આજના દિવસે આ રાશિના લોકોને કરેલા રોકાણોમાંથી મળશે અઢળક ફાયદો, મેષ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, જાણો તમારું ભવિષ્ય દર્શન
આજનું પંચાંગ
08 05 2022 રવિવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ સાતમ (સાંજે 05.00 પછી આઠમ)
નક્ષત્ર પુષ્ય (બપોરે 02.56 પછી આશ્લેષા)
યોગ ગંડ
કરણ વાણિજ (સાંજે 05.00 પછી વિષ્ટિભદ્રા)
રાશિ કર્ક (ડ,હ)
---------------------- દેવ દર્શન - ઉપલા દાતાર, જૂનાગઢ
દાતાર હિલ ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલું પવિત્ર સ્થળ છે. દાતાર પર્વત ગિરનાર પર્વતની બરાબર સામે આવેલો છે. દાતાર પર્વત મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મોના ભક્તો માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે.
જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દાતાર હિલ સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે.
દાતાર પર્વત ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાંનું એક છે. આ સ્થળનું વાતાવરણ ખૂબ જ અદભૂત છે અને ટેકરીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
દાતાર ટેકરીના શિખર પર જમિયલ શાહ દાતારની દરગાહ આવેલી છે. જે 2,779 ફૂટની ઉચાઈ પર આવેલી છે. તેથી જ તે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક લોકપ્રિય ધાર્મિક સ્થળ છે કારણ કે અહીં જમિયલ શાહ દાતારની દરગાહ છે. જમિયલ શાહ દાતારની દરગાહ પર પહોંચવા માટે 3,000 પગથિયાં સુધી ચડવું પડે છે, આ સીડી વેલિંગ્ટન ડેમથી શરૂ થાય છે. વેલિંગ્ટન ડેમ અંગ્રેજો દ્વારા કાલવા નદી પર બનાવવામાં આવ્યો હતો. દાતાર પર્વતને ઉપલા દાતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. શીખર પર જતી વખતે ચિથરીયા પીર, હાથી પથ્થર, કોયલા વજીર, અને દિગંબર જૈન ભગવાન નેમિનાથ મંદિરની મુલાકાત પણ લઈ શકાય છે.
દાતાર પર્વતનો નગારીયા પથ્થર અહીં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પથ્થરોની વિશેષતા એ છે કે આ પથ્થરો પર ઠોકર મારતા જ તેમાંથી ઢોલ વગાડવાનો અવાજ આવવા લાગે છે.
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી