ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા હાલમાં પોતાની બેટિંગ અને કેપ્ટન્સીને કારણે ચર્ચામાં છેએટલી જ તે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહી છે. આ ચર્ચા 13 ડિસેમ્બરના મોહાલીમાં રમાયેલી મેચમાં રોહિત શર્માએ વનડે કરિયરની ત્રીજી ડબલ સેન્ચુરી કરી તે પછી શરૂ થઇ. વાસ્તવમાં 13 ડિસેમ્બરના રોહિતના લગ્નની એનિવર્સરી પણ હતી અને તે દિવસે મેચ હતી.
આ મેચ દરમિયાન તેની પત્ની રિતિકા સજદેહ પણ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઇ રહી હતી અને રોહિતની ડબલ સેન્ચુરી પછી તેની આંખમાં આંસુ આવી ગયા હતાત્યારથી રોહિત અને રિતિકાની લવ સ્ટોરીની ચર્ચા સતત મીડિયામાં થવા લાગી હતી. પરંતુ આ વચ્ચે રોહિતે તાજેતરમાં જ ગૌરવ કપૂરના શોમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની પત્ની અને સંબંધોને લઇને રસપ્રદ વાતો કહી હતી.આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેની પત્ની પણ ત્યા હાજર હતી.
રોહિત જણાવે છે કે ''એક શૂટ દરમિયાન હું ટીમ ઇન્ડિયાને મળવા ગયો હતોત્યાં યુવરાજ સિંહ અને રિતિકા હાજર હતા. રોહિતે આગળ જણાવ્યુ કેયુવરાજે મારા સાથે વાત કરતા પહેલા જ મને કહી દીધુ કે તેની તરફ જોતો પણ નહી તેં મારી બહેન છે.તે પછી મેં શૂટિંગમાં રિતિકાની સામે ગુસ્સામાં જ જોયું. શૂટ પૂરુ થયા પછી ડિરેક્ટર રોહિતે જણાવ્યુ કેસર તમારું માઇક ઑન ન હતુ. આ કારણથી ડાયલૉગ્સ ફરી બોલવા પડશે. જે પછી રિતિકા મારી પાસે આવે છે અને તેણે મને કહ્યુ કે મારી કોઇ હેલ્પ હોય તો મને જણાવજો.''
રોહિતેઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે ''અમારી વચ્ચે પહેલી વખત આ જ વાતચીત થઇ હતી અને તે પછી અમે ઘણાં સારા ફ્રેન્ડ્સ બની ગયારિતિકા ત્યારબાદ મારી મેનેજર બની ગઇ અને બધુ ઠીક ચાલતા અમે 13 ડિસેમ્બર 2015ના લગ્ન કરી લીધા.''