લોકો નામચીન રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નિકળવાનો રિવાજ બની ગયો છે. સુરત, વડોદરા બાદ હવે અમદાવાદની વધુ એક બ્રાન્ડેડ રેસ્ટોરેન્ટના ભોજનમાં જીવાત નિકળી છે.
હાઇફાઇ અને વિશ્વાસપાત્ર રેસ્ટોરન્ટમાંથી જ નિકળે છે જીવડાં
અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ જનતાના આરોગ્ય સાથે ચેડાં
સ્વાદ રસિયા નાગરિકોએ પણ એટલી જ સાવચેતી રાખવી પડશે
બહાર ખાવાના શોખીન લોકો હવે થોડા સાવધાન રહેજો. ટેસ્ટ અને ક્વોલિટી માટે તમને જે રેસ્ટોરન્ટ પર ભરોસો હોય ત્યાં જ તમારા આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. અનેક શહેરોની રેસ્ટોરન્ટમાં ભોજન કે નાસ્તા બનાવવામાં લાપરવાહી દાખવવામાં આવતી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. થોડા દિવસો અગાઉ અમદાવાદની મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી વાંદો નિકળ્યો હતો. હતો ત્યારે ઝોમેટો દ્વારા ઓનલાઇન ઓર્ડર કરેલા ફૂડ જેનિથ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવડાં નિકળ્યા હતા.
અમદાવાદમાં એક ઓફિસના કર્મચારીએ ઓનલાઇન ફૂડ મંગાવ્યુ હતું. તેમણે આ ઓર્ડર ઝોમેટોમાંથી મંગાવ્યુ હતું તો તેમના ભોજનમાંથી જીવડાં નિકળ્યા હતાં. અમદાવાદમાં ઝોમેટોના ફૂડમાંથી જીવડાં નિકળ્યા ઓફિસ સ્ટાફમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે આ ફૂડ જેનિથ રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું હતું. આ ફૂડમાં જીવડાં નિકળતા ગ્રાહકે ફૂટ પરત કર્યું હતું. ઓનલાઇન મંગાવાતા ફૂડમાં ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે.
અમદાવાદઃ ધ ગ્રીન ડિઝર્ટ રેસ્ટોરન્ટના પીઝાના બેઝમાંથી મળી મરેલી જીવાત
અગાઉ અમદાવાદની હાઇફાઇ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી હતી. જેમાં રેસ્ટોરન્ટના ભોજનમાંથી મરેલી જીવાત મળી આવી હતી. વૈશ્ણોદેવી સર્કલ પાસે આવેલ ધ ગ્રીન ડિઝર્ટ રેસ્ટોરન્ટના પીઝાના બેઝમાંથી મરેલી જીવાત મળી આવી હતી.
વડોદરા: બર્ગરકિંગમાંથી મચ્છર નીકળ્યું હતું
વડોદરામાં બર્ગમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. અલકાપુરી વિસ્તારના ચકલી સર્કલ પાસે આવેલ બર્ગરકિંગના બર્ગરમાંથી મચ્છર નીકળ્યું હતું. પ્રિયાંક નામના ગ્રાહકના બર્ગરમાંથી મચ્છર નીકળ્યું હતું. જેને લઈને પ્રિયાંકે રેસ્ટરોરન્ટના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. પરંતુ રેસ્ટોરન્ટના મેનેજરે ઓર્ડર કરેલ ફૂડનું રિફંડ પરત કરી દઈને સમાધાન કરવા માટે કહ્યું હતું. જો કે, ગ્રાહકે આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. બર્ગરકિંગ જાણીતી બ્રાંડ છે. ત્યારે બર્ગરમાંથી મચ્છર નીકળતા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની વિશ્વનીયતા પર અનેક સવાલો ઊભા થયા છે.
સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી હતી. વૈશાલી રેસ્ટોરન્ટના વડાપાઉમાં જીવાળ નિકળતા ચકચાર મચી હતી. ગ્રાહકે વડાપાઉનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડરમાં આવેલા વડાપાઉના વડામાંથી તળાયેલી ઈયળ નિકળી હતી. ગ્રાહકે સોશિયલ મીડિયામાં જીવાતનો વીડિયો વાયરલ કર્યો હતો.
મહત્વનું છે કે, પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટસ હાઈજિનનું પૂરતું ધ્યાન રાખતી હોવાનો દાવો કરતી હોય છે અને પોતાની સેવા બદલ ગ્રાહકો પાસેથી મોંધા દામ વસૂલતી હોય છે. પરંતુ તે પ્રમાણે સ્વચ્છતા જાળવતી નથી હોતી.
રેસ્ટોરન્ટના ફૂડમાંથી નીકળતી જીવાતના આ કિસ્સા બાદ તંત્ર જાગે એ પણ જરૂરી છે. કેમ કે, આ ઘટના જનતાના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. પરંતુ સાથે સાથે સ્વાદ રસિયા નાગરિકોએ પણ એટલી જ સાવચેતી રાખવી પડશે.