સોશ્યલ મીડિયામાં હાલના સમયમાં Zomatoનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે.
વાસ્તવમાં જબલપુરના એક ગ્રાહકે Zomato પરથી ઓર્ડર કેન્સલ કરી દીધો, કેમકે ડિલીવરી બૉય મુસ્લિમ હતો. આ વાત પર Zomatoની તરફથી ગ્રાહકને જડબાતોડ જવાબ પણ મળ્યો હતો. હવે પોલીસે આ ખાવાનું ઓર્ડર કરનારા જબલપુરના પંડિત અમિત શુક્લનેચ ચેતવણી આપી છે.
Amit Singh,SP Jabalpur (MP): We have issued a notice, it will be served to Amit Shukla (Twitter user who cancelled food order over deliveryman’s religion). He'll be warned, if he tweets anything which is against ideals of Constitution, action will be taken; he is on surveillance. pic.twitter.com/27gf9qeaFg
જબલપુરના SPએ જણાવ્યા અનુસાર, અમિત શુક્લને ચેતવણી આપવામાં આવી છે કે, ''ભવિષ્યમાં જો આવી કોઇ ટ્વિટ કરશે, જે બંધારણની વિરુદ્ઘ છે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે.'' SPએ આગળ કહ્યુ કે, ''જો 6 મહિનામાં એવી કોઇ ટ્વિટર કરવામાં આવે તો જેલ મોકલી દેવામાં આવશે.'' ઉલ્લેખનીય છે કે, અમિત શુક્લએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધુ છે.
વાસ્તવમાં અમિત શુક્લએ 30 જૂલાઇના એક ટ્વિટ કરી હતી. તેમાં લખ્યુ હતુ કે, ''હમણાં જ Zomato પર એક ઓર્ડર કેન્સલ કરી દીધો કેમકે તે એક મુસ્લિમ રાઇડર હતો.'' તેમણે Zomatoએ કહ્યુ કે, તે રાઇડ ચેન્જ ન કરી શકે અને ઓર્ડર કેન્સલ કરવા પર રિફન્ડ પણ નહી કરે. મેં કહ્યું કે, તમે મને ડિલિવરી લેવા માટે મજબૂર ન કરી શકો. હું રિફન્ડ નથી ઇચ્છતો, બસ કેન્સલ કરી દો.''
We are proud of the idea of India - and the diversity of our esteemed customers and partners. We aren’t sorry to lose any business that comes in the way of our values. 🇮🇳 https://t.co/cgSIW2ow9B
જોકે Zoamtoના ફાઉન્ડરે ટ્વીટ કરીને જવાબ આપતા કહ્યુ કે, 'ખાવાનો કોઇ ધર્મ નથી હોતો, ખાવાનું પોતે એક ધર્મ છે. ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોની કારણે જો બિઝનેસને કોઇપણ પ્રકારનું નુકસાન થાય છે તો અમને દુખ નહી થાય.''