ક્યારેક કોઇ મહિલા કે પુરુષને મળ્યા બાદ તમને એવુ લાગે કે આ તો આપણા માટે જ છે પરંતુ જ્યારે સાથે રહે ત્યારે ખબર પડે છે કે બંનેના વિચાર, શોખ, રહેણી કરણી બધુ જ એકબીજા કરતા અલગ છે. તેમાં કેટલીક વાર તમારા ગ્રહા પણ અસર કરતા હોય છે.
આ રાશિઓના જાતકોએ એકબીજા સાથે ન પરણવુ
રાશિમાં રહેલો છે તમારા ભવિષ્યનો આધાર
ગ્રહોની દશા અને રાશિઓ જીવન પર કરે છે અસર
ઘણીવાર કોઇ પણ કારણસર કપલમાં ઝઘડા થવા લાગે છે. તો બીજી તરફ કેટલીક રાશીઓના કપલ એકબીજા માટે આકર્ષાય છે. આજે અમે તમને જણાવીશું કે કઇ રાશીના લોકોએ લગ્ન ન કરવા જોઇએ, કારણકે તે સૌથી ખરાબ કપલ બને છે.
મકર અને મેષ રાશિ
સારા વિચારો અને રહેણી કરણીવાળા મકર રાશિના લોકોને ઉતાવળીયા અને મનમોજી સ્વભાવના લોકો સાથે બનતુ નથી. મેષ રાશિના લોકો બીજા લોકોને નિયંત્રણમાં રાખે છે જેથી લોકો તેમનાથી પરેશાન રહે છે.
કુંભ અને વૃષભ રાશિ
ઉર્જાથી ભરેલા અને આઝાદ વિચારોવાળા કુંભ રાશિવાળાઓનો જીદ્દી અને દ્રઢ સ્વભાવને કારણે વૃષભ રાશિના લોકો સાથે તેમને ખુબ તકરાર થાય છે. જો આ રાશિના લોકો સાથે રહે તો ઘન, ઘર, ભવિષ્યની યોજનાઓ પર પાણી ફરી વળે છે.
મિન અને મિથુન
કલાત્મક અને સહજ મિન રાશીવાળા લોકોને મિથુન રાશિને સમજવામાં તકલીફ પડે છે. મિન રાશિવાળા લોકો બીજાઓની જરૂરિયાત, ઇચ્છાઓ અને ભાવનાઓનું ખુબ ધ્યાન રાખે છે તો બીજી તરફ મિથુન રાશિવાળા જાતકો બોલે કંઇક અને કરે કંઇક. માટે આ બંને રાશિના જાતકોએ પરણવું ન જોઇએ.
મિથુન અને કન્યા
ઉત્સાહિત અને જીજ્ઞાસુ સ્વભાવના મિથુન રાશિના લોકોને વધારે પડતા પ્રેક્ટિકલ કન્યા રાશિવાળા લોકો બોર કરે છે. માટે આ બંને રાશિના જાતકોએ પરણવું ન જોઇએ.
ધન અને મિન
ધન રાશિના લોકોના વિચારો નૈતિક હોય છે. જ્યારે મિન રાશિવાળા લોકો પોતાનામાં જ રહેતા હોય છે. તેઓ એકબીજાથી એકદમ વિપરીત હોવાને કારણે અલગ રહેવું જોઇએ નહીતર પસ્તાવાનો વારો આવતો હોય છે.