ખેતી એ આર્થિક મંદીને પહોંચી મળવાનું પ્રબળ સાધન છે. ત્યારે આજે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ ધીરે ધીરે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગીર સોમનાથનો જ એક ખેડૂત છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યો છે. અને તેને ઝીરો ઈન્વેસ્ટમેન્ટમાં ઉત્પાદન મળી રહ્યુ છે. તો તમે પણ જાણી લો કેવી રીતે કરી શકાય છે ગાય આધારીત ખેતી.
ગીર સોમનાથના ખેડૂતની ચણા અને ઘઉંની સફળ વાવણી
1 ગાય 70 વિઘા માટે ખાતરો બનાવવામાં મદદરૂપ થાય છે
કેવી રીતે કરશો ઓર્ગેનીક ખેતી તો આ રહી રીત
ગાય આધારિત ખેતીમાં 1 ગાય 70 વિઘા માટે ખાતરો બનાવવામાં મદદરૂપ થાય છે. ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગોનીક ખેતી પણ કહેવામાં આવે છે. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવીક ખાતરો ઘરે બનાવવા બહૂજ સરળ છે. આજે અમે તમને શીખવીશું કે તમે જાતે કેવી રીતે ખાતર તૈયાર કરી શકો. ગાય આધારિત ખેતીમાં.
શું કહે છે ગાય આધારિત ખેતી કરતા રાજેશ મોરી
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના કણેરી ગામના ખેડૂત રાજેશ ભાઈ .એમ. મોરી ગાય આધારિત ખેતી કરે છે. તેમની વાત તેમના જ શબ્દોમાં " મેં ખેતરમાં આ વખતે ચણા અને ઘઉં વાવ્યા છે. ચણા ની જાત 3 નંબર અને 5 નંબર છે જ્યારે ઘઉ gw 451 જાતના છે. હુ છેલ્લા 3 વર્ષથી ગાય આધારિત ખેતી કરુ છું. જેમા મે સુભાષ પાલેકલ પ્રાકૃતિક ખેતી ની 2 તાલીમ લીધેલ છે. પહેલી તાલીમ વડતાલ અને બીજી જુનાગઢમાં.
કેવી રીતે મીક્ષ પાક વાવ્યા છે
મેં ચણા ની અંદર પાયા મા ઘન જીવા મૃત નાખ્યુ છે. ચણા ને પટ માટે વાવેતર વખત ગાય નુ છાણ ગૌમુત્ર અને ચૂનો નુ બીજામૃત + ટ્રિઈકોડરમા આપેલુ છે. પછી પિયત સાથે જીવામૃત અને NPK કૉનસેટીયા કલ્ચર આપેલુ છે. મીક્ષ ક્રોપ મા 10×10 સુરજ મુખી અને મકાઈ વાવેતર કરેલ છે.
જીવાત નિયંત્રણ માટે શું લીધા છે પગલા
જીવાત નિયંત્રણ માટે લીલી ઇયળ નિયંત્રણ માટે ફેરૉમેન ટ્રેપ લગાવેલ 10 પર્ણી અરક નીમાસત્ર અજમા અસત્ર ગાય ની ખાટી છાશ ગૌમુત્રનો ઉપયોગ કરેલો છે ઘઉંનો પાક ઘઉં gw 451 ટુકડા મે ઋષિ કૃષિ ગૃપ ની પ્રેરણા દ્વારા વાવ્યા છે. જેમા ઘઉ ને નાઈટ્રોજન પુરતી માટે ચણા વીઘે ત્રણ કીલો વાવેતર કરેલા છે. આ ઘઉ સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે. ખાવા મા પણ સારી છે.
બનાવવાની રીત
20 લિટર પાણીમાં દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને 24 કલાક રાખવું અને દિવસમાં બે વખત હલાવવુંનું આ દ્વાવણનો બીજ પર છંટકાવ કરવો અને બીજને છાંયડે સુકવવા. કંદને વાવતા પહેલાં આ દ્વાવણમાં બોળીને વાવી શકાય. રોપની ફોર રોપણી કરતી વખતે પણ તેના મૂળ આ દ્વાવણમાં બોળીને વાવી શકાય.
1 એકર જમીન માટે જીવામૃત કેવી રીતે બનાવશો?
સામગ્રી
ગાયનું છાણ-10 કિલો, ગૌમૂત્ર-૫ લિટર, ગોળ (દવા વગરનો દેશી-1 કિલો), ચણા, મગ અથવા અડદનો લોટ-1 કિલો, સેઢાની અથવા ઝાડ નીચેની માટી-1 ખોબો, પાણી 200 લીટર.
બનાવવાની રીત
200 લિટર પાણી દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને ત્રણ દિવસ સવાર-સાંજ સવળે આંટે હલાવવું. જમીનમાં ભેજ હોય ત્યારે એક એકર જમીનમાં છંટકાવ કરવો. જો ધોરીયે પાણી આપતા હોઇએ તો અંગુઠા જેવી ધાર કરવી, ધીમે ધીમે આપવું. બેકટેરીયા 10 ફૂટ નીચે જઇને સુષુપ્ત રહેલ અળસીયાંને જાગૃત કરીને ઉપર લાવે છે. આ જીવામૃત પાકની સિઝનમાં 4 વખત આપવું.
ઘન જીવામૃત
સામગ્રી
ગાયનું છાણ-100 કિલો, ગોળ (દવા વગરનો) દેશી-2 કિલો, ચણાનો લોટ-2 કિલો, સેઢાની અથવા ઝાડ નીચેની માટી-1 ખોબો, ગૌમૂત્ર જરૂરીયાત મુજબ
બનાવવાની રીત
દર્શાવ્યા મુજબની દરેક વસ્તુ મિક્ષ કરી લાડવા બનાવવા તેમાં ગૌમૂત્ર નાખવા જવું. લાડવા છાંયડે સુકવવા. લાડવા ઝાડના થડથી દૂર ઘેરાવાના અંતર સુધી ખાડો કરી રાખવા અને ઉપર ઘાસ નાખીને ડ્રીપરથી પાણી આપવું. લાડવામાં બી રાખીને પણ વાવી શકાય.
પહોળા મોઢાવાળું વાસણ લેવું. ઘીને છાણ સાથે મિશ્ર કરી તેની પેસ્ટ બનાવી ભીના કંતાનમાં રાખવી. બાકીના પદાર્થને વાસણમાં મિશ્ર કરવા. રોજ સવાર- સાંજ હલાવવું. અઠવાડીયા બાદ ઘી- ગોબરની પેસ્ટને વાસણમાં મિશ્ર કરવું રોજ સવાર-સાંજ હલાવવું. 21 દિવસે પંચગવ્ય તૈયાર થઇ જશે. 3 ટકાનું દ્વાવણ (10 લિટર પાણીમાં 300 મીલી પંચગવ્ય) પાક પર છંટકાવમાં કે બીજ- ધરૂ માવજત માટે વાપરી શકાય. પિયત સાથે પંચગવ્ય આપવું હોય તો 1 એકરે 20 લિટર પંચગવ્ય આપી શકાય.
દૂધનો ખેતીમાં ઉપયોગ
મરચીના પાકમાં પાનનું કોકડાવું એક મુખ્ય સમસ્યા છે આ માટે 15 લીટરના પંપમાં 250 મીલી ગાયનુ઼ દૂધ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી લાભદાયી પરિણામ મળે છે.
છાશનો ખેતીમાં ઉપયોગ
25 થી 30 દિવસ જુની છાશ 15 લિટરના પંપમાં ૨૫૦ મીલી જુની છાશ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી ઇયળો પર નિમંત્રણ મેળવી શકાય છે. 15 લિટરના પંપમાં 250 મીલી તાજી છાશને મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી ચૂસિયા પર નિયંત્રણ મેળવી શકાય છે.