએ લખ્યુ કે, ''ખાવાનો કોઇ ધર્મ નથી હોતો, ખાવાનું પોતે એક ધર્મ છે.''
આ સિવાય દીપેન્દ્ર ગોયલે પોતાના ટ્વિટર પર લખ્યુ કે, ''ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોની કારણે જો બિઝનેસને કોઇપણ પ્રકારનું નુકસાન થાય છે તો અમને દુખ નહી થાય.''
Zomato અને તેના ફાઉન્ડરે જે રીતે આ મામલાનો જવાબ આપ્યો છે, તેનાથી સોશ્યલ મીડિયા પર તેમના વખાણ થઇ રહ્યા છે. આ સાથે જ પંડિત અમિત શુક્લ જેમણે આ મામલો ઉઠાવ્યો હતો અને તેના વિશે ટ્વીટ કરી હતી તેને લઇને તેઓ ટ્રોલ થઇ રહ્યા છે.
We are proud of the idea of India - and the diversity of our esteemed customers and partners. We aren’t sorry to lose any business that comes in the way of our values. 🇮🇳 https://t.co/cgSIW2ow9B
મંગળવારે અમિત શુક્લએ પોતાના સોશ્યલ મીડિયા પર આ અંગેની ફરિયાદ કરી હતી. અમિતે પોતાના ટ્વિટર પર ટ્વીટને કરીને લખ્યુ કે, મેં અત્યારે Zomato પર એક ઓર્ડર કેન્સલ કર્યો છે કેમકે તેમની તરફથી એક નૉન હિંદૂ ડિલિવરી બૉય મોકલવામાં આવ્યો હતો. અમિત શુક્લની તરફથી એક સ્ક્રીનશૉટ ટ્વિટર પર જારી કર્યો હતો અને આ મામલો ઉઠાવ્યો હતો.
Just cancelled an order on @ZomatoIN they allocated a non hindu rider for my food they said they can't change rider and can't refund on cancellation I said you can't force me to take a delivery I don't want don't refund just cancel
જોકે આ મામલો તેમના પર જ ઉંઘો પડ્યો, કેમકે સોશ્યલ મીડિયા પર તેમણે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને સમાજમાં નફરત ફેલાવનારા બતાવવામાં આવ્યા છે. ઘણા લોકો તેમનું ટ્વિટર એકાઉન્ટ બ્લૉક કરવાની અપીલ કરી રહ્યા છે.