ટીમ ઇન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે વર્ષ 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ઘ ટીમમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતુ. આ પ્રવાસ પછી ચહલ સતત ટીમ ઇન્ડિયાનો ભાગ બની રહ્યો છે. હરિયાણાના આ બૉલરે પોતાની બૉલિંગથી તમામ લોકોને પ્રભાવિત કરી દીધા છે. પહેલી વખત IPL9માં તેના શાનદાર પરફૉર્મન્સથી ચહલ ચર્ચામાં આવ્યા હતા અને જે પછી તેઓ ટીમ ઇન્ડિયાનો સારા પ્લેયરમાંથી એક સાબિત થયો. તાજેતરમાં યુજવેન્દ્ર ચહલ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન શોનો ભાગ બન્યો હતો જ્યાં તેણે ઘણા ખુલાસા કર્યા હતા.
ટીમ ઇન્ડિયામાં પોતાને સિલેક્ટ થતા સમયની વાત કરતા ચહલે કહ્યુ કે ''મારા પિતા એડવોકેટ છે પરંતુ તેમને મને હંમેશા ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન આપ્યુ જ્યારે મારા પિતાની ખબર પડી કે ટીમ ઇન્ડિયામાં મારું સિલેક્શન થયું છ તે દિવસે તેઓ ખૂબ જ ખુશ થય હતા. '' આ સિવાય ટીમ ઇન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને એક ખુલાસો કર્યો ચહલે જણાવ્યુ કે ''ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યા પછી મને ધોનીના હાથથી કેપ મળી જે મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. ''
ચહલે આગળ જણાવ્યુ કે ''ધોની હંમેશા ગ્રાઉન્ડ પર બૉલિંગ માટે તેની મદદ કરતો હતો. એક ઘટના વિશે વાત કરતા તેણે કહ્યુ કે જ્યારે હું નવો નવો ટીમમાં શામેલ થયો હતો ત્યારે મેં ધોની સર કીધું હતુ. મારી આ વાતથી ધોની ખુશ ન હતા મને ટોક્યો અને કહ્યુ કે મને ધોની કે ભાઇ કહે.'' ચહલ અનુસાર ધોનીને બિલ્કુલ પસંદ નથી કે ગ્રાઉન્ડ પર કોઇ પણ પ્લેયર ધોનીને ધોની સર કહીને બોલાવે.
યુજવેન્દ્ર ચહલે આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર બૉલિંગ કરી. વનડે અને T-20 ટીમને જીત આપવવા માટે ચહલે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આ વર્ષની IPL તેના માટે ખાસ નથી પરંતુ હાલમાં તે ઇંગ્લેન્ડના પ્રવાસ માટે તૈયારી કરી રહ્યો છે.