આજના દિવસે મગ ચોખાનું દાન કરવાથી અને આ મંત્રનો જાપ કરવાથી મળશે પુણ્ય, મેષ રાશિના લોકોએ આર્થિક બાબતે સંભાળીને કામ લેવું.
આજનું પંચાંગ
18 04 2022 સોમવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ
નક્ષત્ર વિશાખા
યોગ સિદ્ધિ
કરણ ગરજ (સાંજે 07.23 પછી વાણિજ)
રાશિ તુલા (ર,ત)
----------------------
દેવ દર્શન
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પૌરાણિક જઞ્યા એટલે પીપળીધામ કે જે જગવિખ્યાત ધામ છે.
કહેવાય છે કે અહીં રામદેવબાપા હાજરા હજુર હોય તેવી લાખો ભક્તોને છે શ્રદ્ધા
કહેવાય છે કે રામદેવી પીર એ ભગવાન કૃષ્ણના અવતાર છે જેથી જે ભક્તોના મને રામદેવ પીર એ આસ્થાનુ પ્રતિક છે.
સુરેન્દ્રનગર થી આશરે 50 કિલોમીટર ના અંતરે આવેલ અને પીપળીધામ તરીકે વિખ્યાત રામદેવપીર બાપાનુ મંદીર સ્થાપિત છે સવા પાંચ ફુટ ઉંચાઇ ધરાવતું આ ભવ્ય મંદીર ગુજરાતનુ સૌથી મોટુ મંદિર છે.
ધાર્મિક માહાત્મ્ય:
વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંથીસવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા.દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા.એક સાંજે તેમની પાસે સદ્દગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસદાસ બતાવી કબીર સાહેબે સવાભગતને ગુરુઘરનું જ્ઞાન આપ્યું.
ત્યારબાદ એજ વર્ષે વિક્રમ સંવત 1968ની એક રાત્રિએ રણુજાનારાય રામદેવપીર બાપાયે સવારામ બાપાને સ્વપ્ને આવીને કહ્યુંકે સવા મારે તારેત્યાં કાયમમાટે બેસવું છે. રામદેવપીર બાપાએ કહ્યું કે અહીંયા અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાનખૂણામાં મારો બાવન ગજનો નેજો ફરકશે.
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.21 થી 09.42 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)