યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન એશિયા કપથી સતત ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલીયા સામે પણ ખરાબ પ્રદર્શનને કારણે રોહિત શર્મા માટે તેમણે ટેન્શન વધાર્યું છે.
યુઝવેન્દ્ર ચહલનું ઓસ્ટ્રેલીયા સામે પ્રદર્શન ખરાબ
એશિયા કપમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું
ઓસ્ટ્રેલીયા સામે 3.2 ઓવરમાં આપ્યા 42 રન
ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલીયા સામે સીરિઝમાં ખરાબ શરૂઆત થઈ છે. ભારતીય ટીમને પહેલી ટી20 મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની તરફથી એક સ્ટાર પ્લેયરનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. આ ખેલાડી કેપ્ટન રોહિત શર્મા પર સૌથી મોટો બોજ બની ગયો છે. બીજી ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા આ પ્લેયરને બહારનો રસ્તો બતાવી શકે છે.
આ પ્લેયરનું પ્રદર્શન અત્યંત ખરાબ
યુઝવેન્દ્ર ચહલ ઓસ્ટ્રેલીયા સામે ફ્લોપ રહ્યા છે. તેમણે 3.2 ઓવરમાં 42 રન લૂંટાવ્યા હતા અને એક જ વિકેટ મેળવી હતી. એક તરફ જ્યાં અક્ષર પટેલ સારું પ્રદર્શન કરી રહ્યા ત્યારે ચહલ રન બચાવવા માટે ઝઝૂમી રહ્યા હતા. તેઓ ટીમ ઈન્ડિયા માટે સૌથી નબળા ખેલાડીઓમાં સામેલ થઈ ચૂક્યા છે. ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા તેમની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે.
એશિયા કપમાં બન્યા હતા હારનું કારણ
એશિયા કપમાં પણ યુઝવેન્દ્ર ચહલે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેમણે ખૂબ જ રન આપ્યા હતા. આઈપીએલ 2022માં ચહલે સૌથી વધારે વિકેટ લીધી હતી, પણ આઈપીએલ 2022નો જાદૂ ઓસ્ટ્રેલીયા સામે ન ચાલ્યો. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 68 ટી20 મેચોમાં 84 વિકેટ લીધી છે. જ્યારે 67 વન ડેમાં 118 વિકેટ લીધી છે.