તાજેતરમાં જાણીતા મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલી ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે તાજેતરમાં રમાયેલા 2019 ના વર્લ્ડકપ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર વિશે વાતચીત કરી.
યૂઝવેન્દ્ર ચહલે કહ્યુ કે, ''જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ સેમિફાઇનલ મેચમાં ધોની ભાઇ આઉટ થઇને પરત ફર્યા તો તે ક્ષણ ખૂબ જ દુખદ હતી, જેણે અમે તમામ લોકો ભૂલવા ઇચ્છીએ છીએ. ધોનીના આઉટ થયા પછી લાગ્યુ કે વર્લ્ડ કપ ખત્મ થઇ ગયો.''
બૉલરે આગળે કહ્યુ કે, ''વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ધોની ભાઇને આઉટ થતા જોતા આંખોમાં આંસુ આવી ગયા હતા, જે વર્લ્ડકપમાં થયું તે ભૂલવા માંગુ છું અને T-20 વર્લ્ડકપ જો ભારતના નામે આવી જાય તો બહુ જ સારુ થશે.''
ટીમમાં નથી તે અંગે ચહલે શું કહ્યુ?
વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘ લિમિટેડ ઑવર્સની ક્રિકેટ સીરિઝમાં યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને શામેલ નથી કરવામાં આવ્યો. જોકે આ વાતથી યૂઝવેન્દ્ર ચહલ નિરાશ નથી, તેણે કહ્યુ કે, ''તમારી જૉબ છે પરફોર્મ કરવુ, જ્યારે હું અને કુલદીપ આવ્યા હતા ત્યારે IPL માં 6-7 ખિલાડીઓ એવા મળ્યા જે સારુ રમતા હતા.''
જો ટીમ મેનેજમેન્ટ સારા ટેલેન્ડ ખેલાડીઓને તક આપી રહી છે તો તમને ખબર પડે છે કે તમારી કોમ્પિટિશન જે ખેલાડીની સાથે છે તે આવી ગયો છે અને તમારે હવે વધારે મહેનત કરવાની જરૂર છે. મને 5-6 વર્ષ હજુ ક્રિકેટ રમવાની છે. હું વર્લ્ડ કપને ભૂલવા માંગુ છુ હું ઓછામાં ઓછો એક વર્લ્ડકપ જીતવા માંગુ છું. મારુ માનવુ છે કે, અત્યારે જે રીતે રમી રહ્યા છે અને અમારી ટીમની જેવી સ્થિતિ છે તે સકારાત્મક સંકેત છે. અમે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝમાં જીત્યા અને હવે જો આગામી વર્ષે T-20 વર્લ્ડ કપ જીતીશું તો ટીકાકારો ચૂપ થઇ જશે.''