આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નીમિતે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યંત્રી વિજય રૂપાણીને સંબોધન કરતા જણાવ્યું કે ઝવેદચંદ મેઘાણીએ ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું છે. ઝવેરચંદ મેઘાણીનું ગુજરાત આજે પણ ઋણી છે, એમની અનેક કૃતિઓ આપણા રૂવાડા ઉભા કરી દે છે ત્યારે આપણે નવી પેઢીને કસુંબીનો રંગ બતાવવાનો છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વ પણ કર્યું છે. મેઘાણીએ સૌરાષ્ટ્રના નેસડા ગામના લોકો સાથે મળી સાહિત્ય સર્જન પણ કર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું સાથે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર મેઘાણીએ નેતૃત્વએ આઝાદીની લડાઈમાં પણ ભાગ લીધો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની 125 વર્ષની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં 5 કરોડના ખર્ચે ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.
પૂર્વ સંધ્યાએ યોજાયો મેઘાણી વંદના કાર્યક્રમ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નીમિતે ગઈ કાલે પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આંગણે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં VTV ન્યૂઝનો મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો હતો. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને VTVના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેઘાણી વંદના કાર્યક્રમમાં લોકગાયક પ્રફુલ દવે અને તેમના પુત્ર હાર્દિક દવેએ ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલી આપતા સૌ દર્શકો મેઘાણીમય બન્યા હતા. કાર્યક્રમમાં ઘણ રે બોલેને એરણ સાંભળે, મન મોર બની થનગણાટ કરે અને હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ સહિતની રચનાઓ રજૂ કરવામાં આવી હતી.