Zomatoએ કહ્યું કે એ ખૂબ જ જલ્દી એક જોબ મેળાનું આયોજન કરી શકે છે.જેના દ્વારા કર્મચારીઓથી આ છટણીને ભરી શકાય. સાથે જ કર્મચારીઓની ઇન્શ્યોરન્સ મદદને પણ જાન્યુઆરી 2020 સુધી વધારી શકાશે.
કંપનીએ કહ્યું ટેકનીકના ઉપયોગથી ગ્રાહકોની સમસ્યાઓનું સમાધાન સીધુ ઑટોમેશનથી થઇ રહ્યું છે.
Zomatoએ નોકરીમાંથી નિકાળવામાં આવેલા કર્મચારીઓને 2 મહિનાનું વધારેનું વેતન આપ્યું.
ઑનલાઇન ફૂડ ડિલીવરી કરનાર કંપની Zomatoને લઇને એક મીડિયા રિપોર્ટથી શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના ગ્રાહક સેવા ટીમના 540 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સંખ્યા કંપનીના કુલ કર્મચારીના 10 ટકા છે. 60 લોકોને હટાવ્યા બાદ એક મહિનામાં આ બીજી વખત છે, જ્યારે રેસ્ટોરાં અને ફૂડ ડિલીવરી સેવાથી સંબંધિત કંપનીમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
આ માટેની જાણકારી આપતા Zomatoએ કહ્યું છે કે છટણીની આ પ્રક્રિયા બે થી ચાર મહિનાની વચ્ચે ઑટોમેટિકલી થશે. Zomatoનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાથી તે પોતાની ઉત્પાદનની ગુણવત્તાને વધારવામાં ટેક્નિકલી મહત્વપૂર્ણ કામ કરી રહ્યું છે. જે હેઠળ કંપની ક્રાંતિકારી ફેરફાર દ્વારા સેવાઓમાં નાટકીય સુધારો થશે. ત્યારબાદ હવે કંપનીને માત્ર 7.5 ટકા ઓર્ડર પર જ કર્મચારીઓની મદદની જરૂર છે.
Zomatoએ જણાવ્યું છે કે ખૂબ જ જલ્દી એક જોબ મેળો લાગી શકે છે. જે દ્વારા કર્મચારીઓની આ છંટણી ભરી શકાય. સાથે જ કર્મચારીઓની ઇન્શ્યોરન્સ મદદ પણ જાન્યુઆરી 2020 સુધી વધારી શકા.. કર્મચારીઓની આ છંટણીને લઇને ઑનલાઇન ફૂડ ડિલીવરી ફર્મે કહ્યું છે કે આ ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન નથી. આ વર્ષે કંપનીએ 12દદ લોકોને કામ પર રાખ્યા છે. જ્યારે માત્ર 400 લોકોને જ નિકાળ્યા છે.
જો કે કંપની પોતાની ટેક્નોલોજી, ઉત્પાદન અને ડેટા સર્વિસ માટે લોકોને નોકરી આપશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર Zomatoનું બજાર આશરે 500 મિલિયન ડૉલર વધી ચુક્યું છે. નવેમ્બર 2018માં Zomatoનો વેપાર 23 ટકા વધ્યો. 33 ટકા રોકાણની સાથે Zomato સૌથી મોટી રોકાણકાર કંપની બની હતી.