ખેડૂતોને પોતાનો પ્રાણ ગણી 32 વર્ષની રાજકીય સફર ખેડનાર વિઠ્ઠલભાઈ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે હવે નથી રહ્યા. વિઠ્ઠલભાઈએ 1995માં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંક (RDC)નું નેતૃત્વ જ્યારથી સંભાળ્યું ત્યાર બાદ બેંકમાં ઘણા બધા ખેડૂતલક્ષી નિર્ણય થયા.
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા 1995માં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંક(RDC)ના ચેરમેન બન્યા હતા. RDC બેંક વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં દેશની સૌ પ્રથમ બેંક બની જે ખેડૂતોને 0% વ્યાજદરે ખેતી કરવા માટે લોન આપે છે.
ખેડૂતોને પોતાનો પ્રાણ ગણી 32 વર્ષની રાજકીય સફર ખેડનાર વિઠ્ઠલભાઈ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે હવે નથી રહ્યા. વિઠ્ઠલભાઈએ 1995માં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંક (RDC)નું નેતૃત્વ જ્યારથી સંભાળ્યું ત્યાર બાદ બેંકમાં ઘણા બધા ખેડૂતલક્ષી નિર્ણય થયા. સૌ પ્રથમ વખત દેશમાં RDC બેંકે ખેડૂતોને એક વર્ષ સુધી ખેતી કરવા માટે 0% વ્યાજદરે લોન આપવાની શરૂઆત કરી.
RDC બેંક એકમાત્ર એવી સહકારી બેંક બની જે તમામ ખેડૂત સભાસદને આકસ્મિક મૃત્યુ બાદ 1 લાખ રૂપિયાનો વિમો આપે છે. RDC બેંકની આ યોજનાથી પ્રેરણા લઈ ગુજરાત સરકારે ખેડૂતોને આકસ્મિક મૃત્યુ બાદ 50 હજારની સહાયની જાહેરાત કરી છે.