ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ક્રિકેટમાં વાપસી માટે બીસીસીઆઇને પત્ર લખ્યો છે. યુવી પંજાબ તરફથી રમવા ઇચ્છે છે, પરંતુ આમાં બીસીસીઆઇના નિયમ યુવી માટે સૌથી મોટી અડચણ છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું, ''આ મામલા પર અંતિમ નિર્ણય કરવાનો હક બોર્ડ પાસે છે, પરંતુ એમાં એક સૌથી મોટી અડચણ બીસીસીઆઇના નિયમ છે. યુવરાજને વન ટાઇમ બેનિફિટનો તો લાભ મળી જ ચૂક્યો છે, તે ઉપરાંત જૂન-૨૦૧૯માં નિવૃત્ત થયા બાદ તે પેન્શન પણ લઈ રહ્યો છે.''
યુવરાજ સિંહને રમવુ છે ફરી ક્રિકેટ
પંજાબ તરફથી રમવા માંગે છે
કોઇ પણ લીગમાં નહી રમી શકે યુવી
જોકે બીસીસીઆઇના અધિકારીએ એવું પણ કહ્યું કે, ''જો યુવરાજ ફરી એક વાર પંજાબ તરફથી રમે તો એ ટીમના યુવા ખેલાડી માટે ઘણું સારું રહેશે, કારણ કે તેને ભારતીય ટીમના એક સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર સાથે સમય વિતાવવાની તક મળશે. જો યુવા ખેલાડીઓને યુવરાજ જેવા અનુભવી ખેલાડી સાથે સમય વિતાવવાની તક મળે તો તેનાથી સારી વાત પંજાબ ટીમના યુવા ખેલાડીઓ માટે બીજી કોઈ શકે નહીં, પરંતુ યુવીને નિવૃત્તિ બાદ લગભગ ૨૨,૫૦૦ રૂપિયાનું પેન્શન બીસીસીઆઇ તરફથી આપવામાં આવે છે.''
ઉલ્લેખનીય છે કે યુવરાજે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેને નિવૃત્તિમાંથી વાપસી કરવાની તક આપવામાં આવે. આ પત્રમાં યુવીએ લખ્યું છે, ''જોતે પંજાબ તરફથી રમશે તો તે દુનિયાની કોઈ પણ લીગમાં નહીં રમે.'' ૨૦૧૧ના વર્લ્ડકપનો હીરો રહેલા યુવીએ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં થોડા દિવસ પહેલાં યુવા ખેલાડીઓ-શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસિમરનસિંહ અને અનમોલપ્રીતસિંહને ટિપ્સ આપી હતી.