તો હવે! / BCCI તરફથી 22,500નું પેન્શન લઈ રહેલો યુવરાજ ફરી રમવા માંગે છે ક્રિકેટ

Yuvraj singh wants to come back in cricket

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ક્રિકેટમાં વાપસી માટે બીસીસીઆઇને પત્ર લખ્યો છે. યુવી પંજાબ તરફથી રમવા ઇચ્છે છે,  પરંતુ આમાં બીસીસીઆઇના નિયમ યુવી માટે સૌથી મોટી અડચણ છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું, ''આ મામલા પર અંતિમ નિર્ણય કરવાનો હક બોર્ડ પાસે છે, પરંતુ એમાં એક સૌથી મોટી અડચણ બીસીસીઆઇના નિયમ છે. યુવરાજને વન ટાઇમ બેનિફિટનો તો લાભ મળી જ ચૂક્યો છે, તે ઉપરાંત જૂન-૨૦૧૯માં નિવૃત્ત થયા બાદ તે પેન્શન પણ લઈ રહ્યો છે.''

બ્રેકિંગ ન્યૂઝ