ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક જુની ફોટો પોસ્ટ કરી, જે બાદ યુવરાજ સિંહે વિરાટ કોહલીની જોરદાર મજાક ઉડાવ્યો. કોહલીએ ફોટો શેર કરતા પૂછ્યૂ કે આપને આ શહેરનું નામ જાણો છો? યુવરાજ સિંહે કેપ્ટન કોહલીએ તેના પર રમૂજી જવાબ આપ્યો.
યુવરાજ સિંહે કોહલીની ફોટો પર જવાબ આપ્યો કે, 'લાગે છે કે તે કોટકાપુરા છે. હરભજન સિંહ તમને શું લાગે છે?' આપને જણાવીએ કે કોટકાપુરા પંજાબનું ઐતિહાસિક શહેર છે. વિરાટ કોહલીની હાલમાં જ પૂર્ણ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન સારી ન રહી. જોકે તે આઇપીએલ 2019માં સૌથી વધારે રન બનાવનાર બેસ્ટમેનમાં ટોપ-10માં સામેલ છે. કોહલીની કેપ્ટનશિપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઇપીએલ 12 માં સ્થાન ન પામી શકી. આઇપીએલના લાંબા શેડ્યૂલ બાદ કોહલીએ ગોવામં સમય વિતાવ્યો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ ફોટોથી લાગે છે કે કોહલી આરામનો સમય વિતાવી રહ્યો છે.
વિરાટ કોહલી હવે વિશ્વકપની તૈયારીમાં લાગી ગયા છે. વિશ્વકપ 2019ની શરૂઆત 30 મે થી થશે. વિરાટ કોહલી પહેલીવાર વિશ્વકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે. પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે શુક્રવારે કેપ્ટન વિરાટ કોહલીના ખુબ વખાણ કર્યા હતા.
રાહુલ દ્રવિડે કહ્યું, 'વિરાટ સમયની સાથે નિખરી રહ્યા છે. વિરાટ એવો સ્તર સ્થાપિત કરી રહ્યા છે કે, જેના વિશે અમે વિચારી પણ નથી શકતા. સચિન તેન્ડૂલકરે 49 વનડે સદી નોંધાવી છે. લોકોને લાગ્યું કે તેને હાંસલ કરવામાં સમય લેશે અથવા કોઇ તેને હાંસલ નહીં કરી શકે. પરંતુ વિરાટ કોહલી તેના ઘણી નજીક છે. ' દ્રવિડે કહ્યું, ' વિરાટ કોહલીએ જ્યારે પણ ખરાબ સમયથી પસાર થયા તો હંમેશા સારા ખેલાડી તરિકે વાપસી કરી છે. કોહલીનો 2014 ઇંગ્લેન્ડ પ્રવાસ ખરાબ રહ્યો હતો. ઉપંરાત પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં પણ સફળ નહોતા થયા. પરંતુ દરેક વાર કોહલીએ વાપસી કહી છે. તે સતત પોતાના પ્રદર્શનમાં સુધાર લાવી રહ્યા છે.