આજે નાણામંત્રી સીતારમણે બજેટ 2020 રજૂ કર્યુ છે જેમાં ખેડુૂતો માટે ખાસ જાહેરાત કરી હતી. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર ઝીરો બજેટ ખેતીની 16 ફોર્મ્યુલા લઈને આવી છે. આ માટે અન્નદાતાને ઉર્જાદાતા બનાવતી કુસુમ યોજના, કિસાન રેલ અને ઉડાન દ્વારા વિમાની સેવા તૈયાર કરવામાં આવશે.
20 લાખ ખેડૂતોને સોલાર પ્લાન્ટ આપવાની જાહેરાત
2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા કટી બધ્ધ
સરકાર ઝીરો બજેટ ખેતીની 16 ફોર્મ્યુલા
દેશનું અર્થતંત્ર હાલ સુસ્ત તબિયતમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ ડગમતાં અર્થતંત્રને ટેકો આપવા માટે નાણામંત્રીએ ગામડાઓ અને ખેડૂતો પર ધ્યાન કેદ્રીય કર્યું છે. કૃષિમંત્રાલયે 2019-20ના બજેટમાં કિસાનસન્માન નિધિ માટે માટે 75હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા જ્યારે આ વર્ષે કૃષિમંત્રાલયને માત્ર 60 હજાર કરોડ રૂપિયા જ ફાળવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં ગ્રાણીમ અર્થતંત્રને મજબૂત કરવા કેટલાક નિર્ણયો લીધા છે. કેવા છે આ નિર્ણયો અને આ પગલાં? 2022 સુધીમાં કઈ રીતે ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરાઈ રહ્યા છે પરંતુ આ દાવા માત્ર દાવા જ રહે છે કે ખેડૂતોને ખરેખર ફાયદો થાય છે તેતો આવનારો સમય જ કહેશે.
શું છે 16 સૂત્રીય યોજના?
1. દેશના કુલ 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા સુલભ કરાવવામાં આવશે
2.પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ અંતર્ગત ખેતીમાં વપરાતા પમ્પને સોલર પમ્પ સાથે જોડવામાં આવશે
3.15 લાખ ખેડૂતોના ગ્રિડ પમ્પને પણ સોલાર એનર્જી સાથે જોડવામાં આવશે
15. બ્લુ ઈકોનોમિ દ્વારા માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે
16.પીપીપી મોડેલથી વેયરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું એ સાથે જ તેઓ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધી બાદ દેશના બીજા એવા મહિલા બની કગયા કે જેમણે સળંગ બીજી વખત બજેટ રજૂ કર્યું હોય. હાલ દેશ આર્થિક મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે નાણામંત્રી સામે આર્થિકવિકાસ સાથે સાથે આવક અને ખર્ચના પલ્લાં સમતોલ રાખવાનો પણ પડકાર હતો. ડગમગતા અર્થતંત્રને સ્થિર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020માં ગ્રામીણ અર્થતંત્રની ચિંતા કરી હોય તેવું લાગે છે. ત્યારે એ બાબત પર નજર કરવી મહત્વની બની રહેશે કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે કેવા નિર્ણયો લીધા છે.
શું છે નાણામંત્રીનો દાવો
નાણાંમંત્રીનો દાવો છે કે તેમણે બજેટમાં ગ્રામીણ ગરીબીને ધ્યાનમાં લીધી છે. કેમકે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા દ્રઢ નિશ્ચયી છે. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે મહત્વના 16 નિર્ણયો લીધા છે. ત્યારે આવો જોઈએ ગામડા અને ખેડૂતો માટે બજેટમાં કેવી છે 16 સૂત્રીય યોજના
આ સોળ સૂત્રીય કાર્યક્રમના અમલીકરણ માટે 2.83 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જો યોજના માત્ર કાગળ પર ન રહે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. આપને જણાવી દઈએ કે પિયત વ્યવસ્થા પર સરકારની ચિંતાથી પિયતની સમસ્યા હળવી થશે, પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ સૌરઊર્જાથી 20 લાખ ખેડૂતોને ફાયદો થશે.
સેદ્રિય અને કુદરતી ખાતરના વપરાશથી ગ્રાણીણ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. બીજ સાથે સંબંધિત યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે. જો કે કેટલીક આશાઓ પૂરી થઈ નથી તે જુદી વાત છે. કેમ કે,એવી આશા રખાઈ હતી કે, સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે, PM-કિસાન સન્માનનિધિનું બજેટ 20 ટકા વધારે પરંતુ તેમ થયું નથી.