ઇન્ડિયમ ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર ઑલરાઉન્ડર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. યુવરાજ સિંહે સાઉથ મુંબઇ હોટલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.
યુવરાજે પોાના કરિયરની શરૂઆત સૌરવ ગાંગુલીની કેપ્ટનસીમાં વર્ષ 2000માં નૈરોબીમાં કરી હતી. યુવરાજ સિંહ એક પ્રેરક વ્યક્તિ પણ છે. કેન્સર સામે લડ્યા બાદ પણ એને એ વર્લ્ડ કપમાં ભાગ તો લીધો, સાથે જીતમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. એને ત્યારબાદ 'યૂવીકૈન' નામની સંસ્થા શરૂ કરી. એ કેન્સર અને એને દૂરવાની રીતો માટે જાગરૂકતા ફેલાવી રહી છે. યુવરાજે ખેલ આધારિત ઇ કોમર્સ સ્ટોર sports365.in લૉન્ચ કરીને એક બિઝનેસમેનના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી.
sports365.in વેબસાઇટ રમત અને બીજા ફિટનેસ ઉપકરણોને બનાવે છે અને વેચે છે. એને બીજા ઘણા સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે. ફિન એપ પ્રમાણે યુવરાજની વર્તમાન નેટ વર્થ આશરે 160 કરોડની આસપાસ છે.
યુવરાજ પોતાના આ વેન્ટર્સથી એ લોકોને મદદ કરે છે જેની પાસે બિઝનેસનો આઇડિયા છે, ઉત્સાહ છે પરંતુ પૈસા અથવા બીજો સપોર્ટ ના હોવાને કારણે એ મોટી બ્રાન્ડ બની શકતા નથી. આ કંપની દ્વારા યુવરાજ તમને ફંડ તો પૂરું પાડી શકે છે સાથે તમારા બિઝનેસ આઇડિયાને એક નવી ઓળખ આપી શકે છે.
જો તમારી પાસે પણ કોઇ જોરદાર આઇડિયા છે તો યુવરાજ તમને બ્રાન્ડ, માર્કેટિંગ સ્ટ્રેથ, ટેકનોલોજી ટીમની સાથે ફાઇનેન્શિયલ કન્સટિંહ આપી શકે છે. એ તમારા બિઝનેસ આઇડિયાને ઇન્ડોર્સ કરશે અને એને શરૂ કરવામાં મદદ કરશે.
યૂવીકેન કંપની સ્ટાર્ટ અપને સીડ કેપિટલ, ટેક્નોલોજી એડવાઇઝરી, ફાઇનેન્શિયલ એડવાયઝરી, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને પીઆરમાં મદદ પૂરી પાડે છે.
જો તમે પણ તમારા બિઝનેસ આઇડિયાને સ્ટાર્ટ અપમાં બદલવા ઇચ્છો છો અને તમારે એમાં યુવરાજ સિંહની મદદ જોઇએ તો તમે તમારું પ્રપોઝલ [email protected] પર મોકલી શકો છો. જો યુવરાજ અને એની કંપનીને તમારું પ્રપોઝલ પસંદ આવશે તો એ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે.