2020માં કોરોના મહામારીના લીધો વિશ્વના લોકો પરેશાન છે. ત્યારે એક બીજી મુસિબત સામે આવીને ઉભી રહી ગઇ છે. પાકિસ્તાનથી આવી રહેલા તીડ હવે એક નવી સમસ્યા બની ગઇ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, સહિત ભારતના કેટલાક રાજ્યોમાં તીડ લાખો-કરોડોની સંખ્યામાં ઘૂસી આવ્યા છે. આટલી સંખ્યામાં તીડને જોઇને સરકાર પણ અચંબામાં છે, ત્યારે ઝાયરા વસીમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
બોલિવૂડમાં ફિલ્મ દંગલથી ડેબ્યૂ કરનારી અભિનેત્રી ઝાયરા વસીમે તીડને લઇને એક ટ્વિટ કર્યું હતું. જેનાથી લોકો ભડકી ઉઠ્યા હતા.
ઝાયરાએ તીડ હુમલાને અલ્લાહનો કહેર ગણાવ્યો હતો. ઝાયરાએ તેની ટ્વિટમાં એક આયત લખી હતી અને આ હુમલાઓને ચેતવણી બતાવી હતી. બાદમાં લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. લોકોએ એવું પણ કહ્યું કે ઇસ્લામમાં ટ્વિટરનો ઉપયોગ કરવો પણ હરામ છે તો તારે ટ્વિટર છોડી દેવું જોઇએ.
Classic example for how this snake spread's venom and runs away.#ZairaWasim