વિદ્યાસહાયક આંદોલનને ઉશ્કેરવા તેમજ પોલીસકર્મી પર ગાડી ચડાવવા મામલે ધરપકડ કરાયેલા યુવરાજસિંહને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.
યુવરાજસિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા સાબરમતી જેલમાં મોકલાયો
પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો કર્યો છે દાખલ
ગાંધીનગરમાં વિદ્યાસહાયક આંદોલનને ઉશ્કેરવા તેમજ પોલીસ પર કાર ચઢાવા મામલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં યુવરાજ સિંહના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ ન કરાતા યુવરાજસિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં યુવરાજસિંહને મોકલવામાં આવ્યો છે. પોલીસ પર હુમલા કરવાના ગુનામાં યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે
જણાવી દઇએ કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 6, 2022
યુવરાજસિંહે ઉમેદવારોને ઉશ્કેરવાનું કામ કર્યું: પોલીસ
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાની પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે યુવરાજસિંહ જાડેજાની સત્યતા જાણ્યા વિના ઉમેદવારો કોઇ વાતમાં કુદી ન પડે. તેઓ દ્વારા રાત્રે ઉમેદવારો અને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી પાસે ઉશ્કેરણી કરવાની પણ વીડિયો ક્લીપ છે. પોલીસ સાથેની માથાકૂટના વીડિયો રેકોર્ડિંગ પણ છે. કોઇ પણ ઉમેદવારની કારર્કિદી બગડે તેમ પોલીસ ઇચ્છતી નથી. ઉશ્કેરણીથી કોઇ ખોટુ કામ કરશે તે ચલાવી લેવાશે નહી.પોલીસ એક તરફ પેપરલીક કેસ મામલે સખત કાર્યવાહી કરી જ રહી છે. અને હવે આગળની કાર્યવાહી કોર્ટમાં થશે તેમ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર પોલીસની નજર
આ મામલે પોલીસ દ્વારા પહેલેથી જ ઉમેદવારોને ચેતવી દેવામાં આવ્યા છે કે યુવરાજસિંહની સત્યતા જાણ્યા વિના કોઇ ઉમેદવાર આ વાતમાં કૂદી ન પડે. સોશિયલ મીડિયામાં પોલીસ બાજ નજર રાખી રહી છે. જો કોઇ વાંધાજનક ટિકા ટિપ્પણી જણાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાથે ગાંધીનગર રેન્જ આઇજીએ એમ પણ જણાવ્યુ કે પોલીસને કોઇ વ્યક્તિગત વિરોધ હોતો નથી.અમારી પાસે પુરતા પુરાવા છે. તેમજ એ વાત પણ સ્પષ્ટ કરી કે પેપર ફોડવાના કિસ્સા સાથે આ કેસને કોઇ લેવા દેવા નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 6, 2022
યુવરાજસિંહ પર શું છે આરોપ ?
યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ
પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો ગુનો દાખલ
પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ
પોલીસે IPC 307 મુજબ ગુનો કર્યો દાખલ
કાયદો તોડનારને નહી છોડવામાં આવે-જીતુ વાઘાણી
આ અંગે વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે જે કાયદો તોડશે તેની સામે પોલીસ અને ન્યાયતંત્ર કાર્યવાહી કરશે. આક્ષેપ કરવા સહેલા છે. ગેરકાયદેસર કામગીરી કરનારા સામે ભૂતકાળમાં પગલા લીધા છે અને ભવિષ્યમાં પણ સરકાર પગલા લેશે.
કાયદો કાયદાનું કામ કરશે- સી.આર. પાટીલ
તો આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. કાયદો બધા માટે સરખો છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલા લેવા જ જોઇએ.