ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરીને એને વધુ આધુનિક અને પ્રાકૃતિક ખેતીમાં રોકતા એવા જ એક ખેડૂતની આજે વાતે કરવી છે. પ્રવીણ પટેલ વડવિયાળા ગામમાં પ્રાકૃતિક ખેતી કરે છે. ફુલ કઠોળ, ડ્રાયફ્રુટ્સ અને ઘઉંની સફળ ખેતી અને સારી કમાણીનું રહસ્ય તેમના પાસેથી જ જાણવાની કોશિશ કરીએ.
ઝીરો બજેટ ખેતી કરી મેળવી સફળતા
ગાય આધારિક ખેતી, ફૂલ સાથે કઠોળની ખેતી
ખેત ઉત્પાદનનું વેડિંગ પેકિંગ અને માર્કેટિંગ જાતે કરે છે ખેડૂત
ગૌ આધારિત ખેતી કરીને સારામાં સારી ફૂલની ખેતી કરી નેચરલ પ્રોડક્ટને સીધા ગ્રાહક સુધી પહોંચડતા ગુજરાતી ખેડૂતની વાત કરવી છે. તે ફૂલ વાવે છે, કઠોળ વાવે છે, અને સાથે સાથે ઘઉં જેવા ધાન્ય અને પશુઆહાર પણ વાવે છે. ડ્રાયફ્રુટ્સ ઉગાડીને તેનું સીધા ગ્રાહકોનો વેચાણ કરીને લાખો કમાય છે.
ખેતરને શેઢે 100થી 150 લીમડા અને નાળિયેરીના ઝાડને પણ ઉછેર્યા
ફૂલના ખેતરમાં સાથે સાથે આતંરપાક તરીકે, ચોળા, મગ, મઠ જેવા કઠોળ પાક ઉગાડવામાં આવે છે વળી ખેતરને શેઢે 100થી 150 લીમડાના ઝાડને પણ ઉછેર્યા છે. સમગ્ર ખેતી પ્રાકૃતિક પધ્ધતિથી કરવામાં આવે છે.
શું કહે છે પ્રવીણ પટેલ
હું પ્રાકૃતિક ખેતી કરું છું તેમાં જીવામૃત ઘન જીવામૃત તથા ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ડીકમ્પોઝર બેક્ટેરિયા તેમજ અન્ય જૈવિક નિયંત્રણ દ્વારા ખેતી કરું છું. મારા ખેતરમાં ઝેર નો છંટકાવ કરતો નથી ઇનોવેટિવ ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવું છું તેમજ જાતે ખેત ઉત્પાદનનું વેડિંગ પેકિંગ અને માર્કેટિંગ કરીને મારુ કુટુંબનું ભરણપોષણ સારી રીતે કરું છું.
ફૂડ લાયસન્સ અને તેના સંબધિત પરવાના મેળવી કરે થે વેચાણ
ખેડૂત રાઈનો દાણો ઉત્પન્ન કરે તો તેને ફૂડ ગણવામાં આવે છે. પ્રવીણ ભાઈએ આવા દરેક ફૂડ લાયસન્સ લઈને તે અંગેના દસ્તાવેજ અને પરવાના લઈને ગુજરાતના મોટા મોટા શહેરોમાં સીધા ખેતરમાંથી રસાયણમુક્ત પ્રોડેક્ટ મોકલે છે. જેમનું નામ તેમણે લીંબોઝ ફૂડ રાખ્યુ છે. સોશિયલ મીડિયામાંથી તે આ અંગે વેચાણ કરે છે.
મળી ચૂક્યા છે સન્માનિત એવોર્ડ
પ્રવીણ પટેલને 2014માં બેસ્ટ ફાર્મર આત્મા તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં VTV ગુજરાતી કૃષિ રત્નથી સન્માનિત થયેલા તેમજ ગુજરાતના રાજ્યપાલને આચાર્ય દેવવ્રતના હસ્તે ગીર સોમનાથ જિલ્લામાં સન્માનિત થયેલા સાથે-સાથે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ની માસ્ટર ટ્રેનિંગ લીધેલ છે. તેમાં પણ આગળ પ્રયત્ન કરી નાળિયેરીના બગીચા ને ઓર્ગેનિક સર્ટિફિકેટ માટે pgs india સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના અંતર્ગત પ્રોસેસ કરી રહ્યા છે.